SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભગવાન ઋષભદેવ’ પછી આગળ વધતી ‘ચક્રવર્તી ભરતદેવ’ નવલકથામાં લેખકે કલ્પતરુઓનો યુગ આથમી ગયા પછી પૃથ્વી પર આધિપત્ય ધરાવતા કઠિન કર્મભૂમિના યુગની વાત આલેખી છે. ભગવાન ઋષભદેવના સંસારત્યાગ પછી ભરતદેવે સંસ્કૃતિના વિશેષ પ્રચાર માટે અથાગ પ્રયત્નો કર્યા. એમણે પછાત અને અસંસ્કૃત દેશો પર વિજય મેળવીને એ ધરતી પર ઉદ્યમપરાયણ નાગરિક જીવનની સ્થાપના કરી. વિજયની વિભાવના પલટી નાખી અને પરાજિત રાજાઓને મૈત્રીને તાંતણે બાંધી દીધા. આર્ય અને મ્લેચ્છ રાજાઓ વચ્ચેના વૈમનસ્યને દૂર કરીને એમણે પૃથ્વીને એક સૂત્રે સંકલિત કરી. આવા જગતવિજેતા બનેલા ચક્રવર્તી ભરતદેવ પટરાણી સુભદ્રા સાથે અયોધ્યામાં નગરપ્રવેશ કરે છે અને ચોતરફ આકાશને ભરી દેતો ભરતદેવનો વિજયધ્વનિ સંભળાય છે. આ નવલકથામાં ચક્રવર્તી ભરતનું પાત્ર એની પ્રભાવક રજૂઆતને કારણે આકર્ષક બન્યું છે. આ કૃતિને માટે લેખકને મુંબઈના અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ISBN 978-81-89160-73-9 oll788189lj6 07391. Jain Coon International P ie 2 Personal
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy