SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રે ! ભારતી સેનાના વિજયને એક અશ્વે આજે સુલભ કર્યો ! યુદ્ધનો રંગ પલટાઈ ગયો. પોતાના પ્લેચ્છ રાજાને નાસતો જોઈ તીડનાં ટોળાં જેવા આવેલા લોકો, હવે તોડનાં ટોળાંની જેમ પાછાં નાઠાં. એમાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો ને જુવાનો સુધ્ધાં હતાં. સ્ત્રીઓ તો વિકરાળ હતી જ, પણ બાળકો પણ નાનાં નાનાં ઝેર પાયેલાં તીરો લઈને આવ્યાં હતાં ! શત્રુના દેહમાં તીર ઘોંચી દેવામાં એ કુશળ હતાં. સુષેણ અને એની સેના નાસતા શત્રુની પીઠને તીરના પ્રહારથી વીંધી રહ્યાં. તરત ભરતદેવે કહ્યું : “સુષેણ ! ધન્ય છે તને ! હવે પ્રાણ બચાવવા નાસી છૂટતા મ્લેચ્છોને નાસી છૂટવા દે ! પ્રાણ સહુ કોઈને પ્રિય હોય છે !” મહારાજ ! આ લોકો વંચક છે, વિશ્વાસઘાતી છે, પીઠ પાછળ ઘા કરવાની નીતિમાં માનનારા છે. અહીં દયાની જરૂર નથી.' અહીં જ દયાની જરૂર છે. એ ગમે તેવા હો ! જો એ એમની નીતિ ન છોડે, તો આપણે આપણી નીતિ કાં છોડવી ? બિલ્લી ધૃતપાત્ર એક વાર ઢોળી શકે છે, દરેક વાર નહિ, એમને મારીને મુક્ત નથી કરવા, તેઓને પણ બને તો ઋષભ શાસન આપવું છે.” જેવી સ્વામીની આજ્ઞા !” સ્વામીની શાસન-પ્રીતિને સુષેણ વંદી રહ્યો ! અલબત્ત, એને મ્લેચ્છ લોકો તરફ અંતરમાં ભારે તિરસ્કાર જાગ્યો હતો. એણે કહ્યું : “મહારાજ ! કયાંક શાસનના મોહમાં શિરનો સોદો ન થાય તે જોશો !' જવાબમાં ભરતદેવ જાણે પ્લેચ્છોને કંઈ ન ગણતા હોય તેમ હસ્યા. થોડીએક પળોમાં તીડનાં ટોળાં જેવા પ્લેચ્છો અદૃશ્ય થઈ ગયા. ફક્ત તેમણે વેરેલો વિનાશ, સર્જેલી અવ્યવસ્થા ને અંગે અંગે ક્ષતવિક્ષત થયેલ સુષેણ ને કુવલયાપીડ બાકી રહી ગયાં. આખી રાત સેનાએ સુવ્યવસ્થિત થવામાં ગાળી. હવે તેઓ ગમે તેવા વંચક ને વિશ્વાસઘાતીઓનો સહેલાઈથી સામનો કરી શકે તેટલા સુસજ્જ થઈ ગયા હતા. સુષેણ વિશેષ જખમી થયો હતો. કુવલયા ડ પણ હવે ખડો રહી શકતો નહોતો. બંનેએ બિછાનાં પાથર્યા. તમિત્રાનાં દ્વાર ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy