SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) લોકશાહીની સંઘ ભાવના : આચારવિચારની ઐક્યતા જૈન સંસ્કૃતિએ એક મહત્ત્વની ભેટ આપી લોકશાહીની ભાવના અને તેની સંઘરચના. સ્ત્રી-પુરુષોને સમાન અધિકાર. સાધુ--સાધ્વી, શ્રાવક--શ્રાવિકા એ ચાર મજબૂત પાયા પર સર્વોપરી સંઘ રચીને પ્રાચીન લોકશાહી ભાવનાને જૈનોએ દૃઢ બનાવી. જૈનોના આચારવિચારનો મજબૂત બાંધો કોઈ ખાસ વિકૃતિ વગર હજારો વર્ષથી અકબંધ જળવાઈ રહ્યો છે તેનાં કારણોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ ધર્મની સર્વાંગસંપૂર્ણ દોષરહિત માંડણી જોવા મળે છે. મન, વચન અને કાયાનો ત્રિવિધ આગ્રહ તેનું મુખ્ય બળ રહ્યું છે. આચારશુદ્ધિ જેવી ઊંડી વિચારણા આચારાંગસૂત્રમાં છે તેવું અન્યત્ર ક્યાં છે? શું જમવું? કેમ બેસવું? કેમ બોલવું? કેમ વંદના કરવી? આહારપાણી વહો૨વા જતાં કોઈ જળચર, વાયુચર કે વનસ્પતિજગતના નાનામાં નાના જીવની પણ હિંસા ન થાય; રખે કોઈ દુભાય નહીં; રખે કોઈનો અપરાધ ન થઈ જાય; વગેરે બાબતની ચીવટ જૈનદર્શને રાખી છે. જૈનોએ ગ્રંથાલયો ઉપર ભાર મૂક્યો. સંસ્કૃત ભાષાને જીવતી રાખી. કળા, સૌંદર્ય, સ્વચ્છતા અને અભિરુચિ ખીલવવા પર ભાર મૂક્યો. જૈનો કાયમ શાંતિપ્રિય રહ્યા. શિક્ષણ ઉપર પણ ભાર મૂક્યો. સાધુઓમાં સ્થાપિત હિતો ઊભાં ન થાય તે માટે પરિવ્રજ્યા અને ચાતુર્માસની વ્યવસ્થા કરી. મનોનિગ્રહ માટે તપ, જપ પર ભાર મુક્યો અને તેમાં જ જૈનોની મથામણ ખાસ મોટી જોવા મળી. વધારે કોડીલી ક્ષમાપના છે અને સૌથી ભાવભર્યુ પર્યુષણ પર્વ ધ્યાન ખેંચે છે. જૈનોની સમ્યક્ત્વ અને અપરિગ્રહની વારંવારની શીખ પણ ખરેખર અસાધારણ છે. જૈનોએ પોતાની કમાણી ધર્મ, કળા અને સંસ્કૃતિ પાછળ ખર્ચવાની ભાવના કેળવી. વૈરાગ્યની અને સાધુતાની બહુ મોટી પ્રતિષ્ઠા કરી. જીવનમાં કડક શિસ્ત અપનાવી, નિયમોથી બંધારણ સુરક્ષિત રાખવાની જાહેરાત કરી. પિરણામે જૈન સાધુઓ અત્યંત નિઃસ્પૃહી અને નિષ્કલંક સાધુઓ તરીકે ટકી રહ્યાં છે. આ છે જૈનોની સંઘભાવનાનું ઉજ્વલ પાસું. અત્રે આચારવિચારના નિયમોની કેટલીક ભેદરેખાઓ જૈનદર્શનમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. માત્ર સાધુસાધ્વીઓ જ ધર્માચાર સેવે અને ગૃહસ્થીઓને છૂટછાટ એવું અત્રે નથી. શ્રી ચતુર્વિધસંઘના ચારેય વિભાગો માટે માત્ર વિચારની ચોક્કસ મર્યાદાઓ જ નહીં, પણ રોજબરોજના જીવનના આચારના ચોક્કસ નીતિનિયમો પણ બતાવાયા છે. શુદ્ધ વૈજ્ઞાનિક કોટિના તર્ક અને યુક્તિની સરાણે ચડાવીને પરખેલાં સત્યાન્વેષણોની ગહન મિમાંસા પણ જૈનદર્શને આપી છે. વિચારમાં સ્યાદ્વાદ, ઉચ્ચારમાં સપ્તભંગી, આચારમાં આજ્ઞાધીનતા એ જૈનશાસનની અપ્રતિમ દેણ છે. જૈનધર્મ એવો સ્વયંસિદ્ધ અને દરેક કાળ માટે એવો અજરામર છે કે શ્રાવકોના જીવનવ્યવહારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવા યુગની કેટલીક છાયા જોઈ શકાતી હોવા છતાં આચારની પવિત્રતા એવી જ ટકોરાબંધ જળવાઈ રહી છે. ડૉ. હસમુખભાઈ દોશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યું છે કે, “સમગ્ર વિશ્વસાહિત્યનો, વીસમી સદીનો પૂર્વાર્ધ, જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્જ્વળ થયો હતો; ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy