________________
૧૪
ઉદારતાની અવધિ
અર્બુદાચલનાં શિખરો ઉપર યુગાદિનાથનાં મોટાં મંદિરો હતાં. એ વાત ઉપર આજે તો વર્ષોનાં વહાણાં વાઈ ગયાં. એ વખતે એની શોભા ને એની ભવ્યતા અજોડ હતી. દેશદેશથી હજારો ભક્તો પ્રતિવર્ષ અહીં દર્શનાર્થે આવતા.
પટ્ટન સો દટ્ટણ, એ નિયમ પ્રમાણે કાળનો ક્યોર પ્રવાહ આવ્યો અને મંદિરો ખંડેર બની ગયાં. એ ખંડેરો પણ પૃથ્વીની છાતી ઉપર ન ટક્યાં. એ ઉપર માટીના થર બાઝયા ને વખત જતાં ત્યાં ઝાડ ને ઘાસથી ભરેલું જંગલ બની ગયું. રાની પશુઓ ત્યાં વસવા આવ્યાં. માણસોની અવરજવર ઓછી થઈ ગઈ.
આ નીરવ એકાંતનો લાભ લેવા અઘોરીઓ આવ્યા, તાંત્રિકો આવ્યા; બેપરવા મસ્તરામ સાધુઓ અહીં આવીને વસ્યા. ક્યાંક-ક્યાંક નાનાં મંદિરો ને નાની દેરીઓ દૃષ્ટિગોચર થવા લાગ્યાં.
એ મંદિરોમાંથી અવારનવાર શંખ ફૂંકાતા અને હવનનો ધુમાડો ગૂંચળા ખાતો આકાશમાં ચઢતો. ર્દીક આરતી વખતની મધુર ઘંટડીઓનો રણકાર સંભળાતો. એ સિવાય આ સ્થાન નિર્જન હતું.
૫૪ × મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org