SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરવાનો મોટો મહિમા છે. શત્રુંજય ગિરિરાજ, અષ્ટાપદ, સમેતશિખર, ગિરનાર, પાવાપુરી, મહામેરુ, અર્બુદાચલ, સ્તંભનતીર્થ કે ઘોઘા વગેરે તીર્થો મહાપ્રભાવી અને યોજના સુધી ફેલાતી ચેતનાની ઊર્જાવાળાં છે, જ્યારે શ્રમણભગવંતો હરતાંફરતાં તીર્થો છે. તેમની આરાધના સૌભાગ્યદાયિની છે. આ તીર્થની સ્થાપના સ્વયં તીર્થકરો કરે છે. જન્મદાતા પિતા એવા તીર્થકરો સ્થાપના પછી નવજાત શ્રીસંઘને “નમો નિત્યમ્સ' બોલી નમસ્કાર કરે છે. પરમાત્મા ઉપાદિષ્ટ માર્ગે ચાલતાં શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાઓનો સંકલિત સમૂહ એટલે શ્રી ચતુર્વિધ સંઘ. ત્રણેય લોકમાં વિશિષ્ટ, લોકોત્તર અને શ્રેષ્ઠત્તમ શ્રીસંઘ સૌને વંદનીય અને ઉપાસનીય બને છે. શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોની સામૂહિક પ્રતિષ્ઠા, પ્રસ્થાપના, સાધના, ઉપાસના દ્વારા જે જે સિદ્ધિઓ અને પરમ કેવળજ્ઞાન જેવી ઉપલબ્ધિઓ ઉદારદિલ વિનિયોજન માટે જ જાણે તીર્થકરો ચતુર્વિધશ્રીસંઘને લોકમાં પ્રસ્થાપિત કરે છે, પછી તે શ્રીસંઘના ચાર પાયાનાં શુભ નામો ગૌતમગણધરસાધ્વી ચંદનબાળા, આનંદશ્રાવક કે સતી સુલસા જે હોય તે. શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ્ય સર્વજીવાત્માઓની પોતપોતાનાં સ્થાનથી વધુ પ્રગતિનો ધર્મપુરુષાર્થ કરાવી પરમગતિ–મોક્ષ સુધી પણ ઉન્નતિ કરાવવા માટેની પ્રશસ્ય ભૂમિકા છે. કેવળી તીર્થકરો સ્વયં પણ સમકિતની પ્રાપ્તિ અને તીર્થંકરપદની આરાધના પૂર્વના કોઈને કોઈ તીર્થંકરના શાસનનું અવલંબન લઈ નગરમાં કે જંગલમાં, સમૂહમાં કે એકાન્તમાં પણ રહીને વીસસ્થાનક કે તેમાંનાં કોઈ એક કે બે આદિ સ્થાનકોની આરાધના દ્વારા તથા ચૌદેય રાજલોકના તમામ જીવોને શાસનરસી બનાવવાની શુભ લેશ્યા દ્વારા તીર્થકર નામ કર્મ નિકાચિત કરવા દ્વારા કરે છે. તેમ કૌટુંબિક ભાવનાથી પ્રતિબદ્ધ ઉચ્ચાત્માઓ ગણધર નામકર્મને ઉપાર્જિત કરે છે, જ્યારે અન્ય જીવો પણ ચતુર્વિધ શ્રીસંઘની સાક્ષી, હૂંફ અને અન્ય આધાર લઈ સામાન્ય કે વિશિષ્ટ કેવળી થઈ ભાવસાગર તરી જાય છે. જ્યાં જ્યાં જિનશાસનનો વ્યાપ થાય છે ત્યાં ત્યાં મોક્ષમાર્ગ સુગમ બની જાય છે. જૂજ અપવાદો છોડી આધ્યાત્મિક કલ્યાણ શ્રીસંઘની આમન્યા વચ્ચે જ સંપ્રાપ્ત થાય છે, માટે જ ભરતક્ષેત્રની આર્યભૂમિમાં જે રીતે આરાધના પ્રભાવના દર્શનીય બની રહે છે તેવી અમેરિકાના વિલાસી વાતાવરણમાં કે યુરોપના આધુનિક અન્વેષણો વચ્ચે, કે એશિયાના વિરાટ વૈભવો વચ્ચે કે આફ્રિકાનાં જંગલોમાં કે ઓસ્ટ્રેલિયાના ટાપુઓમાં પરમાત્માદર્શિત સાધના-આરાધના યોગ્ય વાતાવરણ વચ્ચે ન પણ જોવા મળે અને તેથી જ દાતાઓના દાનથી શોભિત તીર્થો, જિનાલયો, પ્રતિમાઓ, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ કે ગૌશાળાઓ વગેરે તમામ સુવિધાઓ એક માત્ર ચતુર્વિધ શ્રીસંઘનું જ સામૂહિક બળ છે. આજ સુધીમાં જે જે ઐતિહાસિક ઘટનાઓ બની તે તમામ શ્રીસંઘની મૌલિક શક્તિ છે. વિચાર તો કરો, છ-છ મહિનાના સળંગ ઉપવાસ, વર્ષો સુધી મા ખમણ, સામુદાયિક માસખમણ, સિદ્ધિતપો, અઠ્ઠાઈથી વીસસ્થાનક, વર્ષો સુધી સળંગ વર્ષ તપ, દર વર્ષે સિદ્ધિ તપ, જીવનપર્યત વર્ધમાન આયંબિલ તપ, નવપદજીની ઓળીઓ, અનેક પ્રકારની આરાધના કરનારા વર્તમાનમાં પણ છે. ૦ શ્રી ચતુર્વિધ સંઘ ગ્રંથ યોજનાનું વિશિષ્ઠ આયોજન આપણી પાસે જે વિશ્વવત્સલ પૂજ્ય તીર્થકર ભગવંતોની, ધ્રુવતારક સમા સિદ્ધોની, લબ્ધિવંતા ગણધરોની, જ પણ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy