SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તીનાં ચૌદ રત્નોની આયોજના છે. એ આયોજના એવી વ્યવસ્થિત ને કાર્યસાધક છે, કે શત્રુનાં હાડ ને ચામ એના વર્તમાનમાત્રથી ખડખડી ઊઠશે. મંત્રીરાજ એ વિષે પછી તમને વિગતે સંભળાવશે.” અમને કૂચનો માર્ગ કહેવાની કૃપા કરો.' યુદ્ધના નિયમ પ્રમાણે કૂચનો માર્ગ હંમેશાં અછતો રાખવો જોઈએ. પણ મારું ધ્યેય માત્ર શત્રુનો વિસ્તાર નથી, સંસ્કૃતિનો પ્રસાર પણ છે. એટલે સહુ કોઈને આપણો માર્ગ વિદિત હો ! ‘આ પ્રસંગે મારે તમને પૃથ્વીની ભૂગોળ તરફ થોડું લક્ષ કરાવવું પડશે. પ્રત્યેક સૈનિકે પૃથ્વીનો ઇતિહાસ, પોતાના સ્થાન ને વિજયના પ્રદેશ વિષે, એની રચના વિષે, નદી, સરોવર ને સાગર વિષે અને ત્યાંની લોકભાષા વિષે જાણવું જરૂરી છે. પ્રથમ લોકનું સ્વરૂપ સમજાવું : બે પગ પહોળા રાખી, બે હાથને કમર, પર મૂકવાથી, ઊભેલા મસ્તકહીન મનુષ્યદેહનો જે આકાર થાય, એ આકાર આ લોકનો છે. “લોકની મધ્યમાં મૃત્યુલોક આવેલો છે. આ મૃત્યુલોક અથવા મધ્યલોકની વચમાં એક લાખ યોજન લાંબો અને એટલો જ પહેળો ગોળ જંબૂદ્વીપ આવેલો છે. આ જંબૂઢીપની મધ્યમાં સુમેરુ પર્વત આવેલો છે. પિતા ઋષભદેવે જેને મારા નામથી અંકિત એવું ભરતક્ષેત્ર નામ આપ્યું, એ ભરતક્ષેત્ર જંબુદ્વીપના દક્ષિણ ભાગમાં અર્ધચંદ્રાકારે આવેલું છે. ‘આ અર્ધચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં, પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુ લવણસમુદ્રને સ્પર્શતો દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ પર્વતથી ભરતક્ષેત્ર ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે. ભરતક્ષેત્રની ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલો હિમવાન પર્વત છે, અને મધ્ય ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. હિમવાન પર્વત પર એક દ્રહ છે, જ્યાંથી સિંધુ અને ગંગા નદી નીકળી છે, જે હિમાવાન પર્વતને વીંધતી વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણસમુદ્રમાં જઈ મળે છે. લવણસમુદ્રથી લઈને હિમવાન પર્વત સુધીની ભરતક્ષેત્રની પહોળાઈ પર યોજન છે. ૪૪ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy