SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મના દળદાર મૂલ્યસભર ગ્રંથો રજૂ કર્યા છે અને હવે જૈનસમાજનાં કરકમળોમાં નેત્રદીપક-ધ્યાનાકર્ષક એવો ગ્રંથ : શ્રી “ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા' રજૂ કરવા જઈ રહ્યાં છો તે અનુપમ અવસરે તમોને હૃદયપૂર્વક હું આશીર્વચન પાઠવું છું. વર્તમાને પ્રચારાત્મક સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં પ્રકાશિત થાય છે પણ તેમાં આત્મોન્નતિની માત્રા અલ્પ જોવામાં આવે છે. જે સાહિત્ય આત્મસ્વભાવને સ્થિર ન કરે, આત્મદર્શન ન પમાડે કે વૈરાગ્યમાં આસક્તિ ન જગાવે કે જનનીજનકની સેવા-સુશ્રુષા કરવાનું ન સુઝાડે તે ધર્મવિમુખ આત્માને લાભકર્તા થતું હશે પરન્તુ ધર્માભિમુખને તે સાહિત્ય કામનું નથી. જિંદગીના કિંમતી ૪૦ વર્ષોમાં તમે જે દડમજલ કાપી છે અને નિચોડ સમાન જે જે ગ્રંથો સંકલિત કર્યા છે તે જૈન સાહિત્યની તવારીખમાં સદા સર્વદા સુવર્ણાક્ષરે અંકિત રહેશે. સમયસરિતા વહેવા સાથે સંકલનકારની હથોટી બેસી જાય છે છતાં તેને અંતરના અગોચર ખૂણે થતું હોય છે કે જ્ઞાનના સાચા દાતા તો અતીત, અનાગત ને વર્તમાન ચોવીસીના અનંતાનંત કેવલજ્ઞાની તીર્થંકર પરમાત્માઓ જ છે. હું તો તેમનો એક દુભાષિયો અથવા અદનો સેવક છું. સાહિત્યનું સર્જન કરવું અને સંપાદન કરવું. આ બંને વચ્ચે સૂમ ભેદરેખા પ્રવર્તે છે. એકાંતે તેમજ અપવાદે સંકલનકારનું કાર્ય ઘણું જ કઠિન, વિષમ તથા પરિશ્રમ ભરેલું હોય છે. તમારા ભગીરથ પ્રયત્નોથી સંકલિત થયેલ “શ્રી ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા'રૂપ મહાકાય ગ્રન્થમાં તમોએ જે લેખિની ચલાવી છે તે જ્ઞાન, દર્શન ગુણને પોષક છે, ખીલવનાર છે, આત્મજાગૃતિને સ્થિર કરી વૃદ્ધિ પમાડનાર છે. પ્રસ્તુત ગ્રન્થમાં ખાસ કરીને ગૌતમસ્વામી તેમજ સુધર્માસ્વામીથી શરૂ કરીને અત્યાર સુધીના આચાર્યો, વિવિધ સંપ્રદાયના કેટલાય પૂજ્ય આચાર્ય ભગવંતોનાં આશ્ચર્યકારક અને પ્રભાવક જીવનચરિત્રો દૃષ્ટિગોચર થાય છે. વિશિષ્ટ તપસ્વીનાં અને શ્રાવિકાઓની માતા સમાન જ્ઞાનસાધનાવર્તી સાધ્વીજીગણનાં ચરિત્રો, ભગવાન મહાવીરના સમયે થયેલાં આનંદાદિ દસ શ્રાવકો, તેજસ્વી-તપસ્વી તથા શ્રતપ્રિય જ્ઞાનપિપાસુ શ્રાવકો, તપ-ત્યાગ અને અધ્યયન-ક્રિયાકાંડમાં જીવન વ્યતીત કરતી શીલવાન શ્રાવિકાઓ, દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓની માતાઓ, પુણ્યશાળી પૂર્વધરો, મંત્રવિદ્યાના પારગામીઓ આદિ વિષયો પર વિશદ છણાવટ જોવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાના કર્માનુસાર શુભ-અશુભ સમય ઉદયમાં આવ્યાં જ કરતો હોય તો પણ “વિનૈઃ પુનઃ પુનરપિ પ્રતિક્રમના પ્રાધ્યમુત્તમનનાઃ ન પરિત્યજ્ઞત્તિ” એ શ્લોકાર્ધના અર્થાનુસારે મક્કમ મનોબળના માનવો કાર્યો પૂરાં કરે જ તેવી જ રીતે સાહિત્યસેવી અને સમાજના દરેક વર્ગના આદર-સમ્માનિત એવા ભાઈશ્રી નંદલાલ દેવલુકે જીવનની અનેક વિટંબણાઓ વચ્ચેથી માર્ગ કરીને આ સંપાદિત ગ્રન્થ પૂર્ણ કર્યો છે. તેમના જીવનના શિરમોર સમાન લગભગ એકવીસ ગ્રંથોના સંપાદન બદલ તેમના પરિવારજનો તેમજ બ્રહ્મભટ્ટ જ્ઞાતિજનો આજે ગૌરવાન્વિત છે. જૈન ધર્મના રક્ષણ કાજે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર આ જ્ઞાતિના એક સપૂતે એકલવીર બનીને કલમના માધ્યમે જિનશાસનની ધર્મપતાકા દિગદિગંતમાં લહેરાવીને પોતાના જીવનને ધર્માભૂષણોથી અલંકૃત કર્યું છે. તેની અન્ય કોઈ મિસાલ નથી, તેના જેવી અન્ય કોઈ ઉપલબ્ધિ નથી. તમારી નિશ્ચયબળવતી ભવભવાંતરની અધૂરી રહેલી જ્ઞાનસાધના દુર્લભ એવા માનવભવમાં જ પૂર્ણ કરવાની ખેવના નિહાળીને વિદ્વાનો, સાક્ષરો તેમજ પ્રાતઃવંદનીય એવા પૂજ્ય ગુરુ ભગવંતો તમારી અનુમોદના કરે, પ્રશસ્તિ કરે, અહોભાવ વ્યક્ત કરે કે સરાહના કરે તે સહજસ્વાભાવિક છે. તમારા જીવનઘડતરમાં વિધાતાએ પુષ્પ જેવું ઋજુ અને કોમળ રસાયણ મૂક્યું છે જે ગમે તેવા કાષ્ટને છેદી કાઢતાં ભ્રમરને પણ એકવાર પ્રેમના પાશમાં કેદ કરી ઘે છે, જે હૃદયરૂપી પુષ્પકળીમાં એકવાર કેદ થયા પછી જીવનભર માટે વશ થઈ જાય છે. પરમકૃપાળુ પરમાત્મા તમોને હજુ પણ વિશેષ કરીને શક્તિસામર્થ્ય બક્ષે એ જ અભિલાષા! ધર્મલાભ! ધર્મલાભ! ધર્મલાભ! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy