SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કેમ કહેવાય ?' સુભદ્રા સ્પષ્ટ જવાબ ન આપી શકી. સ્ત્રીહૃદયની માર્દવતા પ્રગટ થઈ ગઈ. જેના ઘોડાને પણ પોતાનો માન્યો એના અનિષ્ટમાં એ કેમ રાચે ? એનાં કમળપત્ર જેવાં નયનો અનેરા ભાવથી ચમકી ઊઠ્યાં. ‘તો એનો બીજો અર્થ એમ કે ભરત ન હારે તો અમે હારશું, કાં ?” ના, ના. હાર-જીત મને ગમતી નથી, વ્યર્થ છે !” ‘પણ ઘેલી છોકરી ! યુદ્ધમાં બેમાંથી એક હારે ને એક જીતે, એમ જ બને ને ?” ના, હું તો બંનેને જિતાડવા માગું છું, જિતાડીને જિવાડવા માગું છું ! ભરતદેવ તમને જીતે, તમે એને જીતો.' ભ્રમિત થઈ ગઈ લાગે છે!” નમિરાજે કહ્યું. કાકાશ્રી, તમે ભગવાનના ચરણ સેવ્યા છે, ને ઇંદ્રિયોની શક્તિમાં શ્રદ્ધા કેળવી છે, પણ ઇંદ્રિયોની શક્તિ જ્યાં થંભી જાય, ત્યાં એક અતીન્દ્રિય શક્તિ જાગે છે, એ તમે ભગવાનની પાસે રહીને પણ જાણ્યું નથી ! હું આંખ, કાન, હાથ, પગ-માત્ર એ ઇંદ્રિયોની શક્તિમાં જ વિશ્વાસ રાખનાર ભગવાન ઋષભદેવના અનુગામીઓનો વિનાશ જોઉં છું. આવે ટાણે જો કોઈ કામ આવે તો તે માત્ર અતીન્દ્રિય શક્તિ જ ! ને એ શક્તિની સાધના માટે હું બેઠી છું !” એથી શું થશે?” ‘તમારો દેહ નહિ, પણ એ દેહની અંદર સૂતેલો આત્મા જાગ્રત થશે. તમારા આત્માને જાગ્રત કરવા માટે અંતરની ભાવનાને, અતીન્દ્રિય શક્તિને આવાહન આપ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. એ અતીન્દ્રિય શક્તિથી તમારા અને તમારા પ્રતિસ્પર્ધીના આત્માને જાગ્રત કરીશ, એની મોહનિદ્રા ઉડાડીશ, પૃથ્વીના કટકા પાછળ આત્માના ટુકડા કરવા તૈયાર થયેલા તમારા મનને વારીશ. મન સમક્યું એટલે તમે સમજ્યા જ છો ! તનની લડાઈ ભયંકર નથી, મનની લડાઈ જ ભયંકર હોય છે.' ‘ભદ્ર ! શસ્ત્ર પકડવાની વેળાએ આ કેવી ચિત્રવિચિત્ર વાતો ! સુભદ્રા ! તું દીવાની બની ગઈ લાગે છે !” ‘આવાં કામ દીવાના બન્યા વિના નથી થતાં, પિતાજી !” ૧૮૪ ચક્રવર્તી ભરતદેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy