________________
૯
દાવ પર દાવ મહારાજા ભીમદેવ અંતઃપુર તરફ જતા હતા. સાથે અનુચર વર્ગ હતો. એક ણાએ કહ્યું, “મહારાજ ! જે વાઘથી ડરતો નથી, જે મલ્લથી પાછો પડતો નથી, એ પુરુષ કોનાથી ડરે ?”
“અરે, આજ તો એણે ગુજરાતનું નાક રાખ્યું. વિમળશાહ ખરેખર, વીરત્વનો ભંડાર છે.” મહારાજા ભીમદેવે ભોળાભાવે કહ્યું.
“મારાજ ! હમેશાં વખાણી ખીચડી ઘંતે ચોટે છે. વિમળશાહનાં બહુ વખાણ ન કરશો. સેના તો એના નામ પાછળ ઘેલી છે. સેનાપતિઓ પણ આપના કરતાં એનાં વધુ વખાણ કરે છે.”
“તે એમાં શું ? યોગ્યનાં વખાણ જરૂર થાય, થવાં જોઈએ.”
“ગુર્જરેશ્વર ! આપ ભોળા છો. પવિત્ર માણસને પૃથ્વી પર ક્યાંય પાપ દેખાતું નથી. આપે એનો મહેલ જોયો ? રાજાના રાજમહેલને ઝાંખો પાડી દે તેવો હતો ને ! અને એને પાઘડી ફેરવતાં જરા પણ વાર ન લાગે, હો. વાણિયાવાણિયા ફેરવી તોળ !”
૩૨ : મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org