SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આ બંને પટ્ટધરો હતા. તેમાં રામચંદ્રસૂરિને સિદ્ધરાજે કવિકટારમલ્લ એવું બિરુદ આપેલું. આ બંને આચાર્યોએ મળીને સ્વોપક્ષવૃત્તિ સહ દ્રવ્યાલંકાર અને વિવૃત્તિ સહિત નાટ્યદર્પણ રચેલાં. રામચંદ્રસૂરિએ પણ અનેક ગ્રંથોની રચના કરી છે જેવા કે–સત્યહરિશ્ચંદ્ર નાટક, કૌમુદી મિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ, રાઘવાભ્યુદય, યાદવાભ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ, નવવિલાસ, મલ્લિકામ-કરંદપ્રકરણ, રોહિણીમૃગાંકપ્રકરણ, વનમાલા આદિ નાટકો, કુમારવિહારશતક, સુધાકલશ, હૈમબૃહવૃત્તિ ન્યાસ, ત્રણેક દ્વાત્રિંશિકા, કેટલાંક સ્તવન અને સ્તોત્રો ઇત્યાદિ. મહેન્દ્રસૂરિ નામના શિષ્યએ પણ અનેકાર્થસંગ્રહ પર અનેકાર્થ કૈરવાકરકૌમુદી નામે ટીકા રચેલી છે. વર્ધમાન ગણિએ કુમારવિહાર પ્રશસ્તિકાવ્ય વ્યાખ્યાદિ રચેલ છે. બાલચંદ્ર નામના શિષ્ય સ્નાતસ્યાસ્તુતિ રચી છે. * રામભદ્ર—હૈમયુગમાં જ દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર પ્રબુદ્ધ રૌહિણેય નાટક રચ્યું, જે છ અંકી હતું. વિક્રમની આઠમીથી બારમી સદી અપભ્રંશ સાહિત્યકાળ— હેમચંદ્રાચાર્યે અપભ્રંશ વ્યાકરણ રચેલું તેથી તે યુગમાં અને તે પૂર્વે પણ અપભ્રંશ સાહિત્ય રચાયું હશે. તે અનુમાન તો થઈ જ શકે છે. ગુજરાતી ભાષાની જનની પણ અપભ્રંશ ભાષા કહેવાય છે. જો કે આપણું આ લેખનું કાર્યક્ષેત્ર શ્રમણો છે તેથી ગૃહસ્થરચિત કૃતિઓનો ઉલ્લેખ તેમાં કરતા નથી. અન્યથા સ્વયંભૂદેવ, કવિધનપાલ આદિ ગૃહસ્થોનો ઉલ્લેખ જરૂર કરવો પડે. અહીં અમે શ્રમણોની શ્રુતોપાસનાને જ આ વિભાગમાં સ્વીકારી હોવાથી શ્રમણો દ્વારા થયેલા શ્રુતોપાસનાજન્ય સાહિત્યનો જ ઉલ્લેખ કરીએ છીએ. અગિયારમી સદીમાં મહેશ્વરસૂરિએ સંયમમંજરી રચી. શ્રી ચંદ્રમુનિએ ૫૩ સંધિ (સર્ગ) માં કથાકોશ રચ્યો. સંવત ૧૦૭૬માં સાગરદત્તે જંબુસ્વામીચરિત્ર રચ્યું. પદ્મકીર્તિએ ૧૮ સંધિમાં પાર્શ્વપુરાણ રચ્યું. બારમી સદીમાં નવાંગીટીકાકાર અભયદેવસૂરિએ ૩૩ ગાથામાં જ્યતિહુઅણ સ્તોત્ર રચ્યું. સંવત ૧૧૨૩માં સિદ્ધસેનસૂરિએ વિલાસવઈકહા રચી. દેવચંદ્રસૂરિએ સુલસાખ્યાન રચ્યું. દેવચંદ્રસૂરિએ ૧૧૬૦માં રચેલ શાંતિનાથ Jain Education International For Private ચતુર્વિધ સંઘ ચરિત્રમાં–વર્ધમાનસૂરિએ રચેલ ઋષભચરિત્રમાં તેમ જ સંવત ૧૧૯૯માં લક્ષ્મણ ગણિએ રચેલ સુપાસનાહચરિયુંમાં પણ અપભ્રંશ ભાષાનો પ્રયોગ કેટલેક સ્થાને જોવા મળે છે. આ જ સમયગાળામાં જિનદત્તસૂરિ રચિત ચર્ચરી, ઉપદેશ-૨સાયનરાસ, કાલસ્વરૂપખુલક જોવા મળે છે. વાદીદેવસૂરિએ પણ બારમી સદીમાં પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિનું સ્તવન રચેલ છે. સંવત ૧૨૧૬માં થયેલા હિરભદ્રસૂરિનું નેમિનાહચરિયું પણ પ્રાકૃત અપભ્રંશ ભાષામાં છે. અપભ્રંશ સાહિત્યનું આ તો કિંચિત્ દર્શનમાત્ર છે. વાસ્તવિક રીતે તો અપભ્રંશ સાહિત્ય પર જ એક આખું પુસ્તક તૈયાર થઈ શકે તેમ છે. સંવત ૧૨૩૦થી ૧૨૯૯નો સાહિત્યકાળ વાદી દેવસૂરિના પ્રશિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થલ નામનો ગ્રંથ રચેલો જે ખરતરગચ્છના જિનપતિસૂરિના મતાનુયાયીના ખંડનરૂપ છે. તેની સામે જિનપતિસૂરિએ પ્રબોધ્યવાદસ્થલ નામનો ગ્રંથ રચ્યો. સંવત ૧૨૩૩માં જિનપતિસૂરિએ તીર્થમાલા, સંઘપટ્ટક ગૃહવૃત્તિ, પંચલિંગી વિવરણ આદિ ગ્રંથો રચ્યા. સંવત ૧૨૩૩માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ નેમિનાથરિયું અને સંવત ૧૨૩૮માં ઉપદેશમાલા પર દોઘટ્ટી ટીકા રચી. તદુપરાંત સ્યાદ્વાદ રત્નાકર પર રત્નાવતારિકા ટીકા રચી. વાદી દેવસૂરિના શિષ્ય મહેશ્વરસૂરિએ પાક્ષિકસપ્તતિ પર સુખપ્રબોધિની વૃત્તિ રચી. સંવત ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ કુમારપાલ પ્રતિબોધ રચ્યો. સંવત ૧૨૪૩માં યશોધોષસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિએ પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ રચી. સંવત ૧૨૪૬માં રાજગચ્છના માણિક્યચંદ્રસૂરિએ મમ્મટના કાવ્યપ્રકાશ પર કાવ્યપ્રકાશ-સંકેત નામક ટીકા રચી. આ જ સમયમાં વાદી દેવસૂરિના પ્રશિષ્ય પરમાનંદસૂરિએ ખંડનમંડનટિપ્પણ રચ્યું. સંવત ૧૨૪૮માં ચંદ્રગચ્છ-રાજગચ્છના અભયદેવસૂરિના પિરવારીય એવા દેવભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ પ્રવચનસારોદ્વાર પર તત્ત્વજ્ઞાન વિકાસિની નામની વૃત્તિ રચી. તે સિવાય તેમણે પ્રદ્મપ્રભચરિત્ર, સમાચારી અને સ્તુતિની પણ રચના કરેલી. વાદિ વિજેતા ધર્મઘોષસૂરિના પરિવારના રવિપ્રભસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ પ્રવચન સારોદ્વાર પર વિષમપદ વ્યાખ્યા રચી તેમ જ બીજા અને પાંચમા કર્મગ્રંથ પર ટિપ્પણો રચ્યાં. આ ધર્મઘોષસૂરિના જ પરિવારના દેવસેનગણના શિષ્ય પૃથ્વીચંદ્રસૂરિએ કલ્પટિપ્પણકની રચના કરી. સંવત Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy