SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) પુરોવચન શ્રી ચતુર્વિધસંઘનું સર્વગ્રાહી અવલોકન [સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન] ૦ મંગલવચન નમસ્કાર! વીતરાગ વંદના, અણગાર વંદના, નવપદ વંદના, દેવદેવી વંદના, અન્ય શ્રી ઋષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થંકર ભગવંતોમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરાઓમાં જૈન શ્રમણસંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે, તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દૃષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યુર્વતની આ ગૌરવવંતી પુનીતપાવન ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, સૌપ્રથમ પરમતારક વીતરાગપરમાત્મા જેઓ આત્મપ્રકાશના સ્વામી અને ત્રણેય લોક માટે મંગલસ્વરૂપ બન્યા છે, જે સૌના તારક અને ધારક રહ્યા છે, એવા ત્રિજગનાયકને પંચાંગ પ્રણિપાત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળાં નવેય પદોને ત્રિવિધે નમસ્કાર હોજો. જાગૃત સમ્યગ્દષ્ટિ દેવદેવીઓને સ્તવી, ધ્યાન ધરી તેઓની વિશેષ સહાય ઇચ્છું છું. અણગારોને પણ વારંવાર વંદના કરું છું. જૈન આચારવિચારને પાળનારા અને અનુમોદન કરનારા તેમજ પ્રેરણા આપનારા સર્વ ઉપકારીઓને પણ ભાવથી વંદના કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.o
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy