SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અજબ કોઈ વ્યક્તિ લાગે છે ! ચક્રવર્તી ભરતના હાથ એમને દેખાડવા પડશે. માનવતાના દ્રોહીઓનો નાશ એ ભરતની પ્રથમ પ્રતિજ્ઞા છે ! ' ભરતદેવના ચહેરા પર શૌર્યનું તેજ આભા પ્રસારી રહ્યું. એમનાં નેત્રોમાંથી આખા ને આખા પહાડને ભસ્મ કરી નાખે તેવી જ્યોતિ નીકળી રહી. મહારાજ ! શત્રુ છે, ભયંકર શત્રુ છે, પણ સાથે સાથે અજબ શત્રુ છે. શત્રુનું સારું પણ કહેવું જોઈએ. શત્રુ થયો એટલે એનું સારું હોય તે બધુંય ખરાબ એમ ભારતનીતિ નથી માનતી, માટે કહું છું કે અમે પાછા ભાગતા જોયું, જાયું ને અનુભવ્યું કે ત્યાં એક વાતનો સખ્ત બંદોબસ્ત છે. કોઈ પણ વિદ્યાધાર કે દેવ ત્યાં માનવસ્ત્રીને સતાવી ન શકે તેમજ સ્ત્રી સાથે પુરુષ હોય તો એને પણ વિદ્યાધર, વ્યંતર કે ખુદ દેવ પણ હણી ન શકે ! આ પ્રતિજ્ઞાનો રજમાત્ર પણ ભંગ કરનારને આ બે રાજાઓ કદી જીવતો છોડતા નથી. ત્યાંની પ્રજા ખૂબ સુખી લાગી.” અનિષ્ટમાં પણ ઇષ્ટ રહ્યું છે, તે આનું નામ ! ચાલો, એને આપણે રણમેદાનમાં નોતરીએ, તે પહેલાં તેના વિષે પૂરતું જાણી લઈએ. આપણી માન્યતા હતી કે માનવજાત તરીકે આ અઘોર ને દૂર દૂર પડેલા પ્રદેશોના પ્રથમ પ્રવાસી આપણે જ હઈશું. પણ ના, ના, હજી એવા વીરજાયાઓ પણ આ માતા વસુંધરા પર મોજૂદ છે, કે જેઓ અકળ પ્રદેશો ખેડવાના રસિયા અને અણખેડી ભોમ ખેડવામાં ખબરદાર છે. મંત્રીરાજ ! સબળ શત્રુનો બધો ભેદ પ્રથમ મેળવવો જોઈએ. એ ભેદ લેવા હું પોતે જવા ઇચ્છું છું ' ભરતદેવે કહ્યું. ના મહારાજ ! મંત્રીનો ધર્મ તીરનો છે, અને રાજાનો ધર્મ ધનુષ્યનો. ધનુષ્ય તો તીર ફેંકે એટલું જ. બાકી લક્ષ વેધવાનું તો તીરને ભાગે જ હોય છે. યોગ્ય માહિતી મેળવીને, બની શક્યું તો એ બંને રાજાને આપના ચરણારવિંદમાં સવેળા લાવ્યો જ સમજો !” મંત્રીરાજે તરત પ્રવાસને યોગ્ય તૈયારીઓ કરી. ગૃહપતિરત્ન ને વાર્ધકીરત્ન ફરી વ્યવસ્થામાં ગૂંથાયાં. ૧૬૬ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy