SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ રજકો ફિક ભુવનમોહના સેનાપતિ સુષેણ પાસેથી છૂટા પડીને અયોધ્યાપતિ ભરતદેવ, બાલસખી સુંદરીના આવાસ તરફ ચાલ્યા. અયોધ્યા નગરીની દક્ષિણ દિશાના પ્રાન્તભાગમાં, સરયૂનાં રમતિયાળ જળ જ્યાં વળાંક વળીને નદીના અંગમરોડની છટા દાખવતાં વહી જતાં હતાં, ત્યાં ભગવાન વૃષભધ્વજની ભુવનમોહિની પુત્રી સુંદરીનો આવાસ આવેલો હતો. મહાદેવી સુંદરી અને ભરતદેવ ભગવાન ઋષભદેવનાં સંતાન હતાં. ફક્ત બંનેની માતાઓ જુદી જુદી હતી. સુમંગળાનાં પુત્ર-પુત્રી તે ભરત અને બ્રાહ્મી. સુનંદાનાં પુત્ર-પુત્રી તે સુંદરી અને બાહુબલિ. એ વખતે એક માતાનાં પુત્ર-પુત્રી યોગ્ય ઉમરે પતિ-પત્ની થઈને જીવતાં. ભગવાન ઋષભદેવે એમાં પરિવર્તન આણ્યું. એમણે પોતાના ઘરથી જ એનો પ્રારંભ કર્યો. ભરતની બહેન બાહુબલિને આપી, બાહુબલિની બહેન ભરતને આપી. આ ક્રાન્તિ અસાધારણ હતી. માણસનાં મન એકદમ એને અનુસરી ન શક્યાં, છતાં વૃષભધ્વજ તરફની શ્રદ્ધા અને ભક્તિએ એનો ઠીક પ્રચાર કર્યો. આ મૂંઝવણમાં બ્રાહ્મી ભગવાન ઋષભદેવ સાથે સંન્યાસ સ્વીકારી ચાલી નીકળી. સુંદરી પણ જવા તૈયાર થઈ, તો મહારાજ ભરતદેવે રોકી લીધી. એ સુંદરીના સૌંદર્યના પરમ પૂજારી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy