SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તટ પર હસમુખી, વાનરમુખી, ગજમુખી, મયૂરમુખી નૌકાઓ હાલકડોલક થઈ રહી. દીર્ઘમુખ, દીર્ઘશરીરી, દીર્ઘનેત્રી વીરશ્રેષ્ઠ માગધદેવ પોતાની વિશાળ નૌકા પર આરૂઢ થયા કે બધી નૌકાઓ દરિયાના શાંત જળ પર સરવા લાગી. નૌકાના અગ્રભાગ પર ઊભા થઈ થઈને બધા ભરત-સેનાને નીરખી રહ્યા. આકાશમાર્ગે સંચરેલો દેવદૂત સંદેશો આપીને પાછો ફરતો હતો. એણે માગધદેવને નૌકા પર જોઈને ત્યાં જ ઉતરાણ કર્યું અને ભરતદેવનો સંદેશો કહ્યો : “માગધદેવ ! શબ્દનું પણ મૂલ્ય છે, ને શબ્દની અસર પણ છે. નિરર્થક શબ્દવ્યયનો અર્થ શો ? સર્પ કોણ ને મેંડક કોણ એનો નિર્ણય સમરાંગણમાં કરવો હોય તો અમો તૈયાર છીએ. બાકી અમારું શાસન શત્રુતા પર નહીં, મિત્રતા પર નિર્ભર છે.” મંત્રીશ્વરે તરત જ બીજો સંદેશો મોકલી માગધદેવ વતી ભરતદેવને કહેવરાવ્યું કે ગંધહસ્તીની સાથે મદભર્યો ગમે તેવો હાથી પણ મિત્રતા જ ઇચ્છે છે, ન કે શત્રુતા ! ખેચર દૂત ફરી ઊડ્યો. એને સહુ ભરતદેવની સેના તરફ જતો જોઈ રહ્યા. નૌકાઓ ધીરે ધીરે કિનારે આવી પહોંચી. માગધદેવે છલાંગ મારી કિનારા પર પગ મૂકયો. એની પ્રચંડ દેહયષ્ટિ સહુનાં નેત્રોને ભરી રહી. મંત્રીરાજ સુમતિસાગર કિનારા પર એમનું સ્વાગત કરવા તૈયાર હતા. ધર્મધજા જેવું એમનું તેજસ્વી શરીર ને વિશાળ લલાટ આભા પાથરી રહ્યાં હતાં. માગધદેવે એમનું ભરતદેવ સમજી સ્વાગત કર્યું. તેઓના સમાગમથી પોતે ખૂબ રાજી થયો છે, તેમ કહેવા પોતાના મંત્રીને કહ્યું. હું તો ભરતદેવનો ચરણકિંકર છું. તેઓની આજ્ઞાથી આપના સ્વાગત આવ્યો છું. મંત્રીરાજ સુમતિસાગરે કહ્યું. “ઓહોહો ! તમે ભરતદેવ નથી એમ કે ? જ્યારે તમે આટલા પ્રભાવશાળી છો, તો તમારા સ્વામી તો કેવા હશે ! ચાલો, ચાલો, હું તેમને મળવાને ઉત્કંઠિત છું.” મંત્રીરાજ સુમતિસાગર આગળ ચાલ્યા. માગધદેવ પોતાના પરિજનો સાથે તેમને અનુસર્યા. કેટલેક દૂર તેઓ ચાલ્યા હશે કે મધ્યાહના સૂર્ય સમો ૭૦ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy