SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકનું નિવેદન (પ્રથમ આવૃત્તિ વખતે) ‘ભગવાન ઋષભદેવ' પ્રગટ થયા પછી, ઘણે વખતે, અને અનેક મિત્રોની માગણી પછી ચક્રવર્તી ભરતદેવ' પ્રગટ થાય છે. આ વિલંબ માટે અન્ય કાર્યવ્યવસાય ઉપરાંત જાળાવાળામાં ગૂંથાયેલા, અતિ ચમત્કારી બની ગયેલા, શ્વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં કંઈક ભિન્ન ભિન્ન રીતે સચવાયેલા ભરતદેવના જીવનચરિત્રને સુસ્પષ્ટ ને મનોવૈજ્ઞાનિક રીતે રજૂ કરવાની મહેનત ને મૂંઝવણ પણ જવાબદાર છે. મારા સાહિત્યનું નિર્માણ-ધ્યેય મોટે ભાગે આજના ‘તર્ક-પ્રધાન અને શ્રદ્ધાઅલ્પ’ સમાજને અને નવી ઊગતી તરુણ પેઢીને ગમે અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. હું માનું છું કે પ્રથમ પ્રેય થવાનું ને પ્રાન્તે શ્રેય કરવાનું સાચા સાહિત્યનું ધ્યેય હોવું જોઈએ. ધર્મ-ભંડારનાં અમુલખ જવાહિરોને નવલના સ્વરૂપમાં ખડાં કરવામાં મારા આ અને આ પૂર્વેના યત્નને અનેક જૈન-જૈનેતર વાચકો તરફથી વધાઈઓ મળી છે. એ વધાઈઓએ મને પ્રોત્સાહન આપ્યું છે. અનેકોએ ટીકાઓ પણ કરી છે, એણે મને મર્મગ્રાહી થવા પ્રેર્યો છે. થોડા લોકોએ કંઈ કંઈ કહ્યું – લખ્યું છે, તેઓએ મને રસ, કલ્પના ને રંગમાં સાવ તણાઈ જતો બચાવ્યો છે. સહુનો હું આભારી છું. સૂરજમાં પણ કલંક શોધનાર બુદ્ધિને કલંક મળી ૨હે, તો પછી મારા જેવો સામાન્ય જન કોણ ? પણ જો કોઈ હંસ આ સાહિત્યને તીરે નીર-ક્ષીર ન્યાયે આવશે, તો પાણી પાણી અળગું કરી મનભાવતું થોડુંઘણું દૂધ અવશ્ય આરોગી શકશે, એટલી ખાતરી આપું છું. ભરતદેવ લખતાં લખતાં સુદીર્ઘ થવાથી એને બે ખંડમાં વહેંચી નાખ્યું છે પહેલો ખંડ દિગ્વિજયનો, બીજો ભાગ આત્મવિજયનો.‘ આ પુસ્તકને એક પુણ્યાત્મા ને ઉદારચેતા સાધુજનની ટૂંકીટચ પ્રસ્તાવના લાધે છે, એ ખરેખર લેખક-વાચક ઉભયનું સુભાગ્ય છે. સુપ્રસિદ્ધ સ્થાનકમાર્ગી મુનિવર (મારે મન સ્થાનકમાર્ગી નહીં પણ મોક્ષમાર્ગી મુનિવર), કવિવર પૂ. ઉપાધ્યાય શ્રી અમરચંદ્રજી મહારાજનો અને મારો પરિચય સાવ તાજો જ છે. પણ તેઓશ્રીના પરિચય પછી જાણવા મળ્યું કે મારા સાહિત્ય સાથેનો તેઓશ્રીનો તથા તેઓશ્રીના સુજનમુનિમંડળનો + ભરતદેવનો ઉત્તરાર્ધ : "ભરત-બાહુબલી'ને નામે પ્રગટ થઈ ગયો છે. Jain Education International શે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy