SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) કોઈને ચારિત્ર ધૈર્ય બક્ષતાં, ક્યાંક રાજા રજવાડાં ત્યાગ કરતાં તો ક્યાંક ક્ષમાધર્મની આહલેક જગાવતાં તો ક્યાંક પરમ વિનયનું દર્શન કરાવતાં એવાં શ્રમણીઓનાં જીવનનું દર્શન આપણને આજે પણ નતમસ્તક બનવા પ્રેરણાપીયૂષનાં પાન કરાવે છે. શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓનું અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણ સંસ્કૃતિએ સ્વીકારી પ્રતિષ્ઠા કરી એ વિરલ-ઉત્તમ નમૂનો છે. રાજમહેલમાં રહેનારી રાજપુત્રી વસુમતિ તપસ્વીઓમાં અગ્રેસર બની ચંદનબાળા બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી બ્રાહ્મી, સુંદરી વગેરે સાધ્વી પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ, જિનશાસનમાં આજ પર્યત દીપી રહી છે. શ્રાવિકા સુલસા માત્ર શ્રદ્ધાના બળે ભગવાન મહાવીર સ્વામીનાં ધર્મલાભ પામી શકી. આ સુલસા આવતી ચોવીશીમાં ૧૫ તીર્થકર નિર્મમ નામે થશે. ચેલણા દેવાનંદા, પ્રિયદર્શના જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહર્નિશ ઘૂમતી રહી છે. ત્રિશલામાતા પણ ઇતિહાસમાં અમર બની ગયાં. • જિનભકિતની પરોપકારી પ્રેરણાદાત્રીઓ જ્ઞાન, જિનભક્તિ, તિતિક્ષા અને તપશ્ચર્યાના એકત્ર પૂંજરૂપ આ સાધ્વી મહારાજોએ વીતરાગદર્શનના આચારધર્મને પ્રશસ્ત કરી ખરેખર તો ચતુર્વિધશ્રીસંઘની શોભા વધારી છે. પાંચ મહિના અને પચીસ દિવસના પ્રભુ મહાવીરના ઘોર અભિગ્રહનાં પારણાંનું પુણ્ય પામનારાં ચંદનબાળા ૩૬000 સાધ્વી સમુદાયનાં અગ્રેસર બન્યાં. જૈન રાજવી ખારવેલના સમયમાં પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીના નેતૃત્વ નીચે ત્રણસો વિદુષી સાધ્વીજીઓએ આગમ સાહિત્યને સુવ્યવસ્થિત કરવામાં ખૂબ જ મદદ કરી હતી. રાણી પુષ્પચૂલાએ કરેલી આચાર્ય અર્ણિકપુત્રની ગુરુસેવા જિનધર્મમાં દષ્ટાંતરૂપ મનાય છે. સાધ્વી મદનરેખાએ તો શ્વેત હાથી માટે યુદ્ધે ચઢેલા બે સગા ભાઈઓને રણભૂમિમાં ઉપદેશ આપી મોટું યુદ્ધ નિવાર્યું અને વિખૂટા પડેલા બે ભાઈઓમાં પ્રતિસંધાન કરાવ્યું. - ભદ્રાસતીજીએ સંયમમાર્ગની કઠિનાઈઓથી ભાગી ભોગના લપસણા પંથે ચઢેલા અર્ણિકપુત્રને પુનઃ સંયમમાર્ગે વાળ્યા. અને અનશનવ્રત લેવાની શરતે ચઢેલા પુત્રને દીક્ષા ત્યાગ કરતાં પ્રાણત્યાગ શ્રેષ્ઠ ગણાવ્યો. આ પાંચ છ ઉપરોક્ત નિર્દેશો તો માત્ર ઉદાહરણરૂપ જ સમજવાના. આત્મરમણતા, નિર્મોહિતા નિર્લેપતા, વિનમ્રતા જેવા સદ્ગુણોથી સાથ્વીરત્નોએ શાસનનું ગૌરવ વધાર્યું છે. લાખ લાખ વંદનાઓ. • ભકિતપરાયણ શ્રાવકોની સુકૃતધારા દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના શાસનનો અચિંત્ય પ્રભાવ છે. કલિકાલની ગમે તેવી ભયંકર કાળી છાયા ચોગરદમ ફરી વળી હોય તો પણ મોક્ષમાર્ગનાં પરમ આરાધકો અને ભાવરત્નોની પેદાશ થયા જ કરે છે. પરમાત્માનું શાસન યથાર્થરૂપે રક્ષાય છે અને સર્વોત્તમ રત્નત્રયવિષયક વારસો સદાકાળ ઝળહળતો જોવા મળતો રહ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy