SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) થઈ છે. પેરિસ, બર્લિન, લંડન, ન્યૂયોર્ક વગેરે નગરોનાં જગવિખ્યાત મ્યુઝિયમોમાં જૈન ચિત્રકલાને વિશિષ્ટ સ્થાન અપાયું છે. દક્ષિણ ભારતની અદ્ભુત ચિત્રગુફાઓ તો સમગ્ર એશિયા ખંડનું ઘરેણું છે. ઇલોરાની જૈન ગુફાઓમાંનાં રંગીન ચિત્રો જગતભરના મ્યુઝિયમોમાં અને જૈનભંડારોમાં સંગ્રહાયેલાં હજારો રંગીન ચિત્રો અને સૂત્રો જૈનોનો ભવ્ય કલાવારસો છે. ભારતીય કલા--સાહિત્યને આખા એશિયામાં ટોચ ઉપર લઈ જાય એટલી અઢળક કલાસામગ્રી જૈન સાહિત્યમાં સચવાયેલી છે. ૭ શમણાંનો સાક્ષાત્કાર થયો પ્રાચીન–અર્વાચીન મંદિરોની નગરી પાલિતાણા મારું જન્મસ્થાન. આ પવિત્ર ભૂમિનાં અન્નજળથી આ શરીર પોષાયું, પણ એ જીવન-ઉછેર સંઘર્ષ અને કાળી ગરીબી વચ્ચે થયો. ઘરમાં અનાજનો દાણો ન હોય તો પણ એકાંતરા દિવસે બે-પાંચ સાધુ-બાવાઓને ભોજન કરાવવા નિમિત્તે ઘેર તેડી લાવવાની મારા પિતાશ્રી ભગુભાઈને મનમાં એક ગજબની ધૂન હતી. મારાં ધર્મપરાયણ માતુશ્રી સંતોકબા પાછલાં બારણેથી ઘરનાં ઠામવાસણ વેચીને પણ આંગણે આવેલ અતિથિઓને પ્રેમભાવથી ભોજન કરાવતાં. એ પ્રેરણાદાયી પ્રસંગો અમારાં કુમળાં મન ઉપર ઘણી ઉમદા છાપ મૂકી ગયા છે, એ જ અમારો મૂલ્યવાન વારસો છે. જૈન ગુરુકુળ હાઇસ્કૂલમાં મારા અભ્યાસકાળ દરમિયાન એ વખતના ગુરુકુળના આદર્શ ગૃહપતિ અને સન્નિષ્ઠ સમાજસેવક શ્રી ફૂલચંદ હરચંદ દોશીએ મારી જીવન માંડણીમાં દિલ દઈને વિવિધ રંગો પૂર્યા. મારા જીવનઘડતરમાં એમના અને ડૉ. ભાઈલાલભાઈ બાવીશીના ઘણા ઉપકારો રહ્યા છે, જેની નોંધ લેવી જ જોઈએ. વતનનાં ધાર્મિક પ્રવાહો અને સાંસ્કૃતિક વહેણોએ પણ મારી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે, જે મારા જીવનસાફલ્યમાં પરિણમી. દશ-બાર વર્ષની કુમળી વયથી જ મારા ધર્મપરાયણ પિતાશ્રી સાથે સોહામણા શત્રુંજયની અસંખ્ય વાર પ્રદક્ષિણાં કરી હશે. તે વખતે ગિરિરાજનાં પગથિયાં ચડતાં ચડતાં ♦ વિમલાચલગિરિ સિદ્ધાચલગિરિ ભેટ્યા રે ધન્ય ભાગ્ય હમારા...... એવાં ભાવવાહી સ્તવનોના મારા કાને સતત અથડાતા રહેતા મધુર સ્વરોએ મારી જિજ્ઞાસાવૃતિ સતેજ કરી. જિનમંદિરોમાં રાગરાગિણીથી ભણાવાતી ભાવવાહી પૂજાઓ અને ભક્તિરસથી છલોછલ ઊજવાતા અઠ્ઠાઈ મહોત્સવો, શાંતિસ્નાત્ર જેવી પૂજાઓ અને ભવ્ય અંગરચનાઓ નજરે નિહાળી. ઉજમણાં--ઉપધાનો અને છ’રી પાળતા સંઘો જોયા. કલાકો સુધી પ્રતિભાશાળી જૈન મુનિવર્યોનાં હૃદયસ્પર્શી વ્યાખ્યાનો તેમજ આત્મને અંતરમુખ બનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગ પ્રવાહો જોઈને હૃદયમંદિરમાં ધર્મપુરુષાર્થના અનેક ભાવોલ્લાસ જાગતા હતા. શત્રુંજય તીર્થનું એક એક પગથિયું અને તેના સ્પર્શમાત્રથી કંઈક આત્માઓ ભક્તિભીની બની બોધિબીજની સન્મુખ દશાને પામી ગયા છે. એવા આ મહિમાવંત તીર્થની ભરપૂર અંજનશલાકાથી અંજિત થયેલી જિનેશ્વર ભગવંતોની પ્રાચીન ચમત્કારિક મૂર્તિઓનાં દર્શન અને સેવાપૂજાનો સતતપણે લાભ મળતો રહ્યો. અનેક પ્રકાંડ પંડિતોનાં હૈયાંની મીઠી હૂંફ, સહવાસ અને સંપર્કની ગાંઠ બંધાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy