SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ગણધરોનો પ્રેરક પરિચય ગણધરો ભગવંતના મુખ્ય શિષ્યો હોય છે. તેમને ધર્મગણના ધારણ કર્તા હોય છે. તેઓ બધાજ દ્વાદશાંગીરૂપ યોગના ધારક હોય છે. ગણ એટલે સમાન વાચના ગ્રહણ કરતા શિષ્યોનો સમૂહ. આવા ગણને ધારણ કરનાર મહાત્માને ગણધર કહેવામાં આવે છે. ગણધર નામ કર્મના ઉદયથી તેઓ આ પદ પામે છે. Fo પ્રત્યેક તીર્થંકરોના મુખ્ય શિષ્યો ગણધરો હોય છે. આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં ૧૪૫૨ ગણધરો થયાની વાત પ્રસિદ્ધ છે. તેમાં અંતિમ તીર્થપતિ ભગવંત મહાવીરના ૧૧ ગણધરો થયા. પ્રસ્તુત લેખમાળામાં ૧૧ ગણધરો વિષયક આછેરી ઝલક જોવા મળે છે. ૧. શ્રી ગૌતમ ગણધર : તેમણે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ, એકાવનમાં વર્ષે દીક્ષા ગ્રહણ કરી. ત્રીશ વર્ષ સુધી છદ્મસ્થ ભાવે પ્રભુ શ્રી વીરની સેવા કરી. આત્માને નિર્મળ કર્યો. ૮૧મા વર્ષના પ્રાંરભમાં તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. પોતાનો નિર્વાણસમય નજીક જાણીને પ્રભુ મહાવીર દેવે ‘ગૌતમનો મારી ઉપર અત્યન્ત રાગ છે માટે મારાથી દૂર હશે તોજ તેને કેવળ જ્ઞાન થશે' તેમ જાણીને નજીકના કોઈક ગામમાં રહેતા દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. પ્રતિબોધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે પ્રભુના નિર્વાણ-કલ્યાણક માટે આવેલા દેવોના કહેવાથી, પ્રભુશ્રી મહાવીરના નિર્વાણ સમાચાર જાણ્યા. તેમને અસહ્ય ખેદ થયો. ખિન્ન હૃદયે, ‘મહાવીર’ ‘મહાવીર’ શબ્દનો મોટે સ્વરે જાપ કરવા લાગ્યા. ‘વીર’ ‘વીર' Jain Education International —આ. શ્રી વિજયપદ્મસૂરિજી મ.સા. જ્યારે બારમું અંગસૂત્ર વિદ્યમાન હતું ત્યારે તેમાં ગણધર કંડિકા નામક વિભાગ હતો, તેમાં ગણધર વિષયક પૂર્ણ માહિતી ઉપલબ્ધ હતી; પણ બારમું અંગ વિચ્છેદ પામતા હવે એ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. આચાર્ય પણ કહે છે. તેઓ અનુત્તર દર્શન, જ્ઞાનાદિ શ્રુતના રચિયતા હોય છે. બીજબુદ્ધિ સમ્યક્ત્વથી અનેક શ્રી ગૌતમસ્વામી ભ૦ મહાવીરસ્વામીના દેવના પ્રથમ ગણધર હતા પરંતુ ભગવાન મહાવીરના કુલ અગિયાર ગણધર હતા અને તે સર્વ જ્ઞાની-તપસ્વી ભવ્યાત્માઓ હતા. ગૌતમ ગણધર સાથેના અન્ય ગણધરો વિષેની માહિતી ગૌતમસ્વામીના ચરિત્ર આસપાસના આભામંડલ જેવું રૂપ ધારણ કરે છે. જેમ કમળથી સરોવર અને સરોવરથી કમળ શોભાયમાન બને છે તેમ, ગુરુ ગૌતમના ચરિત્રની રેખાઓ અન્ય ગણધર ચરિત્રથી વધુ દૈદીપ્યમાન બને છે. આવશ્યક સૂત્ર, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રંથોને આધારે પ્રભુ વીરના અગિયાર ગણધરોના પરિચય સાથે લબ્ધિઓનું રસમય વર્ણન પણ અત્રે ઉપસ્થિત થયેલું છે. For Private Personal Use Only એમ બોલતાં બોલતાં કંઠ ને તાલુ સુકાવા લાગ્યાં. છેવટે એકલો ‘વી' શબ્દ જ બોલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હોવાથી વી' શબ્દથી શરૂ થતા, અનેક સ્તુતિસૂચક શબ્દો તેમને યાદ આવ્યાં. છેવટે વીતરાગ શબ્દની વિચારણા કરતાં તેમણે જાણ્યું કે પ્રશસ્ત સ્નેહ પણ મોક્ષ પામવામાં વિઘ્નકર્તા છે. એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા. ખરેખર હું ભૂલ કરું છું. પ્રભુ તો વીતરાગી છે. એમને મારા ઉપર રાગ હોય જ શેનો? ખરેખર હું જ મોહમાં પડ્યો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલો છું, મારું કોઈ નથી. તેમ હું કોઈ નો નથી’ એમ વૈરાગ્ય ભાવના ભાવવાપૂર્વક ક્ષાયિક સમ્યગૂષ્ટિવાળા શ્રી ગૌતમ સ્વામી આસો વદ અમાસની પાછલી રાતે ધ્યાનાન્તરીય સમયે લોકાલોક પ્રકાશક-કેવળજ્ઞાન પામ્યા. બાર વર્ષ સુધી જગતની ઉપર વિચરી, ઘણાં ભવ્ય www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy