SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) કુમારપાળના સમયમાં તો જૈનશાસનની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. કુમારપાળે તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણું ઈંચની વિશાળ પ્રતિમા અને દિવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મંદિર રાજવીઓની જિનભક્તિનું જ્વલંત ઉદાહરણ છે. જીવદયા પ્રતિપાલ કુમારપાળે ૧૪૪૪ મંદિરો બંધાવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં થાણાનું મુનિસુવ્રતસ્વામીનું પ્રાચીન મંદિર, જે નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્મૃતિ સાથે સંકળાયેલ છે. આબુ--દેલવાડાનાં જિનાલયો ઉપર ફરકતી ધજાઓ એ કાળમાં જૈનશાસને સર્જેલા પ્રજાવત્સલ રાજવીઓની ગૌરવગાથાને તાજી કરે છે. તેરમી સદીમાં મેવાડના રાજા જૈત્રસિંહે જગચંદ્રસૂરિજીના ઉગ્ર તપથી પ્રભાવિત થઈ ‘તપા’ બિરુદ આપ્યું. ત્યારથી તપાગચ્છ શરૂ થયો. જૈન ધર્મ શાસને એક સમયે ‘નગરશેઠ’ નામે એક નવી કેડીનું નિર્માણ કર્યું અને ‘પ્રધાન’ નામની એક બીજી કેડીનું પણ સર્જન કર્યું. પ્રજાધર્મ બનેલો જૈન ધર્મ આ કડીઓ દ્વારા ફરી રાજતંત્રો સુધી પોતાનો અવાજ પહોંચાડી શકતો હતો. ગુજરાતના મહા અમાત્ય શાન્તનુ, આભુ, મુંજાલ કે ઉદયન મહેતા, અંબડ, પેથડ, ઝાંઝણશા વગેરે સ્વબળે ઉચ્ચ દરવાજે પહોંચ્યા હતા. પેથડશા અને ઝાંઝણકુમાર, પિતાપુત્રનાં આ બે ચૌદમી સદીનાં શુભ પ્રસિદ્ધ નામો છે. પેથડશાએ ૮૪ જિનાલયો બંધાવ્યા. માળવામાં ૭૨ જિનાલયવાળો શત્રુંજયદ્વાર નામનો જિનપ્રાસાદ બંધાવ્યો. ભગવતીસૂત્રના દરેક પ્રશ્ને સોનામહોર મૂકીને આગમની પૂજા કરી. ઝાંઝણની આમ સાધર્મિકભક્તિ રોમાંચક હતી. રાજા--પ્રજા વચ્ચે આ કડીઓ કેવી આશીર્વાદરૂપ હતી તે પણ જોઈએ-રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદમાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી વફાદાર જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરની ભેટ ધરી દીધી. આમ જૈન ધર્મના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી ઉપર ભગવો ઝંડો ફરકતો થયો. વીરધવલના મંત્રીશ્વર તેજપાલે અને માંડવગઢના પેથડશાએ ડભોઈનાં જિનમંદિરોના નિર્માણકાર્યમાં જાતે રસ લઈ ધર્મ અને શાસનૢ વચ્ચેનો સુંદર સમન્વય સાધ્યો. નજર કરીએ નવમી સદી પહેલાંનો ઇતિહાસ. ભોજરાજાએ ગિરિતીર્થમાં સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી, જ્યાં એક સમયે ૩૦૦ જિનમંદિરો ઝળહળતાં હતાં. ધર્મપ્રેમી મંત્રીશ્વરો પેથડ અને ઝાંઝણનું જૈન ધર્મ પ્રતિ યોગદાન યુગો સુધી અમર રહેશે. કુંભારાણાના મંત્રી ધરણશાએ બત્રીશ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી રાણકપુર (ધરણવિહાર)માં નલિનીગુલ્મ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરાવી-એમ કહેવાય છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર નથી જણાતું. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયનો કરાવેલો જિર્ણોદ્ધાર અને ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનાં જિનમંદિરો આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. જૈનશાસનને મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ.ની ભેટપ્રાપ્તિમાં ગજબનો યશ મેળવનારા આત્મચિંતનકારી ઉદયનમંત્રીને લાખ-લાખ સલામ. સિદ્ધરાજના મંત્રીશ્વર સજ્જન શ્રેષ્ઠીએ ગિરનાર પર સં. ૧૧૮૫માં કરાવેલો જિર્ણોદ્વાર જિનભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ, કોરટાજી અને જોધપુર પાસેના સાંચોરમાં બંધાવેલાં જિનમંદિરો તેની જિનભક્તિના પુરાવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy