SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સિંહસેન નામે રાજા હતો. તેને સુયશા નામની પ્રિયા હતી. તે અવસરે પદ્મસ્થ રાજાનો જીવ પ્રાણત દેવલોકથી ચ્યવીને શ્રાવણ કૃષ્ણ સપ્તમીએ માતા સુયશાની કુક્ષિમાં અવતર્યો. અવસર પૂર્ણ થયે વૈશાખ કૃષ્ણ ત્રયોદશીએ માતા સુયશાએ ઇક્ષ્વાકુ વંશમાં સૂર્ય સમાન, સુવર્ણ જેવી કાંતિવાળા અને શ્યુન પક્ષીના લાંછનવાળા ચૌદમા તીર્થંકરરૂપ પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર ગર્ભમાં હતા ત્યારે વૈરીના અનંતબળને પોતે જીત્યું હતું. તેથી પિતાએ તેનું અનંતજિત એવું નામ પાડ્યું. પંદર લાખ વર્ષ પ્રભુએ રાજ્ય પાળ્યું. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ હજાર રાજા સાથે છટ્ટ તપમાં રહેલા સ્વામીએ સહસ્રામ્રવનમાં પ્રવજ્યા અંગીકાર કરી. બીજે દિવસે વર્ધમાન નામના નગરમાં વિજય નામના રાજાને ઘેર પ્રભુએ પ૨માન્ન વડે પારણું કર્યું. છદ્મસ્થ અવસ્થાએ ત્રણ વર્ષ અન્ય સ્થળે વિહાર કરીને ફરીથી સહસ્રામ્રવણ ઉધાનમાં આવીને અશોક વૃક્ષની નીચે રહેલા શ્રી અનંતજિત જિનેશ્વર વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ કેવળજ્ઞાન પામ્યા. ત્રણ મુખવાળો, રક્ત વર્ણવાળો અને મકરના વાહનવાળો પાતાલ નામનો યક્ષ હતો તથા ગૌર અંગવાળી અને કમળના આસનવાળી અંકુશા નામની દેવી હતી. વ્રત ગ્રહણ કર્યા પછી સાડા સાત લાખ વર્ષ ગયાં ત્યારે ચૈત્ર માસની શુલ પંચમીએ સંમેત પર્વત ઉપર હજાર સાધુઓ સહિત એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા અનંતનાથ ભગવાન અવ્યય પદ (મોક્ષ)ને પામ્યા. ગુજરાતી ચૈત્ર વદી-૧૩ જન્મકલ્યાણક મોક્ષકલ્યાણક ચૈત્ર શુદ-પ કાવીમંડન : સુવ્રતાનંદન શ્રી ધર્મનાથ સ્વામી-ચરિત્ર મારવાડી વૈશાખ વદ-૧૩ જંબૂદ્દીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નામનું નગર છે. ત્યાં ભાનુ નામે રાજા હતો, તેને સુવ્રતા નામની પ્રિયા હતી. તે અવસરે દેઢરથ રાજાનો જીવ વૈશાખ માસની શુક્લ સપ્તમીએ વૈજયંતથી ચ્યવીને તે માતા સુવ્રતાની કુક્ષિમાં અવતર્યો. પૂર્ણ સમયે માઘ માસની શુક્લ તૃતીયાએ સુવ્રતાદેવીએ વજ્રના લાંછનવાળા ઇક્ષ્વાકુ વંશના ધ્વજ સમાન અને સુવર્ણ સરખી કાંતિવાળા પંદરમાં તીર્થંકર પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ધર્મકર્મનો દોહદ થયો હતો. તેથી ભાનુ રાજાએ તેનું ધર્મ એવું નામ કર્યું. માઘ માસની શુક્લ ત્રયોદશીએ હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપમાં રહેલા શ્રી ધર્મનાથ ભગવાને પ્રવજ્યા અંગીકાર કરી. બીજે Jain Education International દિવસે સૌમનસ નામના નગરમાં ધર્મસિંહ રાજાના આવાસમાં પ્રભુએ પરમાત્ન વડે પારણું કર્યું. છદ્મસ્થપણામાં રહેલા પ્રભુએ બે વર્ષ અન્યત્ર વિહાર કરીને ફરીથી વપ્રકાંચન નામના ઉદ્યાનમાં આવી ધ્યાનનો આશ્રય કર્યો. પોષ માસની પૂર્ણિમાએ છઠ્ઠની તપસ્યાવાળા સ્વામી કેવળજ્ઞાન પામ્યા. શ્રી ધર્મનાથ શાસનને વિષે ત્રણ મુખવાળો, કૂર્મના વાહનવાળો અને અરુણ (રાતી) કાંતિવાળો કિન્નર નામનો યક્ષ હતો તથા ગૌર અંગવાળી અને મીનના વાહનવાળી કંદર્પ નામની દેવી હતી. વ્રતના કાળથી અઢીલાખ વર્ષ ગયાં ત્યારે જ્યેષ્ઠ માસની શુક્લ પંચમીએ સંમેત પર્વત ઉપર આઠ સો સાધુઓ સાથે એક માસના અનશનવાળા પ્રતિમાએ ઊભા રહેલા શ્રી ધર્મનાથ પ્રભુ સિદ્ધિપદને પામ્યા. જન્મકલ્યાણક મહા શુદ-૩ મોક્ષકલ્યાણક જેઠ શુદ-૫ હસ્તિનાપુરમંડન : અચિરાનંદન શ્રી શાંતિનાથ પ્રભુ-ચરિત્ર Че જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં વિશ્વસેન નામે રાજા હતા. તેને અચિરા નામની પ્રિયા હતી. તેની કુક્ષિમાં ભાદ્રપદની કૃષ્ણ સપ્તમીએ મેઘરથ રાજાનો જીવ સવાર્થ સિદ્ધિથી અવતર્યો. ત્યાર પછી જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીએ અચિરા દેવીએ ઇક્ષ્વાકુ વંશના તિલક સમાન, મૃગના લાંછનવાળા, સુવર્ણ જેવી કાંતિવાળા સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તીરૂપ પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પ્રથમ ઉત્પન્ન થયેલા અશિવો (ઉપદ્રવો) શાંત થયા હતા; તેથી પિતાએ સ્વામીનું શાંતિ એવું પ્રસિદ્ધ નામ કર્યું. છટ્ટની તપસ્યાવાળા સ્વામીએ હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે પ્રભુએ મંદિર નામના નગરમાં સુમિત્ર રાજાના ઘેર પરમાત્ન વડે પારણું કર્યું. બાર માસ છદ્મસથ અવસ્થાએ પ્રભુ અન્યત્ર વિહાર કરીને ફરીથી તે જ દીક્ષાના સ્થાનરૂપ સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. પોષ માસની શુક્લ નવમીએ નંદિવૃક્ષની નીચે પ્રતિમાએ રહેલા છટ્ટના તપવાળા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ભૂંડ જેવા મુખવાળો અને હાથીના વાહનવાળો ગરુડ નામનો યક્ષ હતો તથા ગૌર અંગવાળી અને વિકસ્વર કમળના આસનવાળી નિર્વાણી નામની શાસનદેવી હતી. જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીના રોજ સંમેત પર્વત ઉપર નવ સો સાધુઓ સહિત એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા શ્રી શાંતિનાથ ભગવાન દિવસના પ્રારંભે નિર્વાણ પામ્યા. સૌજન્ય : શ્રી રમેશભાઈ ફકીરચંદ શાહ ઃ ઝાલાવાડ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, બૃહદ્ મુંબઈ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy