________________
“બરાબર તૈયારી છે, હવે બચી શકે તેમ નથી.” જવાબ મળ્યો.
મંડળ વીખરાયું ને તેમના કૃત્ય જેવો રાતનો પડદો પૃથ્વી પર વીંટાયો.
આ કાળા પડદાની આડમાં બેસીને કાવતરાખોરોએ બધી રચના કરી લીધી. મહારાજા ભીમદેવને પણ યોજના સમજાવી દીધી. બધાંએ આખી રાત જાગરણ કર્યું.
વિમળશાહ આ બધાં કરસ્તાનોથી અજાણ હતા.
બીજે દિવસે દરબાર ભરાયો. સહુ પોતપોતાના સ્થાને ગોઠવાયા. ભરસભામાં મંત્રીરાજ ઊભા થયા. બધાનું માનવું હતું કે વિમળશાહની કદર થશે, ને એમને કંઈક ખિતાબ બક્ષસે .
મંત્રીરાજે વિમળશાહને પ્રશ્ન કર્યો : “વિમળશાહ ! રાજને ચોપડે તમારી પાસે રાજનું લેણું નીકળે છે, એ જાણો છો ખચ ?”
એકદમ વીજળી પડે ને જેમ માણસ ચમકી ઊઠે એમ વિમળશાહ ચમકી ઊઠ્યા.
“શાનું લેણું ? મંત્રીરાજ, કયા વખતની વાત કરો છો ?”
“વિમળશાહ, ઉતાવળા થવાની જરૂર નથી. જે હશે તે ચોપડા કહેશે; એ મારી કે તમારી શરમ નહિ રાખે.” મહારાજા ભીમદેવે વચમાં કહ્યું.
વિમળશાહને મહારાજની ભાષામાં ને ભાવમાં કાંઈક ફેર લાગ્યો, પણ ઉતાવળે અભિપ્રાય ન બાંધતાં પ્રશ્ન કર્યો :
“મંત્રીરાજ, બતાવો તો ખરા કે રાજનું કેટલું લેણું છે ?”
“તમારા દાદા હિરના વખતનું છે. છપ્પન લાખ ટંકા નીકળે છે. જુઓ, આથી નારાજ ન થશો. તમારા મનમાં ઇનામની આશા હશે, પણ પહેલાં ચોપડા ચોખ્ખા કરીએ. બક્ષિસ લાખની, પણ હિસાબ કોડીનો.”
“ટાઢા ડામ ન દેશો, મંત્રીરાજ ! તેજોદ્વેષ તમને આમ બોલાવે છે. માટે દેવું પિ ન હોય. હશે તો તે ભરપાઈ થઈ ગયેલું હશે. આ મારા ઉપર જૂઠું આળ છે.”
-
“વિમળશાહ ! ઉતાવળમાં આડુંઅવળું બોલી ન નાખો ! તમે કે હું જુઠ્ઠા ઠરીએ, પણ ચોપડા - રાજકારભાર - જુઠ્ઠો ન ઠરી શકે !” મહારાજાએ સહેજ ૩૪ ૨ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org