SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મદારી જંગલના વિષધરને પકડી એની દંષ્ટ્રાને ઉખેડી નાખે છે, એ શા માટે ?” એ નિરુપદ્રવી બને તે માટે. પિતા પુત્રનો તિરસ્કાર કરી એને ઘરબહાર કાઢી મૂકે છે, તે શા માટે ?” બગડેલા પુત્રને સુધારવા માટે.' “તો રાજાનું પણ એમ જ સમજવું. એ પ્રજાનો પિતા, મિત્ર ને સખા છે. જો હિતબુદ્ધિના આ ધર્મથી એ ચૂકે, તો એ એના રાજાપદને લાંછનરૂપ બને. એનું કાર્ય માનવ ઘડવાનું છે, માનવતા રક્ષવાનું છે. જો રાજા માનવને નષ્ટ કરે, માનવતા હશે, તો એનું રાજપદ નિરર્થક છે. તો પછી એને રાજા ન કહેવો, પ્રજાનું ધન ને ધર્મ લૂંટનારો ચોર કહેવો. ભરતશાસનનો ગર્ભિતાર્થ આ છે, મંત્રીરાજ ! સેનાપતિને બોલાવો. તમે મારી બુદ્ધિ છો, સુષેણ મારી શક્તિ છે. શક્તિ ભલે સંગ્રામ ખેલે, પણ એનેય સંયમની સીમા સૂચવવી જોઈએ.’ ' જેવી આજ્ઞા મંત્રીરાજે આમ કહી, સુષેણને બોલાવવા અનુચર રવાના કર્યો. થોડી વારમાં સુષેણ હાજર થયો. વૈતાઢ્યના અધિવાસી કૃતમાલદેવને ઘડીભર એમ લાગ્યું કે ભરતદેવની બુદ્ધિ ને શક્તિ સાકાર રૂપ ધરીને સુમતિસાગર ને સુષેણરૂપે સામે જીવંત ખડી છે. ‘સુષણ જી, સ્વામી !” અમે તને સ્વતંત્ર નેતા બનાવવાનો નિશ્ચય કર્યો છે !” ભરતદેવે માર્દવપૂર્વક કહ્યું. ભરતદેવના શાસનમાં સ્વતંત્રતાની મહત્તા ઘટી ગઈ છે. પિતા પાસેથી પુત્રને સ્વતંત્રતા મેળવવાની કેવી ? એ પરતંત્રતા તો પ્રેમથી નભાવવા જેવી ! મસ્તકના છત્ર જેવી ! સદા શીળી છાયા ઢોળનારી ! સુષેણના માથે ભરતદેવનું છત્ર છે. એણે પોતાનું શિરછત્ર અળગું કરવા કદી ઇછ્યું નથી, ને કદી ઇચ્છતો પણ નથી. સુષેણે પોતાની સ્વામિભક્તિ પ્રગટ કરતાં કહ્યું. સ્વતંત્ર કરવાનો અર્થ તને અળગો કરવાનો નથી. કાર્ય અતિ છે, સમય સ્વલ્પ છે, અને આપણે હવે વેગ આણવા ઇચ્છીએ છીએ. અમે તમિસા ગુફાના દ્વાર વાટે અંદર પ્રવેશ કરવાની તૈયારીઓ કરીએ, તું સિંધ નિષ્ફટો જીતી આવ. ઉત્તરાખંડ ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy