SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) કાળે ભારે મોટી બોલબાલા હતી. તીર્થંકરોનાં કલ્યાણકો પૂર્વમાંથી વિશેષ સાંપડે છે. તે પછી ઉત્તર અને પશ્ચિમ તરફ આ પ્રવાહ વળ્યો. ભરૂચની પંચતીર્થીમાં આવેલું ગંધાર જ્યાં એક વખત ચોરાશી બંદરનો વાયટો ફરકતો હતો ત્યાં આજે અનેક પ્રાચીનમંદિરો, મૂર્તિઓ જોવા મળે છે. પ્રાચીન ખંભાત જ્યાં આચાર્ય અભયદેવસૂરિજીએ એક સ્તોત્ર રચીને સ્થંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી. હજારેક વર્ષ ઉપરનું પ્રાચીન રમણીય તીર્થ રાંતેજ જ્યાં એક વખત ૭૦૦ શ્રાવકોનાં ઘર હતાં. પંદરમી સદીમાં તપાગચ્છીય આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય સોમસુંદરસૂરિજીએ તારંગા-રાણકપુર તીર્થોની પ્રતિષ્ઠા કરાવી. આજની પ્રાચીન નગરી મહેસાણા, જ્યાં આજે હજારેક શ્રાવકોના ઘર છે. આચાર્ય કૈલાસસાગરસૂરિજી મ.ના ઉપદેશથી ઊભા થયેલા ગગનચુંબી દેવાલયમાં શ્રી સીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શન જીવમાત્રને મોક્ષગામી બતાવે ચડતીપડતીના અનેક પ્રવાહો જોઈ લીધા પછી વર્તમાનસમયમાં જૈન જૈનેતરોનું આકર્ષણરૂપ બનેલું તીર્થધામ શંખેશ્વરજી, પ્રભાવશાળી મહિમાધામ પ્રાચીન ભોયણી, આ બાજુ હેમચન્દ્રાચાર્યનું પાટણ, તેના જ્ઞાનસાગર જેવા મૂલ્યવાન ગ્રંથભંડારો જૈનોના પ્રાચીન વૈભવની સાક્ષી પૂરે છે. જગદ્ગુરુ હીરવિજયસૂરિજીનું પાલનપુર, પાટણ પાસેનું ચારૂપતીર્થ, વીર વનરાજ અને શીલગુણસૂરિજીના સંસ્મરણો તાજા કરાવતું રળિયામણું પંચાસર વગેરેની પ્રાચીનતાથી પરદેશીઓ આજે પણ મંત્રમુગ્ધ છે. બે હજાર વર્ષ પહેલાંનું મૂછાળા મહાવીરનું પ્રાચીન મંદિર, પ્રાચીન સમયનું પંદરમી સદીનું રાણકપુર, જ્યાં ચાલીશથી પચાસ ફૂટ એવા ૧૪૪૪ થાંભલાઓ શું સૂચવે છે? ૫૦૦ વર્ષથી વધારે સમયથી અડીખમ ઊભેલું રાયણવૃક્ષ તેની છાયામાં ઋષભદેવનાં પુનીત પગલાં-શત્રુંજયનું સ્મરણ વારંવાર થયા કરે છે. મારવાડમાં પાલી-જોધપુર અને ઓશિયા જગપ્રસિદ્ધ છે. પાલીનું નવલખા પાર્શ્વનાથનું મંદિર એકવાર ખરેખર જોવા જેવું છે. તેરમા સૈકામાં ગઢમંડોર, જે જોધપુરથી છ એક માઇલ ઉપર છે, આચાર્ય રત્નપ્રભસૂરિનો બોધ પામી ઓશિયાના નગરપતિ ઉપલદેવ સહિત ત્રણ લાખ ચોરાશી હજાર માણસોએ જૈન ધર્મ અંગીકાર કર્યો, જે સૌ ઓસવાલ જૈનોના નામે પ્રસિદ્ધ થયાં, મરુધર જેસલમેરની પ્રાચીનતાને છતી કરતાં ત્યાંના ગ્રંથભંડારો ઘણા સંકેતો સૂચવી જાય છે. ચિત્તોડનો કીર્તિસ્તંભ કલાભક્તિનો અપૂર્વભાવ રજૂ કરે છે. ત્યાંનાં ૨૭ દેવળોની પ્રાચીનતા શાસનની ઐતિહાસિક મૂડી છે. લખનૌનાં પ્રાચીન જિનબિંબો અને મ્યુઝિયમ, દેલવાડા કુંભારિઆ અને આરાસણનાં મંદિરો સંશોધકો માટે પુષ્કળ સામગ્રી પૂરી પાડે છે. વિક્રમની ચૌદમી સદીમાં બનેલું કેશરયાજી તીર્થધામ જૈન સંસ્કૃતિને ટોચ ઉપર લઈ જનારું સ્મૃતિચિહ્ન છે. પદ્મપ્રભ સ્વામીની જન્મભૂમિ કૌશાંબી, તેમનાં દીક્ષા કેવળજ્ઞાનની પણ આ જ કલ્યાણકભૂમિ ગણાય છે. ધવલ શેઠ અહીંના જ હતા. પ્રભુ મહાવીરને અડદના બાકળા વહોરાવનાર ચંદનબાળાનો પ્રસંગ આ ભૂમિ સાથે સંકળાયેલો છે. મૃગાવતીજીને કેવળજ્ઞાન પણ અહીંથી જ થયું. અનાથી મુનિ અને વૈયાકરણી કાત્યાયનની આ જન્મભૂમિ છે. અયોધ્યાનો ઇતિહાસ રઘુકુળ સાથે સંકળાયેલો છે. ઋષભદેવની જન્મભૂમિ, દીક્ષા અને કેવળજ્ઞાન અહીં જ થયું. અભિનંદન મહારાજ, સુમતિનાથ અને અનંતનાથ મહારાજનાં ચારચાર કલ્યાણક અહીં જ થયાં. રાજા હરિશ્ચંદ્ર પણ આ નગરીના જ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy