SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રમણે ચંદ્રલેખાવિજયપ્રકરણ નામે પંચાંકી નાટક રચેલું. આ નાટક કુમારપાલના વીરત્વને સૂચવે છે. તદુપરાંત તેમણે સનત્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ ઉપર પણ માનમુદ્રાભંજન નામે એક નાટક રચેલું. * મુનિરત્નસૂરિ—પૌર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિના શિષ્ય હતા. તેમણે નરવર્મા રાજાની સભામાં વિદ્યાશિવ વાદીને હરાવેલ. તેઓએ સંવત ૧૨૨૫માં અમમ સ્વામીચિરત્રની રચના કરી. તેમણે અંબડચિરત્ર અને મુનિસુવ્રતચારિત્રની પણ રચના કરેલી. * સોમપ્રભસૂરિ—કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા લીધેલી. તીવ્રબુદ્ધિ પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરેલી. કાવ્યવ્યાખ્યાન અને તર્કશક્તિમાં પ્રધાન એવા આ આચાર્યે રચેલ ગ્રંથોમાં સુમતિનાથ ચરિત્ર, સૂક્તિ મુક્તાવલિ, શતાર્થકાવ્ય અને કુમારપાલ- પ્રતિબોધ એ ચાર ગ્રંથ મુખ્ય છે. * હેમચંદ્રાચાર્ય-કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા આ આચાર્યનો સમય ગાળો સંવત ૧૧૬૨થી ૧૨૨૯નો હતો તે સમય સાહિત્યજગતમાં હેમયુગની જેમ પ્રવર્તો છે. તેના જીવનકાળમાં ગુજરાતમાં રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળ બે રાજાનાં શાસન પ્રવર્તમાન રહ્યાં. બંને ઉપર હેમચંદ્રાચાર્યનો જબ્બર પ્રભાવ હતો. આમ તો હેમચંદ્રાચાર્ય પોતે જ એક વિરાટ પુસ્તકમાં સમાવવા યોગ્ય અદ્ભુતપાત્ર છે, પણ આપણો આ લેખ કેવળ શ્રુતોપાસના દ્વારા થયેલ સાહિત્યસર્જનને સ્પર્શતો હોવાથી તેમના ચરિત્રની અનેક બાબતોને સુપ્તાવસ્થામાં રાખીને જ માત્ર તેમની સાહિત્યયાત્રા દરમિયાન થયેલાં સર્જનોની ઝાંખી કરાવવા પૂરતો જ મર્યાદિત રહે છે. સ્થાનકપ્રકરણના રચયિતા પ્રદ્યુમ્નસૂરિ થયા તેમના પ્રશિષ્ય થયા દેવ ચંદ્રસૂરિ—કે જેમણે સ્થાનકપ્રકરણની ટીકા રચી તેમ જ શાંતિજિનચરિત્ર રચ્યું. તેઓએ મોઢ જાતિના વણિક દંપતી કે જેઓ ધંધુકામાં રહેતા હતા તેના ચંગદેવ નામક પ્રતિભાવાનૢ બાળકને જોયો. તેને દીક્ષા આપી તેનું સોમચંદ્ર નામ રાખ્યું. અલૌકિક બુદ્ધિવાળો આ બાળક લીલામાત્રમાં અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને સમર્થ વિદ્વાન્ મુનિ બન્યા. તેને હેમચંદ્ર નામ સાથે આચાર્ય પદવી પ્રદાન થઈ. સિદ્ધરાજ રાજા તેનાથી પ્રતિબોધ પામ્યો. તે રાજાના કથનથી જૈનજગત્ને અદ્ભુત વ્યાકરણની ભેટ મળી તે સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન. એ જ રીતે અદ્ભુત કાવ્યશક્તિનો Jain Education International For Private ૧૦૧ પરિચય આપતું મહાકાવ્ય તેમણે રચ્યું તે ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર-જે