SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ * મહેન્દ્રસૂરિ—સંવત ૧૧૮૭માં પ્રાકૃતમાં નર્મદાસુંદરી કથા રચી. * સિદ્ધિસૂરિ—ઉપકેશ ગચ્છીય દેવગુપ્ત સૂરિના શિષ્ય હતા. તેઓએ સંવત ૧૧૯૨માં ક્ષેત્રસમાસ વૃત્તિ રચી. * વિજયસિંહસૂરિ——મલધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય હતા. તેમણે સંવત ૧૧૯૧માં ૧૪૪૭૧ શ્લોકપ્રમાણ ધર્મોપદેશમાલા વિવરણ રચ્યું. * ચંદ્રસૂરિ—મલ્લધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય શ્રી ચંદ્રસૂરિ હતા. સંવત ૧૧૯૩માં તેઓએ મુનિ સુવ્રતરિત્રની રચના કરી, જે ૧૦૯૯૪ શ્લોકપ્રમાણ હતું. તેઓએ જિનભદ્ર ક્ષમાશ્રમણકૃત્ સંગ્રહણીને આધારે સંગ્રહણીરત્ન નામક ગ્રંથ રચેલો તેમજ ક્ષેત્રસમાસની પણ રચના કરેલી. * દેવભદ્રસૂરિ તેઓ મલધારી શ્રી ચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે શ્રી ચંદ્રસૂરિકૃત સંગ્રહણી પર વૃત્તિ રચેલી છે તથા ન્યાયાવતાર ટિપ્પણ પણ રચેલ છે. ★ વર્ધમાનસૂરિ—ગોવિંદસૂરિના શિષ્ય એવા વર્ધમાનસૂરિએ સંવત ૧૧૯૭માં ગણરત્નમહોદધિ નામક વ્યાકરણગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિ સહિત બનાવ્યો. તેમાં ગણોને શ્લોકબદ્ધ કરી તે ગણના પ્રત્યેક પદને સદૃષ્ટાંત વ્યાખ્યાયિત કર્યાં છે. તેમાં અનેક વૈયાકરણોના મતનો ઉલ્લેખ છે. સમજાવટમાં માલવાના પરમાર રાજાઓના સંબંધી કાવ્યો પણ આપેલાં છે. તે ઉપરાંત તેમણે સિદ્ધરાજના વર્ણન સંબંધી પણ કોઈ ગ્રંથ રચ્યાનું મનાય છે. વિક્રમ સંવત ૧૧૯૯થી ૧૨૩૨નો સાહિત્યયુગ ⭑ મલયગિરિ મહારાજ—હેમચંદ્રાચાર્યના સમકાલીન એવા સમર્થ સંસ્કૃત-ટીકાકાર મલયગિરિજી મહારાજા થયા. કહેવાય છે કે તે સરસ્વતી દેવી પ્રાસાદ- લબ્ધ શ્રમણ હતા. તેઓએ બેનમૂન શ્રુતોપાસના થકી અનેક સાહિત્યોનું સર્જન કર્યું. તેમણે આગમોની વૃત્તિ, ગ્રંથોની ટીકા, વ્યાકરણરચના આદિ અનેક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરેલું છે, જેનો કિંચિત્ નામોલ્લેખ કરીએ તો–આવશ્યક ગૃહવૃત્તિ, પિંડનિર્યુક્તિવૃત્તિ, ઉપાંગસૂત્રોમાં જીવાજીવાભિગમ પન્નવણા, સૂર્યપ્રજ્ઞપ્તિ,ચંદ્રપ્રજ્ઞપ્તિ, રાયપ્પસેણીય આદિ, તદુપરાંત જ્યોતિષ કરંડક, નંદિ, બૃહત્કલ્પ, ભગવતી બીજું શતક, વ્યવહારસૂત્ર, વિશેષાવશ્યક આદિની વૃત્તિઓની રચના કરી. આગમેતર ગ્રંથોમાં ક્ષેત્રસમાસટીકા, Jain Education International For Private ચતુર્વિધ સંઘ કર્મપ્રકૃતિટીકા, પંચસંગ્રહટીકા, ધર્મસંગ્રહણીટીકા, ધર્મસારટીકા, પડશીતિટીકા, સપ્તતિકા ટીકા આદિ વિવેચનગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત શબ્દાનુશાસન નામે વ્યાકરણ રચેલું છે. આજે પણ જૈન સાહિત્ય જગતમાં વૃત્તિકાર મહર્ષિરૂપે તેમનું નામ ઘણાં જ ગૌરવથી યાદ કરાય છે. * લક્ષ્મણ ગણિ-મલ્લધારી હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે સંવત ૧૧૯૯માં ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ સુપાર્શ્વનાથ-ચરિત્ર રચેલ છે. * વિક્રમ સંવત ૧૨૦૪થી ૧૨૯૯માં ઘણું સાહિત્યસર્જન થયું, જેમ કે-જિનભદ્રે ઉપદેશમાલાકથા, ચંદ્રસેને વ્યાકરણ સંબંધી ગ્રંથ ઉત્પાદસિદ્ધિ, નેમિચંદ્રે પ્રાકૃતમાં અનંતનાથચિરત, કનકચંદ્રે પૃથ્વીચંદ્રચરિત ટિપ્પણ, રવિપ્રભે શીલભાવના વૃત્તિ એમ અનેક ગ્રંથો રચાયા. * શ્રીચંદ્રસૂરિ—સર્વદેવસૂરિના પરિવારવર્તી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. તેમણે પાટણમાં સંવત ૧૨૧૪ માં ૮૦૦૦ શ્લોક પ્રમાણ અને પ્રાકૃતભાષામય સનત્કુમાર ચરિત્રની રચના કરી. * વિજયસિંહસૂરિ—રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારના જિનચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે ઉમાસ્વાતિ વાચક ચિત જંબુદ્વીપ સમાસ પર વિનેયજનહિતા નામની ટીકા રચેલી. * હરિભદ્રસૂરિ—વડ-બૃહદ્ ગચ્છમાં થયેલા જિનચંદ્ર-સૂરિના પરિવારના શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ થયા. તેઓ ગુર્જર રાજધાની પાટણમાં ઘણો કાળ રહેલા. તેમણે ચોવીસે તીર્થંકરોનાં ચરિત્ર પ્રાકૃત-અપભ્રંશાદિ ભાષામાં રચ્યાં. તેમાંનાં ચંદ્રપ્રભ-મલ્લિનાથ અને નેમિનાથનાં ચરિત્રો હજી પણ ઉપલબ્ધ છે, જેનું ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ કદ છે, જેમાંનું નેમિનાથ ચરિત્ર અપભ્રંશ ભાષામાં જ રચાયેલ છે. * પદ્મપ્રભસૂરિ—વિક્રમ સંવત ૧૨૨૧માં પદ્મપ્રભસૂરિએ ભુવનદીપક નામે જ્યોતિનો ગ્રંથ રચ્યો, જેનું બીજું નામ ગ્રહભાવપ્રકાશ છે. આ પદ્મપ્રભસૂરિને કોઈ મતે વાદીદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે. પરમાનંદસૂરિ—શાંતિસૂરિના ★ શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનંદસૂરિ થયા. તેઓએ પ્રાચીન કર્મગ્રંથના પહેલા કર્મગ્રંથ ઉપર ૯૨૨ શ્લોક પ્રમાણ સંસ્કૃતવૃત્તિ રચેલી. * દેવચંદ્રમુનિ—હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy