SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) જૈન સિદ્ધાંતગ્રંથો અને આગમો પુસ્તકારૂઢ થયા. તે સાંસ્કૃતિક વિદ્યાધામ વલ્લભીમાં જૈન સૂરીશ્વરોએ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઘણી રીતે આપ્લાવિત કરી હતી. દેવર્ધિગણિ આદિ સ્થવિરોની જે ઐતિહાસિક પરિષદ મળેલી, જ્યાં એક સમયે એકીસાથે ૫૦૦ આચાર્યોએ ચાતુર્માસમાં પધરામણી કરેલી. શિરોમણિ ગણાતો કલ્પસૂત્ર ગ્રંથ પણ જ્યાં લખાયેલો એ વલ્લભીપુરના જૈનમંદિરમાં સેંકડો લહિયાઓની મૂર્તિઓ નજરે પડે છે. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્ર ગણિ, ક્ષમાશ્રમણ ઉપરાંત ચૂર્ણિવ્યાખ્યાનકાર જિનદાસ ગણિ, મહત્તર, આઠમા સૈકાના જિનભદ્રસૂરિ, જિનદત્તસૂરિ, હરિભદ્રસૂરિ, બપભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દશમા સૈકાના પાર્શ્વ મુનિ, આચાર્ય સિદ્ધર્ષિ, હરિષણાચાર્ય વગેરે મુખ્ય હતા. જૈન સંસ્કૃતિએ વિક્રમની વીસમી સદીમાં વિરાટ છલાંગ ભરી જેમાં આપણને ચિદાનંદજી, હુકમ મુનિ, અમૃતવિજય, જશવિજય, રંગવિજય, દયાવિજય, આદિનાં સ્તવનો આજે પણ દેરાસરો ઉપાશ્રયોમાં ગુંજતાં રહ્યાં છે. સાહિત્યક્ષેત્રમાં અભિધાન રાજેન્દ્રકોશ એ વીસમી સદીનું અનુપમ અને અજોડ પ્રદાન છે. વિશ્વકોશ સમાન આ પ્રકાશનમાં ૬૦,૦૦૦ શબ્દોનું સંકલન છે. વિજયરાજેન્દ્રસૂરિજીની આ સર્વોચ્ચ દેણગી છે, જેમણે ૭૦૦ સ્થાનકવાસી પરિવારોને મંદિરમાર્ગી બનાવ્યાં. • આરાધકો અને યુગમૂર્તિ પંડિતો જૈનદર્શન અને સાહિત્યમાં સમયે સમયે અનેક સાક્ષરોનું અને આરાધક પંડિતોનું યોગદાન સાંપડ્યું, તેમાં કર્મયોગી અને યોગનિષ્ઠ આચાર્યશ્રી' બુદ્ધિસાગરસૂરિજી જેમણે ૧૦૮ ગ્રંથોનું આલેખન કર્યું. ૧૯મી સદીમાં શ્રાવક કવિ દેપાલે અનેક રાસાઓની રચના કરી. માળવાના રાજા ભોજના સમયમાં કવિ ધનપાલ થયા તેમણે રચેલી તિલકમંજરી કથા આજ પણ સૌને તરબોળ કરી દે છે. 4 શાસ્ત્રવિશારદ આચાર્ય વિજયધર્મસૂરિજી, આચાર્ય સાગરાનંદસૂરિજી, પુણ્યવિજયજી, મુનિ જંબુવિજયજી મ., પ્રભુદાસ પારેખ, હરગોવિંદદાસ વગેરેએ જૈનસાહિત્યને સમૃદ્ધ કર્યું. ભગવાનલાલ ઇન્દ્રજી, ભાઉદાજી ભંડારકર, ચિમનલાલ દલાલ, દલસુખ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, અગરચંદજી હાટા, પં. લાલચંદ ગાંધી, હીરાલાલ કાપડિયા, મોતીલાલ કાપડિયા, ઉમાકાન્ત શાહ,’ હીરાલાલ જૈન, સુખલાલજી, રામપોરિયા વગેરેએ સાહિત્યસંશોધનમાં અસાધારણ કામ કર્યું છે. વર્તમાનમાં પણ અનેક સ્થૂળ ઉથલપાથલ વચ્ચે પલાંઠી વાળીને શાસ્ત્રો, દર્શનોના ચિંતનમાં ખૂંપ્યા રહેતા પંડિતો પણ આપણું સાચું ધન છે. શ્રી છબીલભાઈ, માણેકલાલભાઈ, રસિકભાઈ, દલપતભાઈ, ધીરુભાઈ, વસંતભાઈ, પ્રવીણભાઈ વગેરે. ૭ પ્રજાવત્સલ રાજવીઓ અને મંત્રીઓની જિનભકિત જૈન ધર્મ કેવળ સાધુઓનો જ ધર્મ નહોતો, એના સિદ્ધાંતો ચોક્કસ ભૂમિકા પર રચાયેલા હતા. ચંદ્રગુપ્ત મૌર્યે સ્વીકારેલ જૈન ધર્મ રાજસભાઓ સુધી વિસ્તરેલો હતો. જૈન ધર્મ ગુજરાતનો રાજધર્મ ગણાતો. ગુજરાતના તખ્ત ઉપર તખ્તનશીન બનીને વીર વનરાજે જૈન ધર્મને રાજધર્મ બનાવ્યો, ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એ સમયની એક કરોડની પ્રજામાંથી અરધો કરોડ માનવોનો ધર્મ બનવાનું મહાભાગ્ય જૈન ધર્મને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. શિવપૂજક સોલંકી રાજાઓ પણ રાજધર્મ તરીકે સૈકાઓ સુધી જૈન ધર્મની સાધના કરતા રહ્યાં. મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy