SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા * માણિક્યચંદ્રસૂરિચંદ્રગચ્છની પરંપરામાં થયેલ પ્રદ્યુમ્નસૂરિની પરંપરામાં પાર્શ્વનાથચરિત્ર રચેલું. આ આચાર્ય થયા. તેઓએ * અભયદેવસૂરિ-૧-ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા તેઓને ‘તર્કપંચાનન' એવું બિરુદ મળેલું. તેમણે સિદ્ધસેન દિવાકર રચિત સન્મતિતર્ક પર તત્ત્વબોધવિધાયિની નામક ટીકા રચેલી, જેને વાદમહાર્ણવ કહે છે. આ ટીકા સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. તેમાં અનેકાન્ત દૃષ્ટિનું સ્વરૂપ, તેની વ્યાપ્તિ અને ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે. વિદ્વતાપૂર્વક તેમાં વાદપદ્ધતિ ગોઠવેલી છે. આ ટીકામાં સેંકડો દાર્શનિક ગ્રંથોનું દોહન કરાયેલું છે. આ ટીકા ૨૫૦૦૦ શ્લોકપ્રમાણ છે. * શોભનમુનિ—મહેન્દ્રસૂરિના શિષ્ય અને ધનપાલકવિના ભાઈ એવા આ શોભનમુનિએ યમકયુક્ત એવી ૨૪ તીર્થંકરોની સ્તુતિની સંસ્કૃતમાં રચના કરી છે, જેના પર કવિ ધનપાલે સંસ્કૃત ટીકા રચી છે. * વાદીવેતાલ શાંતિસૂરિ—મૂળ વડ ગચ્છના એવા શાંતિસૂરિએ ૭૦૦ શ્રીમાલી કુટુંબને જૈન બનાવેલાં. ભોજ રાજાએ તેમને વાદિવેતાલનું બિરુદ આપેલું. તેઓ ચાંદ્રકુલના થારાપદ્રગચ્છીયરૂપે પ્રસિદ્ધિ પામ્યા. આ શ્રુતોપાસક આચાર્યએ ઉત્તરાધ્યયનસૂત્રની પાઈયટીકા’ રચેલી. તેમણે ‘અંગવિદ્યા’ નામક આગમનો પણ ઉદ્ધાર કરેલો. તેઓ સંવત ૧૦૯૬માં સ્વર્ગવાસી થયા. * વર્ધમાનસૂરિ—સંવત ૧૦૫૫માં ચંદ્રગચ્છમાં આ આચાર્ય થયા. તેઓએ હરિભદ્રસૂરિષ્કૃત ઉપદેશ-પદ પર ટીકા રચેલી. ઉપદેશ માલા પર બૃહવૃત્તિ રચી છે. ઉપિતિ ભવ પ્રપંચ પર પણ ટીકા રચી છે. * કુલચંદ્ર ગણિ~ઉપકેશ ગચ્છના કડકસૂરિના શિષ્ય જિનચંદ્રગણિ કે જેઓ સંવત ૧૦૭૩માં થયા તેને જ કુલચંદ્ર ગણિ કહે છે. કહેવાય છે કે તેઓ જ પછી દેવગુપ્તાચાર્ય નામે ઓળખાતા હતા. તેઓએ નવપદ-લવૃત્તિ અને નવતત્ત્વપ્રકરણની રચના કરેલી હતી. * વીર આચાર્ય——સંવત ૧૦૭૮માં આરાધનાપતાકા’ની રચના કરી છે. ★. બુદ્ધિસાગરસૂરિ—સંવત ૧૦૮૦માં શ્રી જિનેન્દ્રસૂરિના સહોદર એવા આ આચાર્યએ એક વ્યાકરણની રચના કરેલી. આ વ્યાકરણ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દલક્ષ્મલક્ષણ Jain Education International For Private eto નામે ઓળખાતું હતું. સંસ્કૃત-પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પદ્યગદ્યરૂપ ૭૦૦૦ શ્લોકપ્રમાણરૂપ આ વ્યાકરણ હતું. * જિનેશ્વરસૂરિ—ચંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વર સૂરિએ પોતાની શ્રુતોપાસના દ્વારા જે સાહિત્યનું સર્જન કર્યું તે આ પ્રમાણે છે...હરિભદ્રીય અષ્ટક પર વૃત્તિ, પંચલિંગીપ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણ લીલાવતીકથા, કથાકોષ, સવૃત્તિ પ્રમાણલક્ષણ, પથ્થાનક પ્રકરણ આદિ ગ્રંથોની રચના કરી. * ધનેશ્વરસૂરિ—જિનેશ્વરસૂરિના એક શિષ્ય ધનેશ્વરસૂરિ થયા. તેમણે સંવત ૧૦૯૫માં પ્રાકૃતભાષામાં સુરસુંદરીચરિત્ર રચેલું. * દ્રોણાચાર્ય—નિવૃત્તિકુલના એવા આ આચાર્ય રાજા ભીમદેવના મામા હતા. તેઓએ ઓનિર્યુક્તિ- આગમ પર વૃત્તિ રચી હતી. અભયદેવસૂરિની નવાંગી ટીકા રચનામાં દ્રોણાચાર્યે સંશોધનાદિમાં સહાય કરેલી. ઉવવાઈસૂત્રની ટીકા પણ તેમણે વ્યવસ્થિત કરેલી હતી. * સૂરાચાર્ય—દ્રોણાચાર્યના શિષ્ય એવા આ સૂરાચાર્ય શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્રાદિકમાં પારંગત હતા. તેમણે રાજા ભોજને મુગ્ધ કર્યો હતો. આ શ્રુતોપાસક આચાર્યએ ઋષભદેવ અને નેમિનાથ એ બંને તીર્થંકરોનાં ચરિત્ર રૂપ ચમત્કારિક દ્વિસંધાન નામે કાવ્યગ્રંથ રચેલો. સંવત ૧૦૯૦માં નેમિનાથચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય રચેલું હતું. * અભયદેવસૂરિ—ચંદ્રગચ્છમાં થયેલા અને વિક્રમ સંવત ૧૦૮૮માં માત્ર સોળ વર્ષની વયે આચાર્યપદ પ્રાપ્ત એવા અને સરસ્વતી કૃપા પ્રાપ્ત આ આચાર્યએ સ્થાનાંગથી વિપાકશ્રુત પર્યંતના નવ અંગસૂત્રો પર ટીકા રચેલી, જેથી તેઓ નવાંગી ટીકાકાર રૂપે ઓળખાય છે. આ ઉપરાંત ઉવવાઈ ઉપાંગની વૃત્તિ તથા પ્રજ્ઞાપનાના દ્વિતીયપદની સંગ્રહણી તેમણે રચી. તેમણે જયતિહુઅણુ સ્તોત્ર આદિ બીજી પણ અનેક રચના કરેલી. જિનેશ્વર ષસ્થાનક પર ભાષ્ય, હારિભદ્રીય પંચાશક પર વૃત્તિ, આરાધનાકુલક આદિ સ્વતંત્ર ગ્રંથરચના પણ કરી. * વર્ધમાનાચાર્ય-નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્ય થયા. તેઓનો સાહિત્યસર્જન કાળ સંવત ૧૧૪૦ થી ૧૧૭૨નો ગણાય છે. આ સમયગાળામાં તેમની શ્રુતોપાસના થકી પ્રાકૃતમાં મનોરમાચરિત્ર, પ્રાકૃતમાં જ આદિનાથચરિત્ર, ધર્મરત્નકદંડકવૃત્તિ, આદિ ગ્રંથોનું સર્જન કર્યું. Personal Use Only www.jainelibrary.org,
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy