SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ GS ચતુર્વિધ સંઘ દિનગણિના શિષ્ય સિંહગિરિના પ્રશિષ્ય હતા. તેમણે પોતાની તત્ત્વાર્થોટીકામાં પ્રમાણ અને નય પર વિસ્તૃત ચર્ચા કરેલી છે. * હરિભસૂરિ–જૈન સાહિત્યજગતુમાં શીર્ષસ્થ વિદ્વાનોમાં જેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયું છે તેવા ૧૪૪૪ ગ્રંથોના રચયિતા અજોડ સાહિત્ય-સર્જક તે આ આચાર્ય હરિભદ્રસૂરિજી છે. તેઓએ કેટલાક આગમોની સંસ્કૃત વૃત્તિ પણ રચી છે. જૈન યોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી કેટલાક ગ્રંથો પણ વૃત્તિ રૂપે રચેલા છે. પ્રાકૃતમાં સમરાદિત્ય કથા પણ રચી છે. લલિતવિસ્તરા અને ધર્મબિંદુ શ્રાવક ધર્મવિધિ, પંચાશક, ષોડશક અનેકાંતવાદપ્રવેશ, અષ્ટકપ્રકરણ, ઉપદેશપદ, પંચસૂત્રવૃત્તિ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય જેવા ગ્રંથો પણ રચેલા છે. પંચવસ્તુની રચના અને મહાનિશીથ જેવા આગમગ્રંથનો જિર્ણોદ્ધાર પણ કરેલો છે. વર્તમાનકાળે પણ તેમની ૮૨ રચનાનું અસ્તિત્વ જોવા મળે છે. યાકિનીમહત્તરા ધર્મસુનુના વિશેષણથી પોતાને પ્રસિદ્ધ કરનારા અને ભવવિરહ કવિ એવા આ કૃતોપાસક રચિત “સંસાર- દાવાનલ' એવા આદ્ય અક્ષરોથી પ્રસિદ્ધ સ્તુતિ આજે પણ આઠમના પ્રતિક્રમણમાં સ્તુતિરૂપે અને પકિન પ્રતિક્રમણમાં સઝાયરૂપે બોલાય છે. બહેનો નિત્યપ્રતિક્રમણમાં પડાવશ્યકની પૂર્ણાહૂતિ બાદ સમૂહમાં બોલે છે. તેમનું રચિત “સંબોધપ્રકરણ' આચાર સંબંધી અનન્ય સ્પષ્ટીકરણો આપે છે તો “પંચિદિય સૂત્ર’ નામક આઘાક્ષરોથી પ્રસિદ્ધ સૂત્ર ગુરુ સ્થાપનારૂપે આજે પણ પ્રયોજાય છે. તેમના સર્જિત સાહિત્ય અને તે સાહિત્યનો પરિચય આપવા પુરુષાર્થ કરીએ તો એક લેખ નહીં પણ એક પુસ્તિકા તૈયાર થઈ જાય. * સંઘદાસ ક્ષમાશ્રમણ—અંદાજે સાતમી સદીમાં થયા. તેઓએ પંચકલ્પ મહાભાષ્યની રચના કરી. વસુદેવ હિંડી નામક ગ્રંથ પણ પ્રાકતમાં તેમણે આરંભેલો જે ધર્મસેન ગણિએ પૂર્ણ કરેલ. * માનતુંગાચાર્ય–ભક્તામરસ્તોત્ર જેવી મંત્રગર્ભિત અને ભક્તિસભર રચના એ આ આચાર્યનું સર્જન છે. દિગંબર–શ્વેતાંબર–સ્થાનકવાસી આદિ સંપ્રદાયોમાં આજ પર્યન્ત માન્ય રહેલ છે. * જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ—વિક્રમ સંવત ૬૪૫માં થયેલ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ હરિભદ્રસૂરિની પૂર્વે થયા. આ ક્ષમાશ્રમણે “વિશેષાવશ્યક ભાષ્ય' નામે એક સચોટ સાહિત્ય-સર્જન કરેલ છે. આવશ્યક આગમ પરત્વે રચાયેલ આ ભાષ્ય એ વર્તમાનકાલીન ગણધરવાદને પ્રદાન કર્યો છે. આ ભાષ્યની સ્વોપજ્ઞટીકાં પણ તેમણે રચી. તદુપરાંત બ્રહ, સંગ્રહણી અને બૃહતુ ક્ષેત્રસમાસ જેવા જૈન ભૂગોળના ગ્રંથોની પણ રચના કરી છે. વિશેષણવતી નામક ૪૦૦ ગાથાનો પ્રકરણગ્રંથ અને દશવિધ પ્રાયશ્ચિત્તયુક્ત જિતકલ્પસૂત્રની રચના કરી છે. તેમણે ધ્યાનાશતક પણ રચેલ છે. ભાષ્યકાર રૂપે વિશેષ પ્રસિદ્ધ બે જ નામો આપણી સન્મુખ આવે છે. જેમાં (૧) શ્રી સંઘદાસ ગણિ છે અને (૨) આ જિનભદ્ર ગણિ છે. તેઓ આગમ પરંપરાના મહાનું સંરક્ષક હતા. હેમચંદ્રાચાર્યું પણ તેમને ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા રૂપે ઓળખાવેલ છે. જિનભદ્ર ગણિના વિશેષ આવશ્યક પર કોટ્યાચાર્ય નામક આચાર્યની ટીકા પણ ઉપલબ્ધ છે. * જિનદાસ ગણિ મહત્તર–વિક્રમ સંવત ૭૩૩ અર્થાતુ આઠમી સદીમાં થયેલા આ આચાર્યનું નામ કાને પડતાં જ આગમસૂત્રો પરનું ચૂર્ણિ સાહિત્ય નજરે તરવરે છે. નંદિસૂત્ર હોય કે આવશ્યક, નિશીથસૂત્ર હોય કે અન્ય આગમ ચૂર્ણિ સાહિત્યકાર રૂપે મુખ્યતયા આ જિનદાસ ગણિ મહત્તર જ તે સાહિત્યના સર્જનકાર રૂપે નજરે પડે છે. * ઉધોતનસૂરિ–શ્રી હરિભદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૮૩૪માં તેઓએ કુવલયમાલા નામક પ્રાકૃતકથાની રચના કરેલી. તેઓ દાક્ષિણ્યાંક સૂરિ નામે પણ પ્રસિદ્ધ છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં અમૂલ્યરત્ન સમાન છે. * સિદ્ધર્ષિસૂરિ—વિક્રમની દશમી સદીમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. (જો કે આ કાળ વિચારણીય છે.) તેમનું ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન-ઉપમિતિ ભવપ્રપંચ- કથા છે. આ એક વિશાળ મહારૂપક ગ્રંથ છે. તેનું સાહિત્યિક મૂલ પણ ઘણું જ ઊંચુ છે. તેમણે હરિભદ્રસૂરિની અનુપમ સ્તુતિ કરેલી છે. તેમને તેઓ ધર્મબોધકર રૂપે ઓળખાવે છે. તેઓએ શ્રીચંદ્ર કેવલીચરિત્રને પ્રાકતમાંથી સંસ્કૃત ભાષામાં રૂપાંતરિત કરેલ છે. ધર્મદાસ ગણિની પ્રાકૃત ઉપદેશ માળા પર સંસ્કૃત ટીકા લખેલી છે. સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર ગ્રંથ ઉપર તેમણે સિદ્ધ વ્યાખ્યાનિકા વૃત્તિ પણ રચી છે. બે સંસ્કૃત સાહિત્ય ઉત્કર્ષયુગ–વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૨૩૦ * જંબુ-ચંદ્રગચ્છમાં જંબુ (જંબુનાગ) નામના સાધુ થયા. તેમનો કાળ સંવત ૧૦૦૫ નો ગણાય છે. તેઓએ મણિપતિચરિત્ર, જિનશતક કાવ્ય-સ્તવન અને ચંદ્રદૂત કાવ્યની રચના કરી. તેમના રચેલા મણિપતિ ચારિત્ર પર નાગેન્દ્રગચ્છના સાંબ મુનિએ સંવત ૧૦૨૫માં વિવરણ ટીકા રચેલી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy