________________
-
ઘેર છે ! હાથી, ઘોડા ને લાવલશ્કર પણ ઘણું છે.”
“વધારે હાથી-ઘોડા રાખીને એ શું કરશે ?”
“મહારાજ ! ભૂલ થતી હોય તો ક્ષમા કરશો, અમારા મત પ્રમાણે તો એને ગાદીપતિ થવાના કેડ જાગ્યા લાગે છે.”
એમ કે ?”
હ, મહારાજ જેના બાપદ્યદા મંત્રી હોય એનો દિકરો રાજ્યનો ધણી કેમ ન થાય ? ધકાને બાપથી સવાયા થવાના કોડ તો હોય જ ને !”
અધિકારીઓએ આવી-આવી ઘણી આડીઅવળી વાતો કરી-કરીને રાજાના કન ભંભેર્યા. એક તો મહારાજા ભીમદેવ પોતે ભોળા સ્વભાવના, તેમાં વળી રાજા એટલે બનતાં સુધી કાચા મનના ! વફાધર વિમળશાહ ઉપર એક ક્ષણમાં મહારાજાનો ભાવ કંઈક ઓછો થઈ ગયો.
એમણે કહ્યું : “ઠીક, મારે એનું ઘર જોવું પડશે !”
બપોર થયા ને વિમળશાહ રાજસભામાં આવ્યો. મહારાજાના મનમાં પેલો વિચાર ઘોળાતો હતો. વિમળશાહના આવતાની સાથે જ તેમણે પ્રશ્ન કર્યો :
વિમળશાહ ! ઘણા વખતથી મારો વિચાર તમારું ઘર જોવા આવવાનો છે. આજ મન પણ જરા સુસ્ત છે. ચાલો, તમારે ત્યાં જઈએ. મનને થોડોક વિનોદ પણ મળશે.”
મહારાજ ! આપ મારે આંગણે પધારો એનાથી રૂડું બીજું શું ? આપનાં પગલાંથી તો મારું ઘર પાવન થશે. સાંજનું ભોજન પણ ત્યાં લેવાય તો મોટી કૃપા થાય !”
જેવી તમારી ઇચ્છા, વિમળશાહ, ચાલો, વાહન મંગાવો !” વિમળશાહને મહારાજાની આટલી ઉતાવળ જોઈને મનમાં વિચાર થયો કે કંઈ નવું તૂત તો જાગ્યું નથી ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે “રાજાની મિત્રતા કોણે દિઠી અને કોણે સાંભળી ?”
છતાં ન્યાયી મનુષ્યોને ભય ઓછો હોય છે. વિમળશાહને પોતાના વહેમમાં કંઈ વજૂદ જેવું ન જણાયું.
ઈર્ષાની આગ - ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org