SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) સંયમ અને સરસ્વતીની સૌરભ ફેલાવનારા શ્રુતસંપન્ન સૂરિવર્યોની પ્રભાવશાળી પરંપરા અને તેના આદર્શો નજર સમક્ષ રાખવા, જૈનશાસનમાં તેઓના મૂલ્યવાન પ્રદાનને સ્મરવા, તેઓના ચરણે અમારી ભાવભરી વંદનાને સમર્પવા, અમે એક અદના સેવક તરીકે રત્નાકર જેવો વિશાળ અને ચિંતામણિ જેવો દુર્લભ મહિમાગ્રંથ આપસૌના હાથમાં મૂકી રહ્યા છીએ, જેમાં સંયમસાધનામાં શિરમોર સમા ચારિત્રપાલકો, વાચનાચાર્યો, જ્યોતિષવિદ્યાના પરમજ્ઞાતાઓ, ધ્યાનસાધનાના ઉપાસકો, સૂત્રાર્થમાં સમ્યક ધારકો, આગમ ઉપરના ભાષ્ય આદિના રચનાકારો ઉપરાંત સંવેગી માર્ગના શ્રદ્ધાસંપન્ન સંરક્ષકોનો સમાવેશ થાય છે. ૦ વીતરાગ દર્શનની અનુપમેયતા વિશ્વનાં વિવિધ દર્શનોમાં વીતરાગદર્શનનો મહિમા અનુપમેય છે. ઉપમા આપવામાં પણ ઉપમેય તો જોઈએ ને? જિનદર્શન એટલું મહાપ્રભાવી, જ્યોતિર્મય, પરમ શ્રદ્ધેય અને પરમ સંયમી છે કે સરખામણી કરવી જ અશક્ય છે. અહંતોએ આ જિનવૈભવનો પાયો નાખ્યો. પાયાના પત્થરો જેમ બહાર ન દેખાય, પણ તેની મજબૂતી પર ભવ્ય મહેલ દર્શનીય બને તેમ આ અહંતોની પરમ તપસ્વી આત્મસાધનાએ મુક્તિપ્રાસાદના દિવ્યાતિદિવ્ય યુગો સુધી જેની નિર્મળ યશોગાથા ગવાતી જ રહે તેવું નક્કર મૂળમંડાણ કર્યું. જીવ માત્રને સૂક્ષ્માતિસૂમ અહિંસા અને ચારિત્ર્યશુદ્ધિ દ્વારા અભય આપવાના સંકલ્પિત સમર્પણના આ દર્શને વર્ણાશ્રમનાં બંધનોથી વિમુક્ત રહી કર્મનિર્જરા દ્વારા મુક્તિના દ્વારને અપાવૃત કરી શાસનને વિજયવંત બનાવ્યું. ખરેખર તો આ છે તીર્થંકરદેવનું પ્રભાવઐશ્વર્ય! • ગુણધર્મની પ્રભાવના પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને જેમણે સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે તેઓ જિન છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને પામે તે જિન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જ રમમાણ રહે તે જિન છે. તીર્થકરો રાજવંશીય હતા, ગણધરો અને કેટલાયે આચાર્યો જૈનેતર હતા. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિ આદિ બ્રાહ્મણવંશના હતા, સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જન્મ્યા હતા. વર્તમાન પરંપરાના પૂ. ચારિત્રવિજયજી બુંદેલખંડના બ્રાહ્મણ હતા. પૂ.આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. પટેલ હતા. વર્તમાન શ્રમણ સમુદાયમાં પણ ઘણાં જૈનેતરો છે. જૈન ધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનનો આધાર તેના જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પણ તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ ઉપર અવલંબે છે. • સંજીવની રસાયણ જૈનશાસનમાં જેમ ગુણોની પૂજા કરનારાઓની એક સુવ્યવસ્થિત સુંદર પરંપરા અનાદિકાળથી અકબંધ રીતે જોવા મળે છે તેમ સંસારના સમસ્ત જીવોને ઊંચામાં ઊંચો ભાવ આપનાર સગુણો અને ભાવશ્રદ્ધાને જો પ્રાધાન્ય આપવામાં આવે, કઠોર પરિશ્રમ અને દઢ મનોબળ કેળવાય, જીવનમરણની ક્ષણોમાં પણ ગુણપ્રાપ્તિની ઝંખના મનમાં જ અંકિત થઈ જાય તો માનવની સંસારયાત્રા જ જીવનનો એક મંગલ મહોત્સવ અને મંજુલ-મંગલની શ્રેણી બની રહેશે. જીવનની લોકોત્તર ખુમારી ખીલવવામાં આ સગુણો જ સંજીવની રસાયણ બની રહેશે. પરમાર્થીઓનાં સેવાકાર્યોની અનુમોદના કરતાં થઈશું ત્યારે જ આપણાં નયનો જગતના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy