SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ માને તેને શિક્ષા કરો. ઓ ભગવાન ઋષભદેવના પરાક્રમી પુત્ર ! વસંત ઋતુ પૃથ્વીતલને પાવન કરે એમ આપ પૃથ્વી પર દિગ્ગવિજય સાધી ધરાતલને પાવન કરો. ફરી કહું છું કે શાસન સ્થાપો. આપને પગલે પગલે હિણાયેલું જીવન નવજીવન બની પાંગરશે, વિહ્વળ માનવતા નિર્ભય બનશે, સુષુપ્ત માનવતા જાગી જશે.” રાજા ભરતદેવનાં નેત્રો ફરી વાર આત્મવિમર્શ માટે બિડાયાં. હજી પિતા ઋષભદેવને ત્યાગના પંથે પળ્યા ગણ્યાગાંઠ્યાં વર્ષ વ્યતીત થયાં હતાં. હજી તો હમણાં જ એમણે પીઠ ફેરવી હતી, ને જાણે માણસજાતની આંખમાંથી શરમની સુશ્રી જ ધોવાઈ ગઈ ! હારમાંથી સૂત્ર સરી જતાં જેમ પુષ્પમાત્ર વેરાઈ જાય, એમ ભગવાન ઋષભદેવના જતાં સર્વ રાજાઓ, જનપદો સ્વચ્છંદ બની બેઠા હતા. સૂર્ય અસ્ત થતાં સૂરજમુખી મોં ફેરવી લે, એમ બધા રાજા ભરતદેવના શાસનથી વિમુખ બન્યા હતા. જ્યાં માનવતાનાં વાવેતરને મોલ આવ્યા હતા ત્યાં પણ ન જાણે કેમ, એ એકાએક સુકાવા લાગ્યા હતા. ભરતદેવે ઊંડું આત્મમંથન શરૂ કર્યું? પિતાજીની શાસનનીતિએ ભૂપૃષ્ઠોમાં ભારે પરિવર્તન આપ્યું હતું. ભૂમંડળમાં આવી રહેલા નવા પરાવર્તથી સુખના દિવસો સરી ગયા હતા, દુઃખના દિવસો એકાએક આવી લાગ્યા હતા. પણ ભગવાન ઋષભદેવે એવું સુંદર શાસન આપ્યું હતું, એવા અજબ સંસ્કારોનું સિંચન કર્યું હતું કે એ દુઃખ સુખમાં પરિવર્તન પામ્યું હતું. કલ્પતરુઓનો યુગ આથમી ગયો હતો. આજનાં ઉદ્યાનોમાં ને વન-ઉપવનોમાં કલ્પતરુ નહોતાં પાંગરતાં પણ કલ્પતરુ જેવા મેવા-મીઠાઈ આપનાર, ગૃહ માટે સ્તંભ અને છાયા પૂરાં પાડનાર, શરીર ઢાંકવા વલ્કલ આપનાર વૃક્ષો ઠેર ઠેર ઊગી ગયાં હતાં. એ કરામત તો ભગવાન ઋષભદેવની જ હતી ને ! આજે કામધેનુ વાતોમાં જ રહી હતી, એ ક્યાંય જોવા ન મળતી; પણ પહાડની તળેટીમાં ચરતી સુંદર મરી ગાયો એ ખોટ સાલવા ન દેતી. એ દૂધ ૧૦ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy