SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (30) શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર આ કર્મયોગિનીઓ શાસનનાં તેજસ્વી નક્ષત્રો : શ્રમણીરત્નો પ્રભુના શાસનમાં જેમ શ્રમણોનું યોગદાન છે તેમ શ્રમણીઓએ પણ નામનાની કામના વિના પ્રભુના શાસનને અજવાળવાનું કામ કર્યું છે. એ વાત તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીશક્તિ જાગે તો ઘર આખું આગળ આવે. ઘરઘરમાં અને ઘટઘટમાં ધર્મરંગે પ્રસરાવવાનું કામ, આચારોના વારસોને ચોલ મજીઠ રંગ લગાડવાનું કામ આ શ્રમણી ભગવંતોએ જ કર્યું છે. જૈનશાસનને ૧૪૪૪ ગ્રંથોની જે અણમોલ ઉમદા ભેટ સાંપડી તેના મૂળમાં હરિભદ્રસૂરિજી મ.ને પ્રભુના શાસનમાં લઈ આવવાનું કામ કરનારાં ‘યાકિની મહત્તરા’ સાધ્વી જ હતાંને? અભિમાનના હાથી ઉપર આરૂઢ બંધુ મુનિ બાહુબલિને એ હાથી ઉપરથી નીચે ઉતારીને કેવળજ્ઞાનનો અણમોલ ઉપહાર પ્રાપ્ત કરાવનાર બહેનો સાધ્વીજીઓ જ હતી ને? ધંધુકાની ધરતી પર છેલ્લી નિર્યામણાની વેળાએ પોતાના પુત્રશ્રેષ્ઠ સમા આચાર્ય હેમચંદ્રાચાર્ય મહારાજા પાસે ૩ કરોડ શ્લોકની રચનાનો સંકલ્પ મેળવનાર માતા પાહિની દેવી પણ સાધ્વી જ હતાં ને? શય્યાતર શ્રાવિકાને ત્યાં મોટા થયેલા વજસ્વામી સાધ્વીજીના ઉપાશ્રય અથવા તો ઘોડિયામાં સૂતાં સૂતાં સાધ્વીના મુખેથી સાંભળીને શું અગિયાર અંગો ન્હોતા ભણ્યા? આ શ્રમણીરત્નોએ કમાલ કરી છે. પઠન, પાઠન અને સ્વાધ્યાયના ઘોષને જીવંત બનાવી રાખ્યો તો શ્રમણોના યોગદાનમાં પણ સહયોગી બનીને પ્રભુના શાસનનો જયજયકાર કરાવ્યો, સંઘની શ્રાવિકાઓમાં આરાધના કરાવી, તો સાથે સાથે દુર્ગમ અને દુષ્કર એવાં ક્ષેત્રોમાં વિચરણો કરીને સમાજને લીલોછમ બનાવી રાખ્યો જેમનાં કાર્યોની નોંધ લખતાં ગ્રંથનાં પાનાં ઓછાં પડે. સાક્ષાત સરસ્વતી સમી ઉપમાને વરેલાં આ શ્રમણીઓને ક્યા શબ્દોથી બિરદાવીએ? કાળબળની સામે હંમેશાં ઝઝૂમતા રહીને શાસનની પ્રતિભા અને પ્રતિષ્ઠાને અક્ષુણ્ણ રાખતી આ શ્રમણીપરંપરા શત શત વંદનાને પાત્ર બનેલ છે. સંયમી સાધ્વીગણને શાસ્ત્રકારોએ શ્રમણી, નિગ્રન્થી, આર્યા, ભિક્ષુણી આદિ શબ્દોથી ઓળખાવેલ છે. ભલે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ જેવા ઉત્તમ પુરુષોરૂપે સ્ત્રી સંભવતી નથી, તે કદી ગચ્છસંચાલક, આચાર્ય બની શકતી નથી. બારમું અંગ દૃષ્ટિવાદ ભણાવવાની તેમને છૂટ નથી, દીક્ષા કે પદવી આપવાનો તેમને કોઈ અધિકાર નથી, તો પણ તેમના શ્રમણીપણાનું સંપૂર્ણ ગૌરવ જૈનશાસનમાં સદા સર્વદા જળવાયેલું રહ્યું છે. આત્માની સર્વોચ્ચ વિકાસસ્થિતિ એવા મોક્ષની અધિકૃતતા તો શ્રમણીને પણ બક્ષાયેલી છે જ. વર્તમાનકાળનાં શ્રમણીઓ પ્રતિ દૃષ્ટિપાત કરશું તો તેમના તપસ્વીપણાની, સ્વાધ્યાયરતતાની, ક્રિયારુચિની મધુરકંઠે ગવાતી સ્તુતિ અને સ્તવનોની, સાધુ વૈયાવચ્ચભાવની, સ્ત્રીઓને ધર્મમાર્ગે જોડવા અને ટકાવવાની, શાસનનાં કાર્યોમાં પ્રેરણા દ્વારા ઉદાર હાથે ફાળો આપવાની ઇત્યાદિ ગુણોની પ્રશંસા કર્યા વિના રહી શકાય તેમ નથી. આગમોમાં વર્ણિત કથાનકોમાં જોતાં ક્યાંક અંતકૃત કેવિલ બનતા, ક્યાંક વૈયાવચ્ચપરાયણતા, ક્યાંક પુત્રને સંયમમાં પાછો વાળતાં તો ક્યાંક પુત્રોના કલહ શાંત કરતાં, ક્યાંક કેવળ જ્ઞાનમાં નિમિત્ત બનતા તો ક્યાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy