SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) મળ્યો છે અને વર્ષો પહેલાંનું મારું સ્વપ્ન સાકાર બની રહ્યું છે ત્યારે અનહદ આનંદ અનુભવું છું. એક જૈનેતરને હાથે આ ગ્રંથનું સંપાદન થઈ રહ્યું છે તે જાણીને આપ સૌને આનંદ થશે જ. • પાવનકારી અને મહા મંગલકારી એવી છે જે પ્રતિભાઓના પ્રસંગોનું આ ગ્રંથમાં અવલોકન કરવામાં આવ્યું છે તેને વિવેકી વાચકો અનુમોદિત કરીને આત્મકલ્યાણ સાધે એવી શુભ ભાવનાથી કરેલા આ સાહસને સૌ કોઈ આવકાર આપશે જ એવી આશા રાખું છું. - આ સારગર્ભિત સાહસ પાછળની એક બીજી પણ નેમ રહેલી છે. જૈનેતર દૃષ્ટિએ પણ જૈનદર્શન કેવું છે, જેનેત્તરો આ ધર્મને કયા દૃષ્ટિકોણથી જુએ છે અને અન્ય ધર્મોની હરોળમાં જૈન ધર્મશાસન ક્યાં ઊભું છે એ પણ દર્શાવવાનો આ જૈનેતર સંપાદકનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે. સંસ્કૃતિના ઉત્થાનકાર્યમાં જે જે પ્રભાવક પ્રતિભાઓનો યશસ્વી ફાળો નોંધાયો છે તેવા સર્વગ્રાહી ચિત્રને યથાયોગ્ય રીતે પ્રકાશિત કરવાની શુભ ભાવનાથી પ્રેરાઈને આ પ્રકાશનની હરણફાળ ભરી છે. જેનોએ પોતાના ઊજળા વારસાને કેવી સુંદર રીતે દીપાવ્યો છે, એ આપણે આ ગ્રંથનાં પાનાંઓ ઉપરથી જોઈ શકીશું. ૦ જ્ઞાન અને તપમાં તેજસ્વી ધર્મચેતનાઓઃ ચિરંજીવ સંસ્મરણો અને ધર્મસંસ્કારનો વારસો જૈનશાસનના ઇતિહાસનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે જરૂર પ્રતીતિ થાય છે કે જિનેશ્વર ભગવંતોનાં પુનીત પગલાંથી પાવન બનેલી આર્યાવર્તની આ ભૂમિ ઉપર અનેક શીતલ અને સુમધુર પ્રસંગોનાં અમૃતઝરણાં સતત વહ્યા કર્યા છે. અનેક ધર્મસંપ્રદાયો અત્રે ઉદય પામ્યા અને પાંગર્યા, સદ્વિચાર અને સુકૃત્યો દ્વારા મુક્તિ મેળવીને આર્યદેશ અને આર્યકુળને સાર્થક કરનારી સંત કોટીની અનેક વિભૂતિઓ પોતાના જ્ઞાનતેજના ઝબકારાથી જૈન શાસનને અનોખી પ્રતિભા આપી ગઈ છે. તપશ્ચર્યા અને સાધનાની સુવાસથી મઘમઘતા અનેક સાધુ ભગવંતોએ જગતના ચોકમાં જૈન સંસ્કૃતિનું ભારે મોટું ગૌરવ વધાર્યું છે. ધર્મભાવનાને બળવત્તર બનાવનારાં પરિબળો અને પ્રતિભાઓએ આ અહિંસા-પ્રધાન મંગલ ધર્મના સબળ સત્ત્વને સૌન્દર્યમંડિત કર્યું છે. વર્તમાનકાળમાં પણ આ આયોજન અંગે એવા કેટલાયે વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના સંપર્કમાં આવવાનું બન્યું છે, જેમને આંગણે સદાકાળ મીઠાં અમૃતજળ અને અમૃતસમા આતિથ્યને માણવાનો લહાવો મળ્યો છે. - સંસ્કાર અને સંસ્કૃતિ એ કાંઈ માત્ર વાણીવિલાસ નથી, પણ એક પ્રેરક બળ છે. પુણ્યની અનંત રાશિ જ્યારે એકઠી થાય છે ત્યારે જ જૈનધર્મ જેવો ધર્મ મળે છે. જૈન પરંપરાએ સંસ્કાર-વારસાની આ દિવ્ય જ્યોતને સદાય ઝળહળતી રાખી વિશ્વના પ્રાંગણમાં પ્રગટાવી–પ્રસરાવી છે. ધર્મ-સંસ્કારનાં એ ચિરંતન શાશ્વત મૂલ્યો જૈનોના દૈનિક ક્રિયાકાંડમાં અને વ્યવહારમાં આજે પણ સારા પ્રમાણમાં સચવાઈ રહ્યાં છે; કારણ, એ મૂલ્યો તત્ત્વના દેઢ પાયા ઉપર રચાયેલાં છે. પ્રસંગે--પ્રસંગે ચિંતકોએ આવાં શાશ્વત મૂલ્યોને શાસ્ત્રોની મર્યાદામાં રહીને જનતા સમક્ષ આધુનિક સ્વરૂપે રજૂ કર્યા કરવાં જોઈએ અને તેમાંથી જ મુક્તિમાર્ગ ઉપર દોડવાની કોઈ ધન્ય પળો, પુણ્યપળો આપણને પ્રાપ્ત થાય છે. પ્રસંગોપાત ઊજવાતાં જૈનપર્વો જનસમાજને ઘણું ઘણું કહી જાય છે. પ્રશ્નોને સમજવા, સરળતા ખાતર આ અભ્યાસ સૌ કોઈને ઉપકારક બની રહે એવી શ્રદ્ધા સાથે આ પુરુષાર્થને જૈન પ્રજા મૂલવશે એવી પ્રાર્થના છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy