________________
મને સાથે લઈ જશો ?”
“દેવી ! તમારો સહવાસ લેને ન ગમે ? પણ રાજઆજ્ઞા છે કે લડાઈમાં સ્ત્રી સાથે ન રહી શકે.”
શ્રીદેવીના મનનું સમાધાન થયું. તે પતિને વિદ્યય આપવાની તૈયારી કરવા હસતે મુખડે ત્યાંથી ચાલી ગઈ.
મધરાતનો ચંદ્ર પાટણને માથે અજવાળાં વેરતો હતો. ઘરોમાં હજીયે ધમાલ ચાલી રહી હતી.
પૂર્વ દિશામાં સૂરજ મહારાજે લેર કઢી ને પાટણના બજારોમાં રણભેરીઓ ગાજવા લાગી. નોબતો ગડગડવા લાગી.
કપાળમાં કુમકુમનું લાંબું તિલક તાણી લડવૈયાઓ મેદાનમાં એકઠા થવા લાગ્યા.
મુખ્ય સેનાપતિ તરીકે મહારાજા ભીમદેવ પોતે હતા. વિમળશાહ તથા રાજ્યના બીજા શૂરવીર ભાયાતો તેમજ સામન્તો પણ સાથે જ હતા.
મારાજા સેના સાથે કૂચ કરતા પંચનદને તીરે આવી પહોંચ્યા. પણ ભલભલા મર્દોની હિંમત તોડી નાખે તેવી સિધુ સાગરની જેમ ઉછાળા મારી રહી હતી. છતાં ભીમદેવ હિમત હારે તેવા નહોતા.
પથ્થરો અને ઝાડોથી પુલ બાંધવો શરૂ ર્યો. “ઝાઝા હાથ રળિયામણા.” જોતજોતામાં પુલ બંધાઈ ગયો. બધા સાવચેતીથી સામે પાર પહોંચ્યા.
હમીર સુમરો ત્યાં તૈયાર ખડો હતો. ભયંકર યુદ્ધ મચ્યું. પાટણનું સૈન્ય પ્રથમ તો જરા પાછું કહ્યું, પણ મારાજાને સરદારો સાથે મોખરે આવેલા જોઈ ફરી જોરથી લડાઈ શરૂ થઈ.
એવામાં અચાનક મહારાજા અને હમીર સામસામા આવી ગયા. હમીરે વંદ્વયુદ્ધની માગણી કરી. મહારાજા તૈયાર થયા.
ઉપરાછાપરી ધવો રમાવા લાગ્યા. હમીરે પ્રચંડ વેગથી મહારાજા ઉપર ભાલો ફેંક્યો, પણ મહારાજાએ નિશાન ચૂકવ્યું ને તરત જ તલવારના ઝાટકથી હમીરના હાથ કાપી નાંખ્યા.
૨૦ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org