________________
પોલાદી પંજા પાટણ ઉપર મધ્યાહ્નનો સૂર્ય તપતો હતો. દરબાર ભરાયો હતો. મહારાજા પણ આજે જલદી આવીને બિરાજી ગયા હતા. વિમળશાહ હમણાં જ આવ્યા હતા.
અચાનક બૂમો સંભળાણી : “હો, હો, વાઘ છૂટ્યો ! વાઘ નાઠો !” મહારાજ એકદમ ઊભા થઈ ગયા ને બૂમો પાડવા લાગ્યા : પકડો ! પકડો ! મારી રાંક પ્રજાને એ મારી ખાશે !”
“સ્વામી, આજ્ઞા !” વિમળશાહ ઊભા થઈ ગયા. વીર પુરુષ કદી હાક પચ્ચે બેઠો રહે ખરો ?
મહારાજા બેબાકળા બની બોલવા લાગ્યા : “અત્યારે આજ્ઞાની રાહ ન હોય ! વિમળશાહ, જાઓ જલદી કરો !”
વિમળશાહે પળવારમાં શસ્ત્રો સંભાળ્યાં ને છલાંગ મારી નીચે ઊતરી આવ્યા.
૨૬ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org