________________
આંટની ખાતર જર અને જાન બંને આપી દે. શંકા ન રાખો, ચાલો, કિર્તિધરજી, જેના જીવનમાં ધર્મ સૌથી મહાન રહ્યો છે, એ ધર્મની સાક્ષીએ હું આ બધી વાત કરું છું.”
વિમળશાહ ! તમારા સાચા દિલ ઉપર અને ત્યાગની અપૂર્વ ભાવના ઉપર મારું હૈયું ફરીથી સતેજ બની ગયું છે. પણ આબુની શરદીની તો તમને ખબર છે ને ? મારા કારીગરોનાં આંગળાં જ સજ્જડ થઈ જાય, બાર માસમાં ચાર માસ જ કામ થઈ શકે ને એ રીતે તો દેવાલય ક્યારે પૂરું થાય ?” કિર્તિધરે વાંધો બતાવ્યો.
“ભલા શિલ્પી ! દરેક કારીગરને ગરમીનાં સાધનો આપીશ. એ ઉપરાંત બીજી જરૂરિયાતો પણ હું પૂરી પાડીશ. શરદીમાં ગરમી કળાય તો તો પછી કમ થશે ને ?”
“આવા પહાડ પર, આવી ઠંડી જગામાં, ભવ્ય મંદિરોનું નિર્માણ અશક્ય વાત છે. પણ તમારા જેવા દૃઢનિશ્ચયી અશક્યને શક્ય કરી શકે છે. જાઓ, ટૂંક સમયમાં આવી પહોંચું છું. જુગ-જુગમાં નામ રહે તેવું કામ જરૂર કરીશું.” કિર્તિધરના હૃદયમાં ઉત્સાહ પ્રગટ્યો. અભુત કલાકૃતિ સરજવાના વિચારો એના મગજમાં પેદા થવા લાગ્યા.
“કર્તિધર! એ કલાની પાછળ આ જીવન સાથે તમામ સમૃદ્ધિ સમર્પ છું.”
વિમળશાહ ! તમારાં જીવન અને સમૃદ્ધિની સાથે-સાથે મારી સમગ્ર કલા પણ એને સમર્પ છું. એ આખો દેવપ્રાસાદ - અરે, એનો એક-એક પથ્થર - જગતને મુગ્ધ ન કરે તો મારો હાથ ક્ય નામો ગણજો ! જો એનું એક-એક શિલ્પ સજીવન ન લાગે તો, હમણાં બોલી ઊઠશે એવો ભાસ ન થાય તો, મેં તમને દગો દીધો ગણજો ! હવે સુખેથી પધારો ! યથાસમયે મારા કારીગરો સાથે હાજર થઈશ.”
“જય પાર્શ્વનાથ !” “જય સોમનાથ !”
વિમળશાહ અને સરદાર ચંદ્રાવતી તરફ ગયા. કિર્તિધરે ખૂણામાં ધૂળ ખાતાં પડેલાં પોતાનાં ઓજારો સંભાળ્યાં, બધા કરીગરોને તૈયાર કર્યા ને રવાના થવા માટે શુભ દિવસ ને શુભ મુહૂર્ત જોશી પાસે જોવરાવ્યાં.
અજોડ શિલ્પી જ ઉ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org