SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉત્તરાખંડ ત્રણ ત્રણ દિશાના સાગરસીમાડાઓને નાથીને, ત્રણે સીમાઓમાં રક્તસંબંધો સ્થાપીને હવે ભરતદેવનું સૈન્ય કોઈ મહાકાય અજગર સરતો હોય તેમ સિંધુ નદીના દક્ષિણકિનારાને અનુસરીને ચાલ્યું જતું હતું. પૂર્વસાગર ને દક્ષિણસાગર કરતાં પશ્ચિમસાગરના પ્રભાસદેવને વશવર્તી કરવામાં સ્વલ્પ જેટલો પણ સમય લાગ્યો નહોતો. ભરતદેવે એને સજ્જન તરીકે પિછાણ્યો હતો, ને ખરેખર એ સજ્જન જ નીકળ્યો. એણે ખૂબ ઉલ્લાસપૂર્વક પોતાની સીમમાં ભરત-શાસનનો પ્રચાર કર્યો. સબળાનું નિયમન ને નબળાના રક્ષણની નીતિ સ્વીકારી. આ ભરતશાસનની નીતિ માત્ર માનવ પૂરતી સીમિત નહોતી, એ જન ઉપરાંત જાનવર-પશુ-પક્ષીઓને પણ પોતાનામાં સમાવી લેતી હતી. પશુઓ તરફ પ્રવર્તતા અન્યાયની આડે પણ એ આવતી. વર્ષાના નવીન જળની જેમ પ્રારંભમાં એ શાસન જરા ભારે ને કંઈક કડછું લાગ્યુંપણ પછી તો સહુએ પ્રેમથી એનો સ્વીકાર કર્યો. રેવતાચળ નામનો ગિરિ અહીં હતો. ભરતદેવના પગલે એ પાવન બન્યો. એના પથરાઓ વર્ષો સુધી એક મીઠું સ્મરણ સંઘરીને બેઠા. પ્રભાસની ત્રિવેણીમાં સૈનિકો ને અશ્વ-ગજોએ પુણ્યોદક સ્નાન કર્યા. ધરતી ખેડાઈ રહે, અનુકૂળ ખાતર પુરાઈ જાય, પૂરતા જળનું પોષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy