SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ . ગર્વ કિયો સોઈ નર હાય હિમવાન પર્વતનાં રૂપેરી શિખરો પર ઉષા પોતાનો સપ્તરંગી સાધુનો પાલવ ફરફરાવી રહી હતી. ઔષધિભર્યા પર્વતશૈલોમાંથી કસ્તુરી મૃગ નીકળીને દિશાઓને સુગંધથી તરબતર કરતા સ્વૈરવિહાર માણી રહ્યા હતા. પુણ્યોદકથી છલબલતાં સરોવરોને કાંઠે ઊગેલાં દેવ-દારૂનાં વૃક્ષો પ્રકૃતિની જયપતાકા સમાં મંદમંદ અનિલ લહરીમાં ડોલી રહ્યાં હતાં. યક્ષ, ગંધર્વ ને કિન્નરોથી ભરેલાં ક્રીડાવનો પર થઈને રાતી ચાંચવાળા રાજહંસો માનસરોવર તરફ જઈ રહ્યા હતા. પર્વતની ટેકરીઓ પર મીઠી દૂર્વા ચરતી સુરભિ ને ચમરી ગાયો વાતાવરણને આત્મિક બનાવતી હતી. હિમવંત પર્વતની અધિત્યકામાં એ વખતે મહારાજ ભરતદેવ રાજમંડળ સાથે આવીને ઊભા રહ્યા. તાજા જ દર્ભની શય્યા પરથી ઊઠીને આવ્યા હતા. યુદ્ધના આદર્શવાદને અનુસરીને એમણે ત્રણ દિવસથી આહાર પણ ગ્રહણ કર્યો નહોતો.* ભગવાન ઋષભદેવનું નામ લઈને એમણે વીરાસન વાળ્યું. કોઈ અદશ્ય * પ્રાચીન માન્યતા એવી છે, કે ચક્રવર્તી દરેક વિજયની પહેલાં – અર્થાતુ યુદ્ધ માટે શરસંધાન કરે તે પહેલાં – ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરે, આ મુજબ છ ખંડ સાધતાં ચક્રવર્તીને ૧૩ અઠ્ઠમ કરવા પડે. પૂર્વસાગર, દક્ષિણસાગર અને પશ્ચિમસાગરના માગધ, વરદામ ને પ્રભાસ દેવના ત્રણ; સિંધુ ને ગંગાદેવીના ૨; વૈતાઢ્ય પર્વતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy