SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ to૮ યોગ્ય પરંપરા પણ તેઓએ જણાવી છે, જે આ પ્રમાણે છે— ૧. આર્ય સુધર્મા, ૨. આર્ય જંબૂ, ૩. આર્ય પ્રભવ, ૪. આર્ય શય્યભવ, ૫. આર્ય યશોભદ્ર, ૬. આર્ય સંભૂતિવિજય, ૭. આર્ય ભદ્રબાહુ, ૮. આર્ય સ્થૂલિભદ્ર, ૯. આર્ય મહાગિરિ, ૧૦. આર્ય સુહસ્તિ, ૧૧. આર્ય બલ્લિસહ, ૧૨. આર્ય સ્વાતિ, ૧૩. આર્ય શ્યામ, ૧૪. આર્ય ષાંડિલ્ય, ૧૫. આર્ય સમુદ્ર, ૧૬. આર્ય મંજૂ, ૧૭. આર્ય નંદિલ, ૧૮. આર્ય નાગહસ્તિ, ૧૯. આર્ય રેવતીનક્ષત્ર, ૨૦. આર્ય સિંહસૂરિ, ૨૧. આર્ય સ્કંદિલ, ૨૨. આર્ય હિમવંત, ૨૩. આર્ય નાગાર્જુન, ૨૪. આર્ય ભૂતદિન્ન, ૨૫. આર્ય લોહિત્ય, ૨૬. આર્ય દુષ્યગણ, ૨૭. આર્ય દેવર્કિંગણિ. આ દેવર્કિંગણિએ બીજા ગ્રંથો પણ લખ્યા છે. તેમાંના કેટલાકનાં નામો નીચે પ્રમાણે છે— ચૌદ પૂર્વોમાંથી ઉદ્ધરેલા-(૨) સિદ્ધપ્રામૃત, સંસક્તનિર્યુક્તિ, કર્મપ્રકૃતિ, શતક (પંચસંગ્રહ, સપ્તતિકા, શતક), જીવસમાસ, યોનિપ્રામૃત, (૫) નયચક્ર, (૬) વાક્યશુદ્ધિ, (૭) ધર્મપ્રજ્ઞપ્તિ, (૮) પરિગ્રહ અધ્યયન, પિન્ટુષણા, (૯) ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિકનાં છૂટાં સાત અધ્યયનો, ચાર છેદઆગમી, કલ્પસૂત્ર, પંચકલ્પ, સ્થાપનાકલ્પ, (૧૦) પ્રતિષ્ઠાકલ્પ વગેરે. વલભીમાં આગમવાચના થઈ તેથી તે આગમતીર્થ મનાય છે. અહીં આ ઇતિહાસને યાદ આપતું ભવ્ય ગુરુમંદિર પણ છે. આ દેવર્ધિગણિના સ્વર્ગવાસનો ઉલ્લેખ મળતો નથી, પણ તેઓ અંતિમ પૂર્વધર હતા અને પૂર્વજ્ઞાનનો વિચ્છેદ વીરનિર્વાણ સં. ૧૦૦૦માં થયાનો ઉલ્લેખ આગમોમાં છે, એ આધારે તેમનો સ્વર્ગવાસ પ્રાયઃ વી.નિ.સં. ૧૦૦૦માં થયો હતો. અચલગચ્છપ્રવર્તક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ આચાર્ય આર્યરક્ષિતસૂરિ સુવિહિતમાર્ગી પરંપરાના પક્ષકાર હતા, અચલગચ્છના પ્રવર્તક હતા. આર્યરક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગચ્છના (વડગચ્છના ૪૬મા પટ્ટધર) આચાર્ય જયસિંહસૂરિ હતા. શ્રી આર્યરક્ષિતસૂરિ પ્રાગ્ધાટ (પોરવાડ) ગોત્રના હતા. તેમના પિતાનું નામ દ્રોણ અને માતાનું નામ દેદી હતું. તેમનો જન્મ આબુ પાસેના દંતાણી ગામમાં વિ.સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના થયો હતો. તેમનું સંસારી નામ વયજા (ગોદુહકુમાર) હતું. બાળક વયજાનાં માત-પિતા જૈનધર્મ પ્રત્યે અગાધ Jain Education International For Private ચતુર્વિધ સંઘ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાર્ય જયસિંહસૂરિ દંતાણી ગામે પધાર્યા. શ્રેષ્ઠી દ્રોણે ભક્તિભાવથી પોતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યો. શ્રી જયસિંહસૂરિ વયજાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ.સં. ૧૧૪૨ના વૈશાખ સુદ ૮ના દિવસે બાળક વયજાને મુનિદીક્ષા આપી અને તેમનું નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું. મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યું અને મંત્ર-તંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ.સં. ૧૧૫૯ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્ય પદ પ્રદાન કરી શ્રી આર્યરક્ષિતસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યા. આગમપાઠોનો અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યું કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે, એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પોતાના મામા મુનિશ્રી શીલગુણ સાથે પૂનમિયાગચ્છમાં પ્રવેશ કર્યો. આ ગચ્છમાં રહેતાં તેમણે ભાલેજ ગામના શેઠ યશોધવલ ભંસાલીને કુટુંબ સાથે જૈન ધર્મી બનાવ્યા. પુનમિયાગચ્છમાં આર્યરક્ષિતસૂરિ વિજયચંદ્ર નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાંક વર્ષ પછી ફરીથી નાણાવાલગચ્છમાં આવ્યા. વળી તેમની ખ્યાતિ આર્યરક્ષિત નામે થવા લાગી. ગચ્છ-પરિવર્તન કરવાથી પણ તેમને સંતોષ ન થયો. આથી નાણાવાલગચ્છમાં રહીને જ તેમણે ક્રિયોદ્ધાર કર્યો અને નવા નિયમો બનાવ્યા. વિ.સં. ૧૧૬૯માં તેમણે વિધિપક્ષગચ્છની અને વિ.સં. ૧૨૧૩માં અચલગચ્છની સ્થાપના કરી. અચલગચ્છે ચૈત્યવાસીઓ દ્વારા પોષિત શિથિલાચાર વિરુદ્ધ ક્રાંતિકારક પગલું ભર્યું. શ્રાવકોને પૌષધ તથા સામાયિકની ક્રિયા કરતી વખતે વસ્તુવિશેષ મુખવસ્ત્રિકા રૂપે અંચલ વિશેષ રાખવાનો નિર્દેશ કર્યો. પટ્ટાવલીઓમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાટણમાં ગુર્જરનરેશ કુમારપાળની સભામાં વિરાજમાન શ્રી આર્યરક્ષિતસૂરિને તેમના ભક્ત મંત્રી કદર્ષિએ પોતાના ઉત્તરાસંગ (ખેસ)ના એક છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરીને વસ્ત્રાચલથી વંદના કરી. ત્યારથી આ વિધિપક્ષને રાજા કુમારપાળ દ્વારા અંચલગચ્છ એવું સૂચક નામ અપાયું. અંચલગચ્છમાં મહત્તરાપદ પર સાધ્વી સમયશ્રીની સ્થાપના થઈ. તેમણે લક્ષ્મીસંપન્ન પરિવારને છોડી ૨૫ બહેનો સાથે આર્યરક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ ગુજરાત, સિંધ, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કર્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy