________________
તેઓએ હ્યું, “આ ભૂમિ તો અમારી છે.”
વિમળશાહ પાસે વિજયી તલવાર હતી ને ગુર્જરપતિનો પરવાનો હતો; પણ તીર્થરચના માટે એ નિરર્થક હતાં.
છેલ્લા કેટલાક સમયથી પૂજારીઓ ને બ્રાહ્મણો આ પ્રદેશ પર વસતા હતા અને એની દેખરેખ રાખતા હતા; એટલે તેઓનાં મન ખુશ કરવા માટે વિમળશાહે સુંદર બદલો આપવાનો વિચાર કર્યો, અને શ્રીદેવીની સલાહ પૂછતાં કહ્યું,
"
“શ્રીદેવી ! જોઈને આ ભૂમિ. અહીં જ યુગાદિદેવનાં સુંદર દેરાં સર્જવાં છે. આપણા ધનની સાર્થકતા થશે તો અહીં થશે.”
“જીવનની પણ સાર્થકતા થશે તો અહીં થશે નાથ ! મારું મન તો મોહી ગયું છે. હવે તો આ પઘડ પરથી નીચે ઊતરવાનું મન પણ થતું નથી ! ભૂંડાં તમારું રાજકાજ ! કરી, કરી અને ન કરી જેવી તમારી નોકરી ! ઓહ ! મને તો અહીં રમતાં જંગલી ભૂંડ ને પામર સસલાં જગતનાં માણસો કરતાં પ્યારું લાગે છે !” શ્રીદેવીએ કહ્યું. એનું મન તો અહીંની શોભામાં મગ્ન બન્યું હતું.
“ખરી વાત છે. આ જંગલની શાંતિ રાજમહેલમાં ક્યાં મળે તેમ છે ? ને આ ઝરાના જળની શીતળતા સુવર્ણ કુંભમાં ભરેલા જળમાં ક્યાંથી પ્રાપ્ત થવાની છે ? આ ગુફાઓમાં જે જીવન જીવવાની ઉષ્મા છે, એ બીજે ક્યાં મળવાની છે ? મારું મન પણ અહીં શાંતિ અનુભવે છે !”
“આ યોગભૂમિ છે, પણ રાજકારણના વો અહીં આવે તો ભોગભૂમિ બની જાય. માટે તમારી ખટપટોને અહીં ન આણશો. હું તો હવે અહીં જ રહીશ.”
“શ્રીદેવી ! તારી જેમ નિશ્ચય સાથે હું કોઈ વાત ન કહી શકું; પણ એટલું તો કહી શકું કે રાજઆજ્ઞાથી ક્યાંય જવું અનિવાર્ય થશે તો મારું ખોળિયું ત્યાં જશે, બાકી મારો પ્રાણ તો અહીં જ રહેશે. આ દેવભૂમિના આશ્રયે રાજસ્થાનો ને દેશથાનો મેં નિષેધ કર્યો છે.”
“બરાબર છે, મારા જનકવિદેહી !મિથિલા જલે, એમાં મારું શું જલે, એવી ભાવના રાખજો ! રાજકાજ તો એવાં છે કે પળભરની નિરાંત માણવા દેતાં નથી. માણસની વિદ્યા, બુદ્ધિ, આનંદ, શાંતિ અને છેવટે પ્રાણ પણ હરી લે છે !” ૫૬ : મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org