SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) મહોપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, વિનયવિજયજી, જ્ઞાનવિમલવિજયજી, ઉદયરત્ન, દેવચંદ્ર આદિ બસો જેટલા પ્રતાપી અને પ્રભાવી જૈન શ્રમણોઓ અઢારમી સદીને સોળે શણગાર સજાવ્યું. આ સદીમાં થયેલાં સ્તવનો, સજઝાયો, પૂજાઓ વગેરે આજે પણ દેરાસરોમાં ભક્તિભાવથી ગવાય છે. આનંદઘનજીનાં દાર્શનિક પદો, નેમરાજુલ બારમાસા અને સ્થૂલભદ્ર ફાગ એ અઢારમી સદીના યુગની મહાન દેણ હતી. તીર્થ માળાઓ અને ચૈત્ય પરિપાટી પણ આ સમયમાં નોંધપાત્ર રીતે સર્જાયાં. સંતકવિ તિરૂવલ્લુવરની ઋચાઓ આજ પણ તમિલમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની માફક ગવાય છે. ૧૯૭પમાં મદ્રાસમાં આ સંતકવિનું ભવ્ય સ્મારક રચાયું. જે ભવ્યાતિભવ્ય હતું. ભારતમાં કોઈ સંતકવિનું આવું સ્મારક રચાયાનું જાણમાં નથી. • ભકિત અને મુકિત આપનારાં શુભમંગલ નામો જૈનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાંક પવિત્ર નામો જગપ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. મહારાજા શ્રેણિક, અંબડ પરિવ્રાજક, સુલસા, જયંતી, તેજિંગ, લૂર્ણિગ, આશા શાહ, તારાચંદ અને ભામાશા, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અતિમુક્તકુમાર, રુક્મણિ, દમયંતી વગેરે. - શ્રેણિક અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક વખતની રાજધાની રાજગૃહી જ્યાં પ્રભુ મહાવીરે ચૌદ ચોમાસાં કર્યા. જ્યાં મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો થયાં, એ રાજગૃહી સાથે સંકળાયેલાં શુભ નામોને યાદ કરો. મેતાર્યમુનિ, શાલિભદ્રજી, મેઘકુમાર, નંદિષેણ, અર્જુન માળી, કયવન શેઠ, જંબુસ્વામી, શäભવસૂરિજી, પુણિયો શ્રાવક આ બધા મહાપુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સર્જી આપી. નવા જૈનો બનાવનાર તરીકે અમર નામના મેળવનાર રત્નપ્રભસૂરિ, હેમચન્દ્રાચાર્યજી, જિનદત્તસૂરિજી, વર્ધમાનસૂરિજી, રાજપૂતાનામાં રાજપૂતોને જૈનત્વની દીક્ષા આપનાર જિનેશ્વરસૂરિજીએ પણ મોટું કામ કર્યું. મધ્યપ્રદેશની ઐતિહાસિક નગરી ઉજ્જૈન સાથે સંકળાયેલાં નામોમાં શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, રાજા વિક્રમાદિત્ય, માનતુંગસૂરિજી, કવિ ધનપાલ, શોભન મુનિ, અવંતિકુમાર અને સિદ્ધસેન દિવાકરજી આ બધાં નામોનું આજે પણ ઘેરઘેર સ્મરણ થાય છે. ૦ સ્વપ્નદૃષ્ટાઓનો પ્રબળ પરષાર્થ વિવિધ ઐતિહાસિક કાળખંડોમાં પ્રાચીનકાળથી જૈન આચાર્યો અને મુનિવર આદિનું વિવિધક્ષેત્રે ઘણું પ્રદાન રહેલું છે. ઈસ્વીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિજી, જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાલિતાણા વસાવ્યું. - પ્રાચીનકાળમાં વાચના આપીને જ્ઞાનનો ફેલાવો થતો હતો. પ્રથમ આગમવાચના આ. શ્રી ભદ્રબાહુના સમયમાં પાટલીપુત્રમાં થઈ. બીજી આગમવાચના સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિસૂરિજીની નિશ્રામાં કરી. ત્રીજી આગમવાચનામાં આર્યરક્ષિતસૂરિજીનું પ્રદાન હતું. ચોથી આગમવાચના મથુરામાં થઈ. સ્કંદિલસૂરિજી તેમાં મુખ્ય હતા. આજનું વલ્લભીપુર, જે મૈત્રક રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની ગણાતું ત્યાં વિક્રમ સં. ૫૧૦માં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy