SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) • વિશ્વનું શ્રેષ્ઠ પ્રાચીનત્તમ દર્શન હિન્દુસ્તાનના અને જગતભરના તમામ ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન છે એવી ઉદ્દઘોષણાને પશ્ચિમના વિચારકો અને સાક્ષરો વારંવાર અને ભારોભાર સ્વીકારતા રહ્યા છે. વૈદિક અને આર્યસંસ્કૃતિનો મધ્યાહ્ન ભારતમાં જ્યારે તપી રહ્યો હતો, ત્યારે પણ જૈનદર્શન-ચિંતન ઘણાં આગળ નીકળી ગયાં હતાં. આર્યો ભારતમાં પ્રવેશ્યા તે પહેલાં પણ જૈનધર્મ પૂરબહાર ખીલ્યો હતો. ભારતમાં તો અતિ પ્રાચીન કાળથીજ “સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણ કારણ;” “પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમુ” એવી પ્રચંડ સિંહગર્જનાના આભ ગજવતાં ગગનભેદી પડછંદાઓ દેશ-વિદેશોની દશે દિશામાં ગાજંતા રહ્યા છે. જૈન પરંપરા તો ચોવીશે તીર્થકરોને ભક્તિભાવથી પૂજે છે, પરંતુ અન્ય પરંપરાઓમાં પણ ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ વગેરે નામોલ્લેખ મળે છે. ઋગ્વદ, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં પણ ઋષભ, અરિષ્ટનેમિ વગેરે જૈન તીર્થકરોના ઉલ્લેખો મળે છે. શ્રીમદ્ ભાગવતમાં તો ભગવાન ઋષભદેવને આઠમા અવતાર તરીકે સ્વીકાર્યા છે. આ બધા જૈનધર્મની પ્રાચીનતાના પ્રબળ પુરાવા છે. જૈનધર્મ એ કોઈ ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો ધર્મ નથી પણ જીવમાત્રનો એ ધર્મ છે, સમગ્ર વિશ્વનો એ ધર્મ છે. • વીરશાસનની ઉજ્જવળ ઝલક : ઝળહળતી દીપ્તિ શાસનના ભવ્ય ભૂતકાળ પર નજર કરીએ છીએ ત્યારે એ વાતની જરૂર પ્રતીતિ થાય છે કે આર્યકુળ અને આર્યદેશને સાર્થક કરનારા અનેક પ્રભાવકો પોતાના જ્ઞાનઉજાસથી શાસનને અનોખી સિદ્ધિ અને સમૃદ્ધિથી શોભાવી ગયા. જ્ઞાનસાધના, ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની સુવાસથી મઘમઘતા જૈનશાસનના આ ઉદ્યાનમાં રહીને પૂર્વના પ્રતાપી પુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું. પૂર્વજોએ સુવર્ણભંડારો ખુલ્લા મૂકી, કલાના નમૂના સમાન ગગનચુંબી જિનાલયો બંધાવ્યાં, તો પ્રતિભાસંપન્ન તાર્કિકોએ “સન્મતિતર્ક', “અનેકાન્ત જયપતાકા’ અને ‘સ્યાદ્વાદ મંજરી' જેવા મૂલ્યવાન ગ્રંથોનો આપણને વારસો આપ્યો. વળી વાદસમર્થકોએ વાદચર્ચામાં અસાધારણ બુદ્ધિવૈભવ દાખવ્યો. સાક્ષરોએ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને અન્ય ભાષાઓનું ખેડાણ કરી અમૂલ્ય રહસ્યોનું આલેખન કર્યું. આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને એના ઘરમાં જઈને જીતી લીધો, તો નટોએ નાચતાં અને નાટક કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. પારણામાં જ અગિયાર અંગ ભણી જતાં બાળકો વગેરેએ અપૂર્વ ઇતિહાસને સર્જી જૈનશાસનને વિશ્વના ઇતિહાસમાં અભુત સ્થાનનું અધિકારી બનાવ્યું છે. તીર્થકર દેવોના પ્રબળ પુણ્યવંતા સમયગાળામાં જૈનશાસનની આબાદી અને સમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી. શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ રેલાયો. એ સૌનાં જીવનકવન ભવ્ય હતાં. તેઓના ઉપદેશથી જ જૈનો સદાચારની જીવંત મૂર્તિરૂપ બનતા. શ્રમણોમાં અલૌકિક બુદ્ધિવૈભવ હોવા છતાં નિરાભિમાની રહીને સર્વદા સુલભ, સુગમ શાસ્ત્રોની રચના કરીને સાચા અર્થમાં આપણા કલ્યાણમિત્ર બન્યા. ભૂતકાળના એ ભવ્યાતિભવ્ય વારસાને અંતરની અનંત વેદનાઓ! ૦ નમો તિત્યસ્સા તીર્થની વ્યાખ્યા જ એવી છે, જે પાસે આવનારને તીર્થ બનાવે અથવા “તારે તે તીર્થ.” જિનદર્શનમાં તીર્થો બે પ્રકારનાં છે. નિશ્ચિત જગ્યા પર અવિચલ રહેતાં તીર્થ અને હાલતાં ચાલતાં તીર્થ. આવાં તીર્થોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy