SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) મધ્યપ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના મંત્રી સંગ્રામ સોનીએ છૂટા હાથે લક્ષ્મીનો ધોધ વરસાવી માગસી, માંડવગઢ, ધાર, મંદસૌર વગેરે સ્થળે સત્તર જેટલાં વિશાળ જિનમંદિરોનું નિર્માણ કરાવી ઇતિહાસ સર્યો છે. વિમલમંત્રીનાં દેલવાડાનાં દેરાસરોથી પણ કોણ અજાણ છે? તેની અંબિકાઉપાસના જગપ્રસિદ્ધ છે. રાજસ્થાનનાં અનેક પ્રાચીનતાને પોકારતા અને પરિકરોથી શોભતાં ઉત્તુંગ જિનાલયો, ખરેખર તો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. મંગલભાવનાનું વિરાટૅદર્શન કરાવતાં, ધર્મસંસ્કૃતિ અને ધર્મશ્રદ્ધાનાં ભવ્ય કાવ્યો મૂર્તિમંત કરનાર, શિલ્પકળાની સૌંદર્યસુગંધ પ્રસરાવતી રાણકપુરની મનોહર કલાકૃતિઓએ તો ભારે મોટી નામના અપાવી છે. અરે! ત્રેવીસ તીર્થકરો પણ જ્યાં આવી ગયા એ લોકોત્તર પરમતારક તીર્થના વંદન સ્મરણમાત્રથી અપાર કર્મનિર્જરા થાય છે તે શત્રુંજય મહાગિરિ, જ્યાં ભગવાન ઋષભદેવ નવાણું પૂર્વવાર આવ્યા હતા, જ્યાં અનંતા મુનિઓએ મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. બાજુમાં જ મહુવાની ભૂમિ પ્રભુ મહાવીરની હયાતીમાં જ વડીલ બંધુ નંદીવર્ધને નિર્માણ કરાવેલી ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા મહુવામાં કરાવેલ. શત્રુંજય તીર્થોદ્ધારક જાવડશા આ મહુવાના જ હતા, જેમણે સિદ્ધગિરિ, ગિરનાર અને પ્રભાસપાટણમાં સવાકરોડ સોનૈયાની કિંમતનાં રત્નો ઉછામણીમાં બોલીને તીર્થમાળા પહેરવાનો અણમોલ લહાવો લીધો હતો. સાત શતાબ્દી જેટલાં પ્રાચીન અને વિશાળતા, ભવ્યતા અને સુંદરતાના ત્રિભેટે ઊભા રહી જિનગુણને આકર્ષતા કચ્છનાં અનેક જિનાલયો પણ ત્યાંના શાહસોદાગરોની દેણગીને આભારી છે. ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ, ઉનાના અમીઝરા પાર્શ્વનાથ, દેલવાડાના ચિંતામણિ પાર્શ્વનાથની ચમત્કારિક ઘટનાઓએ પણ ભૂમિની ધર્મજ્યોતને દિવેલ પૂરું પાડ્યું છે. શ્રાવકોનું યોગદાન અત્રે પણ છે. સજ્જનમંત્રીની જન્મભૂમિ ગણાતું આજનું વંથળી, શ્રાવિકારત્ન જવલબાઈની ઉગ્ર તપસ્યાઓ સાથે સંકળાયેલું આજનું માંગરોળ, સૌરાષ્ટ્રની ધર્મપુરી ગણાતું આજનું ધમધમતું સુરેન્દ્રનગર, પુરાણી નગરી આજનું વઢવાણ આ બધી જગ્યાએ દાર્શનિક દેદીપ્યમાન દેવાલયો જનસમૂહને આકર્ષી રહ્યાં છે. આજનું જામનગર જ્યાં રિદ્ધિસિદ્ધિનાં સ્મૃતિચિહ્નો જેવાં દેરાસરો ભક્તિરસનાં પીયૂષ પાઈ રહ્યાં છે. સમ્યગ્દષ્ટિ આત્માઓની ભાવશુદ્ધિ માટે, માનવહૈયાને નિર્મળ બનાવવા માટે, ધર્મરાજાને ગગનસ્પર્શી બનાવતાં અનેક શિખરબંધી જિનાલયો ઠેર ઠેર જોવા મળે છે. આ બધાં જૈનમંદિરોની રચના પ્રદ્ધતિમાં સોમપુરા શિલ્પીઓએ કરેલું અદ્ભુત કામ ભારતીય શિલ્પ-સ્થાપત્યના ઇતિહાસમાં ખરેખર અમર બની રહેશે. આ ભૂમિના નરરત્ન પોપટલાલ ધારશીનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. - વર્તમાનમાં પણ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, દીપચંદભાઈ ગાર્ડ, સુંદરલાલ પટવા, શ્રીયકભાઈ અરવિંદ પનાલાલ, બાબુભાઈ કે.પી. સંઘવી, જયંતિલાલ લાલચંદ, શાંતિલાલ હેમાજી મુથા, કચ્છી સમાજના અગ્રણીઓ વિનોદભાઈ દુલા અને શામજીભાઈ વોરાનું યોગદાન ઘણું છે. • જેનોની પ્રાચીન સમૃદ્ધિ સૈકાઓ પહેલાંના જૈનોના જાજરમાન ભૂતકાળની ભવ્યતા ઉપર નજર કરો. મગધમાં, બિહારમાં, બંગાળમાં, ઉત્કલમાં જૈન ધર્મનો સોનેરી સૂર્ય એક સમયે તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. જૈનસંસ્કૃતિની એક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy