SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) પ્રવર્તી રહેલી કોઈ અગમ્ય ચૈતન્યશક્તિનો સદા પુરસ્કાર કર્યો હતો, એવા મહાન સાહિત્યાચાર્ય બર્નાર્ડ શોએ સર્વશક્તિમાનને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે, “ફરીને મારે જન્મ ધારણ કરવાનું બને તો મને જૈન બનાવજે.’ ૦ વ્યાપક અને મર્મસ્પર્શી જ્ઞાનોપાસના: સૌંદર્ય અને સરસ્વતીનો સમન્વય માનવીના વ્યક્તિત્વનું દર્શન તેના વતન પરથી જ થાય છે. દરેક મહાન વ્યક્તિની સાથે તેની જન્મભૂમિ કે કર્મભૂમિનું નામ અવશ્ય જોડાયેલું હોય છે. તેમ દરેક ભૂમિની આગવી ખાસિયત કે વિશિષ્ટતા પણ હોય છે. દરેક ભૂમિના વાતાવરણનો પ્રભાવ તે ભૂમિ પર વિહાર કરતા જીવમાત્ર પર પડે છે. ગુરુ વસિષ્ઠના આશ્રમમાં વાઘ અને સિંહ, હરણાં અને સસલાં સાથે બેસી શકતાં હોય તો તે, ભૂમિના પ્રેરક પ્રભાવને જ આભારી ગણાય ને! જે ભૂમિના સૌન્દર્ય અને સરસ્વતીનું આબાદ સર્જન થયું છે જે ભૂમિની ગોદમાં જન્મ લેવા દેવતાઓ પણ ઇચ્છે છે, જે ભૂમિની સંસ્કૃતિના પાયામાં ભક્તિરસ અને માધુર્યભર્યાં ભર્યાં છે, જે ભૂમિના હૂંફાળા ખોળામાં સેંકડો જિનેશ્વર બિંબોના પવિત્ર પરમાણુ પ્રસર્યા છે, જ્યાંનાં શાસનપ્રભાવક રત્નોએ જગતના ચોકમાં એક અનુપમ સૌરભ પ્રસરાવી છે, એ તપોભૂમિનો પ્રભાવ તો જુઓ! જ્યાં આદર્શ ધર્મગુરુઓએ આધ્યાત્મિકતાની દિવ્ય જ્યોતને દેશ અને દુનિયામાં પ્રસરાવી–રેલાવીને શાસનના ગૌરવને ઉજાળવામાં ભારોભાર યશભાગી બન્યા, જીવમાત્રને જ્યાંથી ઉન્નત જીવનની અનેક નવી જ ક્ષિતિજો નીરખવા મળી, જ્યાં એક એકથી ચડિયાતા કલાપ્રેમી, ધર્મપ્રેમી, પ્રજાવત્સલ રાજવીઓ થયા, જ્યાં ધર્મ, સંસ્કાર અને સરસ્વતીનું સંમિલન થયું, એ સૌરાષ્ટ્રગુજરાતની તીર્થભૂમિનાં આંખ ભરી-ભરીને જોવાં ગમે તેવાં હજારો જિનમંદિરો આ બડભાગી ભૂમિનો જ પ્રતાપ સમજવો ને? આ પતિતપાવન શ્રમણ પરંપરામાં પુનીત અને પ્રાતઃસ્મરણીય આત્માઓએ જન્મ ધારણ કરી શાસ્ત્રોએ પ્રબોધેલા અંતિમ રાહે પહોંચવા જ્યાં જ્યાં કઠિન તપશ્ચર્યા કરી હોય એવી પરમ પાવક પવિત્ર ભૂમિને આપણે તીર્થ સ્વરૂપ જાણીએ-સમજીએ. પ્રભાવક એવી આ ભૂમિ પર આછડતી નજર કરીએ. બે હજાર વર્ષ પહેલાં સિદ્ધ નાગાર્જુન, જેમને આકાશગામિની વિદ્યા હસ્તગત હતી, એ પાલિતાણાના જંગલમાં જ વિહાર કરતા હતા. સોળમી સદીમાં પરમ પૂજ્ય શ્રી આનંદવિમલસૂરિજી, સત્તરમી શતાબ્દીમાં જગદ્ગુરુ શ્રી તપસ્વી હીરવિજયસૂરિજી, તથા આ. શ્રી વિજયદેવસૂરિજી, સત્તરમી-અઢારમી સદીમાં જ્યોતિર્ધર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તથા ક્રિયોદ્ધારક શ્રી સત્યવિજયજી પન્યાસ વગેરે અને વિક્રમની વીસમી સદીમાં જૈન શાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્ય શ્રી નેમિસૂરિજી મહારાજ તથા જિનશાસનની આધારશીલા સમાન આગમોનો ઉદ્ધાર કરનાર આગમોદ્ધારક પૂ. આનંદસાગરસૂરિ મ. થયા એવી આ પુણ્યભૂમિનું રૂપ કાંઈક અનોખું જ જોયું. અનેકોને પ્રેરણા આપતો જૈન પ્રજાનો પરોપકારી સ્વભાવ અને સહિષ્ણુતા પણ જોયાં. ૦ જૈનોનો કલાવૈભવ જૈનોએ કોઈપણ પ્રકારની સૂગ વિના જીવનની પરમ રસિકતાને પોતાનાં દેરાસરો પર વ્યક્ત થવા દીધી. ઓરિસામાં ખંડિંગર અને ઉદયગિરિની ગુફાઓ જૈન સ્થાપત્યકલાની માંડણીની ઝાંખી કરાવે છે. સમ્રાટ ખારવેલનો વિખ્યાત જૈન શિલાલેખ આ ગુફાઓમાં કોતરાયેલો છે. મથુરા જૈન સંસ્કૃતિનું નંદનવન હતું, ત્યાંના પ્રાચીન કંકાલી ટીંબામાંથી અનેક અવશેષો પ્રાપ્ત થયા છે. ગ્વાલિયરના કિલ્લા પર ખરી પ્રતિષ્ઠા તો જૈનકલાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy