SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મર્મ દાખવી, આપણા અંતિમ વિકાસનું દર્શન કરાવવા સર્વસ્વ છાંડીને સાધુ થઈ ગયા. એમનું દર્શન આપણો આદર્શ હો! એમણે આપણને મનુષ્ય બનાવ્યા - મનુષ્યત્વનું દાન કરીને ! એમણે આપણને માનવતા આપી–દયા, દાન ને દેવતના સંસ્કાર આપીને. એક આખું શાસન રચીને, રાજવ્યવસ્થા સ્થાપીને અને અસિ, મસિ, કૃષિના જીવનવ્યવહારો પ્રવર્તાવીને પિતાજી અગમનિગમના રાહે ચાલી નીકળ્યા.' ભરતદેવ બોલતાં બોલતાં થોડું થોભ્યા. પછી આગળ ચલાવ્યું: ‘એ પછી દિવસો વીત્યા. દુનિયા સુખી છે કે દુઃખી, પિતાજીનું શાસન કેવું પ્રવર્તે છે, એ જાણવા મેં સેનાપતિ સુષેણને પૃથ્વીની પરકમ્માએ મોકલ્યો હતો. એ એના સાથીદારો સાથે ફરીને આવ્યો છે. આર્યભૂમિ ને અનાર્યભૂમિને એણે પોતાના પગ નીચેથી કાઢી નાખી છે; પણ જે વર્તમાન એ લાવ્યો છે, તે અત્યંત દુ:ખદ છે,” ભરતદેવ થોડી વાર થોભ્યા. દુઃખભારથી ભરેલા એ સ્વરો આખી સભા શ્વાસ રોકીને સાંભળી રહી. “અનાર્ય ખંડોની દુર્દશા તો ચાલુ જ છે, પણ આર્યખંડમાં પણ અવ્યવસ્થા ને ઉશ્રુંખલતાનું મોજું પ્રસરી ગયું છે. ફરીથી સબળ નિર્બળને ખાય એવો મચ્છગલાગલ ન્યાય પ્રવર્તી ગયો છે. ફરીથી મનુષ્યત્વ લોપાય તેવી ઘડી આવી ઊભી છે. માણસ પોતે પશુ છે, એ ન જાણે કેમ પણ કદી ભૂલી શકતો નથી ! દુઃખકહાણી શું કહું ? ફરીથી અગ્નિને સહુએ હોલવી નાખ્યો છે. કૃષિના બળદોને કૃષિકારની સાથે ઝનૂની લોકો આરોગી ગયા છે. ઝૂંપડીઓમાં વસનારા પ્રજાજનો નરભક્ષકો માટે પીરસેલી પતરાવળી જેવા બન્યા છે. નરમાંસભક્ષકો મિજબાની માટે ઝુંપડીઓ જ શોધતા ફરે છે : એટલે સમૂહજીવન જીવતા લોકો ફરી વનગુફાઓમાં વસવા ચાલ્યા ગયા છે. ગામ, નગર, પુર, પાટણ વસાવવાની કલ્પના જ જાણે ઓસરી ગઈ છે. બલ્બ જેઓ આ રીતે ગામ વસાવીને રહ્યા ને નરભક્ષકોથી હેરાન થયા, તેઓ આપણને ઉપાલંભ આપી રહ્યા છે. તેઓ આપણા શુભ સંકલ્પમાં શંકા આરોપી રહ્યા છે. માણસોમાં પેટ ભરવા માટે પરિશ્રમની વૃત્તિ ખતમ થતી જાય છે. એ કહે છે કે નાનકડું પેટ ભરવા ગોપજીવનની કૃષિજીવનની આટલી લાંબી જંજાળ કોણ વહોરે ? આટલી ચિંતા ખેદભરી શુશ્રુષા કોણ કરે ? અમે તો ભૂખ લાગી ને બહાર નીકળ્યા. સામે માણસ. પશુ, ગાય, મસ્ક કે પંખી જે મળ્યું તે મારીને ૪૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy