SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જયકુમા૨ ! એમના મસ્તક પરથી મુગટ આંચકી લઈ, એ મુગટને લાત મારી પર્વતની ખીણમાં જ્યાં પશુઓનાં શબ પડ્યાં છે ત્યાં ફેંકી દો !’ જયકુમારથી કંઈ ન સમજાયું. એણે કહ્યું : “સ્વામી ! પણ શિક્ષા શી ?” બસ, આ જ શિક્ષા !’ ભરતદેવે શાંતિથી જવાબ વાળ્યો. આ નવજવાન યોદ્ધો અકળાઈ ઊઠ્યો. એણે કહ્યું, આ તો પ્રાણદંડને યોગ્ય વ્યક્તિઓને આપ પાઘડી બંધાવો છો ! મુગટ લાત મારીને ઉડાડી નાખવાથી, એ શું સમજવાના હતા ?' “સમજે તો ઘણું સમજવા જેવું છે. કોઈ પણ વ્યક્તિને હણવાથી આપણી હાનિ સંપૂર્ણ થતી હોય તો એ એક વાત છે; ફક્ત હણવાથી આપણા કમજો૨ મનને શાંતિ થતી હોય તો એ બીજી વાત છે. જીવનને હણતાં ખૂબ વિચાર ક૨વા જેવો છે. જે વસ્તુ આપણે આપી ન શકીએ, એ લેવાનો આપણો અધિકાર નથી. એમાં રાજપદની અશક્તિ છે, માનવસુધાર તરફની અશ્રદ્ધા છે. જીવવા દો ! એ માનહીનોને સંસારમાં હડધૂત થઈને જીવવા દો ! જીવતું મોત એમને માણવા દો ! સુધરે તો સુધરવા દો ! એમના દિલમાં ઋષભી દર્શન જાગે તો એમને ભરત-શાસનને સન્માનવા દો ?” ભરતદેવના સાગર સમ વિશાળ હૃદયને સહુ અભિનંદી રહ્યા. ૧૩૨ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy