________________
(૪૪)
એ વખતે મારા મનમંદિરમાં એક સુંદર સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. આ પ્રાચીનતમ તીર્થનો શૃંખલાબદ્ધ ઇતિહાસ, આ ધર્મની ઉજ્વળ યશોગાથા અને દૈવીપ્રભાવ પાથરનારી ચમત્કારિક ઘટનાઓનું સંકલન કરી યથાયોગ્ય સમયે પ્રકાશન કરવાની પણ એક ઝંખના સેવી હતી. એ વખતે એ કલ્પનાના તરંગોવાળું એક સ્વપ્ન જ હતું, પણ સાહિત્યક્ષેત્રે ચાર દાયકાની મજલ પછી આજ એ સોનેરી સ્વપ્નાનો સાક્ષાત્કાર થતો જોઈને મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી ભગુભાઈ તથા માતુશ્રી સંતોકબાને પણ મનોમન વંદી લઉં છું, જેમનું જીવન વૈરાગ્યપ્રધાન હતું, શ્રાવકના આચારધર્મનું જેમણે અક્ષરશઃ પાલન કર્યું હતું.
સંસ્કાર અને સૂઝ માત્ર અભ્યાસથી પ્રાપ્ત થતાં નથી, તે તો સંતાનોને વારસામાં મા-બાપ તરફથી જ મળતાં હોય છે. વાચન, મનન અને વક્નત્વનો ગળથુથીમાંથી મળેલી આ સંસ્કારવારસો અને જે વારસાનું અમારે મન ભારે મોટું ગૌરવ હતું અને છે.
જન્મ બારોટ (બ્રહ્મભટ્ટ) પણ ધર્મ જૈન આચારવિચાર. જૈન ધર્મ પરત્વેની અખૂટ દિલચસ્પી અને અમારી અનન્ય આસ્થાને લઈને આવા એક મહાન પવિત્ર અને ધાર્મિક પ્રકાશનનું સંપાદન કરવાનું વિરાટ આયોજનજે મારી શક્તિ બહારનું ગણાય. છતાં પરમપુજ્ય આચાર્ય ભગવંતો, જૈન શ્રેષ્ઠીવર્યો અને સાક્ષરોના સહયોગની અપેક્ષાએ આ કામ હાથમાં લીધું. સૌની સભાવના અને પ્રેમલાગણીનું આ પરિણામ આપ સૌનાં ચરણકમળમાં સાદર રજૂ કરું છું. બારોટો સરસ્વતી-શારદાના પુત્રો ગણાય છે. વડવાઓના કલા-સંસ્કાર, સાહિત્યનાં અમીસિંચન અને વહાલભર્યા કટુંબના સથવારાએ જ આજે મને ઊજળો કરી બતાવ્યો અને કોઈક દૈવી શક્તિએ જ આ આયોજન સિદ્ધ થ
અભ્યાસકાળ પછી એકાદ દાયકા સુધી ભાવનગર જિલ્લાના સક્રિય રાજકારણમાં કામ કર્યું. ભાવનગર જિલ્લા કોંગ્રેસના યુવક-સંગઠક અને તળાજા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકેની કામગીરી દરમિયાન ૧૯૫૬થી ૧૯૬૪ સુધી અખબારી પ્રતિનિધિત્વનો બહોળો અનુભવ મળ્યો. પત્રકારિતાના ક્ષેત્રમાં તો મારું મન હંમેશાં હિલોળે ચડતું. સમાજજીવનના સળગતા સવાલોને વાચા આપવા હંમેશાં નવચેતના પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થતી.
એ અરસામાં ભાવેણાના પ્રજાવત્સલ મહારાજ પુણ્યશ્લોક શ્રી કૃષ્ણકુમારસિંહજીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંડાણ કર્યા. જિલ્લાનાં યુવક-યુવતીઓને યાત્રા-પ્રવાસો કરાવ્યાં, રાજ્યકક્ષાની ગ્રીષ્મ-શિબિરોનું સંચાલન કર્યું અને તે દ્વારા ઘણો જનસંપર્ક સધાયો.
૧૯૬૪માં રાજકારણનો સદંતર ત્યાગ કર્યો ત્યાં સુધીમાં સારાનરસા અનેક અનુભવોનું ભાથું મળી ચૂક્યું હતું. સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી બળવંતભાઈ મહેતાની અંગત સલાહથી ૧૯૬૪થી ૧૯૮૦ સુધીના સમયમાં ગેઝેટિયર કક્ષાના વિવિધ માહિતીપ્રચુર એવા અસ્મિતા ગ્રંથશ્રેણીના (ભાવનગરથી માંડીને વિશ્વના વ્યાપને આવરી લેતા) ઘણા સંદર્ભગ્રંથોનું યશસ્વી પ્રદાન કર્યું, જે ગ્રંથો ગુજરાતના ગ્રંથભંડારોનાં આભૂષણ જેવા બની રહ્યા છે.
૧૯૮૦માં મુંબઈ મુકામે ભારતીય વિદ્યાભવનમાં જ્યોતિષાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરક નિશ્રામાં યોજાયેલા પ્રકાશન-સમારોહ પ્રસંગે કેટલાક જૈન અગ્રણીઓએ પોતાનાં સુંદર વક્તવ્યો દરમિયાન કરેલા સૂચન અન્વયે પ્રેરાઈને જૈનશાસનનાં વહેણો અને જૈનધર્મની મશાલને વિસ્તૃત ફલક ઉપર નવા જ સ્વરૂપે, નવી જ ક્ષિતિજ દોરીને, એક નવી જ કેડી કંડારવાનો (આ ગ્રંથનું સંપાદનકાર્ય કરવાનો) અવસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org