દશ પર્વોમાં વિભાજિત છે ઃ જો કે વ્યાકરણ તો ચાર જૈનાચાર્યોએ ભેટ આપ્યાં-૧-વિદ્યાનંદ, ૨ મલયગિરિષ્કૃત શબ્દાનુશાસન, ૩–જૈનેન્દ્રવ્યાકરણ અને ૪-શાક્યાયન વ્યાકરણ, પણ હેમચંદ્રાચાર્યમૃત વ્યાકરણ આજ પર્યન્ત અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે પ્રસિદ્ધ છે. કુમારપાળ પાસે અમારિ પાલન કરાવનાર આ આચાર્ય દ્વારા ભક્તિગ્રંથ પણ સર્જાયો જેને વીતરાગસ્તોત્ર કહે છે. તેમ જ મહાદેવસ્તોત્ર પણ કહે છે. તેમ જ આચારપાલન માટે તેમણે કુમા૨પાલને ઉદ્દેશીને ગ્રંથ રચ્યો તે યોગશાસ્ત્ર. તે સિવાય તેમણે હ્રયાશ્રય મહાકાવ્ય, છંદાનુશાસન, અલંકાર, નામસંગ્રહ, અભિધાન ચિંતામણિ આદિ અન્યગ્રંથો પણ રચ્યા. એ રીતે તેઓનું કુલ સાહિત્ય સાડા ત્રણ કરોડ શ્લોક-પ્રમાણ રચાયું. કિંચિત્ વિસ્તારથી તેમની સાહિત્ય સેવાને જોઈએ તો વ્યાકરણના પાંચે અંગોની તેમણે રચના કરી–સૂત્ર, ગણપાઠ સહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ અને લિંગાનુશાસન. વળી મૂળસૂત્રો પર લઘુવૃત્તિ, બૃહવૃત્તિ, બૃહન્યાસ, ધાતુપારાયણ, ઉણાદિગણવિવૃત્તિ ઇત્યાદિ. શબ્દાનુશાસનમાં જ સાત અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ અને આઠમો અધ્યાય પ્રાકૃત વ્યાકરણનો રચ્યો. તેમાં અપભ્રંશ ભાષાને પણ સ્થાન આપ્યું. આ વ્યાકરણના અધ્યયન બાદ ઉપયોગી એવું સંસ્કૃત યાશ્રય અને પ્રાકૃત દયાશ્રય એવાં બે મહાકાવ્યો રચ્યાં, જેના દ્વારા વિદ્યાર્થી શીખેલા પ્રયોગોને ક્રમશઃ દૃઢ કરી શકે તેવી વિશિષ્ટપ્રણાલી આ કાવ્યોમાં ગોઠવી. એક જ શ્લોક સાત સ્થાને લાગુ પડે તેવું સપ્તસંધાન મહાકાવ્ય પણ રચ્યું. પછી ચાર કોષગ્રંથો રચ્યા-અભિધાન ચિંતામણિ-નામમાલા, અનેકાર્થસંગ્રહ, દેશી નામમાલા, અને નિઘંટુશેષ અલંકાર માટે કાવ્યાનુશાસનની રચના કરી. છંદને માટે છંદાનુશાસન બનાવ્યું. એ રીતે ચાર અનુશાસન રચ્યાં. શબ્દ, લિંગ, કાવ્ય અને છંદનાં અનુશાસન. તેઓએ વાદાનુશાસન પણ બનાવેલ જે હાલ ઉપલબ્ધ નથી. ન્યાયશાસ્ત્ર માટે પ્રમાણમિમાંસા નામક અદ્ભુતગ્રંથ રચ્યો. અન્યયોગ વ્યચ્છેદ અને અયોગવ્યચ્છેદ નામની બત્રીશીઓ રચી. ધાર્મિક સાહિત્ય રૂપે યોગશાસ્ત્રની રચના કરી. ભક્તિ સાહિત્યમાં વીતરાગસ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર રચ્યાં, ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય રચ્યું. કોઈ કહે છે કે તેમણે અર્જુન્નીતિ નામક નીતિવિષયક ગ્રંથ પણ રચેલો, ઇત્યાદિ અનેક સાહિત્યના સર્જક એવા આ શ્રુતોપાસકને કલિકાલસર્વજ્ઞનું બિરુદ યથાયોગ્ય જ છે. * રામચંદ્ર અને ગુણચંદ્રસૂરિ—હેમચંદ્રાચાર્યના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy