________________
જીવનસંધ્યા જ સૂરજ સવારે ઊગે છે, એ બપોરે પ્રખર કિરણો પ્રસારે છે. માંડી મીટ મંડાતી નથી.
એ જ સૂરજ સાંજે પશ્ચિમ આકાશમાં શાંત થઈને ડૂબતો હોય છે. કેવી શીળી એની છાયા હોય છે ! કેવાં સોનલવર્ણા એનાં કિરણ હોય છે ! જાતનાં અજવાળાં કરી જગતને પ્રકાશ આપ્યાનો એના મોં પર આનંદ હોય છે.
ઉત્થાન, મધ્યાહ્ન ને વિરમ-સંસારની ત્રણત્રણ સ્થિતિઓ વિમળશાહે શોભાવી હતી.
વિમળશાહને બધું સાંપડ્યું હતું.
ચૌદ વર્ષની તપશ્ચર્યા પછી, અઢાર કરોડ અને તેપન લાખ રૂપિયાના બાદશાહી ખર્ચ પછી, દેવવિમાન જેવા મનોહર દેવમંદિરનું નિર્માણ વિમળશાહને કર્તવ્યસિદ્ધિ જેવું લાગ્યું.
હવે બધું છોડી વિમળશાહ તથા શ્રીદેવીએ ધર્મકાર્યોમાં ચિત્ત પરોવ્યું; અતિથિઓની આગતાસ્વાગતા વધુ ને વધુ કરવા માંડી.
૮૮ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org