SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સેનાની પુનર્વ્યવસ્થા કરવાનું કામ ઘણા દિવસ સુધી ચાલ્યું. અન્ય સેનાઓની જેમ ત્રાસ કે આતંક જમાવી પોતાનું કાર્ય સાધી લેનાર આ સેના નહોતી. આ તો દાન, દયા ને દેવતના સંસ્કારોનો પ્રચાર કરનાર એક ધર્મસેના હતી. વળી, આ સેના કોઈ વિજયી સેનાપતિની માત્ર કીર્તિપરાયણ ને કાંચન ભૂખી સેના પણ નહોતી, પણ એક હાલતાચાલતા આદર્શ નગરની જીવંત પ્રદર્શની હતી. એ જ્યાં છાવણી નાખતી ત્યાં આદર્શ નગરની રચના જઈ જતી, કઠોર સૈનિક જીવન એકાએક અદશ્ય થઈ જતું ને સુંવાળું નાગરિક જીવન ધબકારા લેતું અનુભવાતું. સેનાની નવવ્યવસ્થાનો ભાર નવા સેનાપતિ જયકુમાર પર પડ્યો. જૂની વ્યવસ્થા જાય ત્યારે અનિવાર્ય એવું પુનર્વિધાન આવે છે. એ પુનર્વિધાનને નવા સેનાનાયકે ખૂબ ઝડપી બનાવ્યું. એણે નવી નવી શ્રેણીઓ રચવા માંડી, કેટલીક વ્યવસ્થાઓ સુધારવા માંડી. ગજ, અશ્વ ને રથની શ્રેણીનો છેલ્લી અનરાધાર વૃષ્ટિમાં ઘણો નાશ થઈ ગયો હતો, એ રથને સમજાવવાનું, અને એ પ્રાણીઓને ફરીથી લાવવાનું કેળવવાનું ને સેનાને ઉપયોગી બનાવવાનું કામ ભારે જહેમતનું હતું. પણ વૈતાઢ્ય પર્વતે એમાં ભારે મદદ કરી. જે વૈતાઢ્ય પર્વતે એનો નાશ કરવામાં યોગ આપ્યો હતો, એણે જ એની પુનર્રચના માટે સાથ આપ્યો. એણે જ અનર્ગલ પશુધન પૂરું પાડ્યું. - પશુઓનો પ્રશ્ન આ રીતે હળવો બની રહ્યો હતો, ત્યાં એક નવો પ્રશ્ન ઊભો થયો. આ સેનાની સાથે નારી સમુદાય પ્રારંભથી જ હતો. ભરતદેવે શાસનપ્રચાર માટે એને પણ સાથે લેવાની આજ્ઞા કરી હતી. એ નારી સમુદાયમાં બે ભાગ હતા : એક સેનાજીવન જીવતો અને બીજો કૌટુંબિક જીવન જીવતો. નારીસેના મુખ્યત્વે રથસંચાલન ને ધનુર્ધરનું કાર્ય સુચારુ રીતે સંપાદન કરતી. અને કુટુંબ-પ્રિય સ્ત્રીઓ લગ્નજીવન માણતી. માર્ગમાં પણ વિજિત પ્રદેશોમાં લગ્ન સંબંધો દ્વારા લોહીની સગાઈ સાધવા ભરતદેવની અનુમતિ હતી. આ લોહીની સગાઈએ આજ પર્યંતના દિગ્વિજયોમાં સુંદર સાથ આપ્યો હતો. જીતેલા પ્રદેશોમાં સંબંધો એટલા ઝડપથી વણાઈ જતા કે તદ્દેશીય અભિમાન સાવ શાન્ત થઈ જતું. કોઈ પોતાની જાતને ભરત-શાસનથી અલગ પાડવાનો વિચાર કરતું, તો કાં તો એની માતા ભિન્ન જાતિની નીકળતી કે એની પત્ની જુદી જાતની નીકળી આવતી. ઘરના કલહ સામે બહારનો કલહ ૧૩૪ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy