SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ તવારીખની તેજછાયા વીર ભગવંતની ત્રીજી કે ચોથી સદી : ઉમાસ્વાતિજીવાચકવર ઉમાસ્વાતિજીનું નામ સાહિત્યસર્જનમાં ઘણા જ આદરથી ગ્રહણ કરાય છે. કદાચ જૈન સાહિત્યવિશ્વમાં સંસ્કૃત ભાષાના યુગના આદિકર્તા સમાન તેઓને ગણીએ તો પણ અનુચિત નહીં ગણાય. તેઓએ સમસ્ત જૈનદર્શનના સંદોહનરૂપ તત્ત્વાર્થાધિગમસૂત્રની રચના કરી. આનંદાત્મક આશ્ચર્યની વાત એ છે કે આ એવું વિશિષ્ટ સાહિત્ય સર્જન છે જે શ્વેતાંબર-દિગંબર આદિ સર્વે જૈનસંપ્રદાયોમાં આજ પર્યન્ત માન્ય છે. આ તત્ત્વાર્થસૂત્ર પર શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અનેક વિદ્વાનોની રચેલી ટીકાઓ હજી પણ ઉપલબ્ધ છે. ઉમાસ્વાતિજી સર્જિત અનેક સાહિત્યોમાં ૫૦૦ પ્રકરણગ્રંથોની રચના થયાનું કહેવાય છે, જેમાં પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજાપ્રકરણ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, ક્ષેત્ર વિચાર ઇત્યાદિ ગ્રંથો ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્યજીએ તેઓના સિદ્ધહેમ વ્યાકરણમાં ૩ડનુન સૂત્રમાં ઉમાસ્વાતિજીને ઉત્કૃષ્ટ સંગ્રહકર્તા સ્વરૂપે ઓળખાવેલાં છે. પાદલિપ્તસૂરિ– | વિક્રમરાજાના કાળમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેને પાલિપ્તસૂરિ પણ કહે છે. પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યયુગમાં તેમના સર્જેલ સાહિત્યમાં તરંગવતી નામક પ્રાકૃત ભાષામાં રચાયેલી અદ્ભુત કથા છે. તદ્ ઉપરાંત જૈન નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠાવિધિ, શિલ્પનો ગ્રંથ નિર્વાણકલિકા, જ્યોતિષ કરંડક પર પ્રાકત ટીકાની રચનાઓ મુખ્ય છે. તેઓ પ્રતિષ્ઠિત કવિ હતા. તેમના નામ પરથી પાલિતાણાની સ્થાપના થઈ છે. સિદ્ધસેનસૂરિજી– જેની પ્રશંસા કે સ્તુતિ હરિભદ્રસૂરિજી, મુનિરત્નસૂરિજી, પ્રભાચંદ્રસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાનો એ કરી છે તે સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્યએ અનેક સાહિત્યોનું સર્જન કરી, તેની જૈન જગતુ દ્વારા વિશ્વને ભેટ આપી છે. તેઓ પ્રમાણ શાસ્ત્રના પ્રતિષ્ઠાપક આચાર્ય હતા. તેમનાથી તર્કપ્રધાન પરંપરાનો યુગ આરંભ થયો. તેમણે ન્યાયાવતાર, સન્મતિતર્ક પ્રકરણ, દ્વાત્રિશતુ દ્વાત્રિશિકા (કે જેમાં અનેકવિધ વિષયોને વિવિધ છંદો વડે કાવ્યાનુબદ્ધ કરાયા છે). કલ્યાણમંદિર સ્તોત્ર તેઓની મંત્રશક્તિ અને ભક્તિબુદ્ધિના પ્રતીક જેવું સ્તોત્ર છે. કોઈ વિદ્વાન સિદ્ધસેનને જ ગંધહસ્તિ નામે ઓળખાવે છે. જો આ મતને સાચો માનીએ તો આચારાંગના શસ્ત્રપરિજ્ઞા પરનું ગંધહસ્તિ વિવરણ પણ તેમની કૃતિ છે તેવું માનવું પડે. તેમની ગણના કવિપ્રભાવક રૂપે પણ થાય છે. તેમનું વૃદ્ધિવાદીના શિષ્ય રૂપે કુમુદચંદ્ર નામ હતું પણ પછીથી તેઓ સિદ્ધસેન દિવાકર નામે જ પ્રસિદ્ધિ પામ્યા. વિમલસરિ–વિક્રમ સંવત ૬૦ માં વિમલસૂરિએ પ્રાકૃતમાં પઉમચરિયની (જૈન રામાયણની) રચના કરી. આચાર્ય મલવાદી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ| વિક્રમ સંવત ૩૦૦ થી ૮૦૦. મલયગિરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાને તેમજ મુનિચંદ્રસૂરિજી અને તિલક આચાર્ય આદિએ પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પ્રશંસા કરી છે. પ્રભાવક ચરિત્રમાં આચાર્ય મલવાદીની સ્તુતિ નજરે પડે છે. આ ત્રીજીથી આઠમી સદીમાં વિવિધ જૈનાચાર્યો થયા તેમાંના કેટલાંક મૃતોપાસકોની સાહિત્ય સાધનાની અહીં કિંચિત્ ઝાંખી રજૂ કરેલ છે. * દેવગુપ્તાચાર્ય-જેઓ છઠ્ઠી સદીમાં થયા તેમણે ત્રિપુરુષચરિત્રની રચના કરેલી. * શીલાંકાચાર્ય–આચાર અને સૂત્રકૃતની વૃત્તિની રચના કરેલી. તદુપરાંત તેમની જીવસમાસ પર વૃત્તિ પણ મળે છે. * ધનેશ્વરસૂરિ વિક્રમ સંવત ૪૭૭માં તેમણે શત્રુંજય માહાભ્યની રચના કરી. * મલવાદીસૂરિ–કાદશાર નયચક્રવાલ નામનો ન્યાયનો ગ્રંથ રચ્યો. તેઓએ બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિના ન્યાયબિંદુ ગ્રંથ પર ધર્મોત્તર ટિપ્પણકની રચના કરી છે. સન્મતિતર્ક વૃત્તિ ઇત્યાદિ ગ્રંથોની રચના કરી. હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ વિદ્વાને તેમનો તાર્કિક શિરોમણિ રૂપે ઉલ્લેખ કર્યો છે. એક મત મુજબ મલવાદીસૂરિ વિક્રમ સંવત ૪૧૪માં થયા. * શિવશર્મસરિ–અંદાજે પાંચમી સદીમાં થયેલા આ આચાર્ય કર્મસાહિત્ય-વિશારદ હતા. તેઓએ ૪૭૫ ગાથાનો કર્મ પ્રકૃતિ નામક ગ્રંથ રચ્યો. તેમ જ છ પ્રાચીન કર્મગ્રંથોમાં પાંચમો શતક નામનો કર્મગ્રંથ પણ રચેલો છે. * ચંદ્રર્ષિ મહત્તર–૯૬૩ ગાથાનો પંચસંગ્રહ રચ્યો. તેના પર ૯૦૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞવૃત્તિની રચના કરી છે. * સિદ્ધસેન ગણિ–દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના કાળમાં સિદ્ધસેન ગણિ થયા. તેઓનું ઉત્તમ સાહિત્યસર્જન છેઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર પરની તેમની રચેલી વિશાળ ટીકા. આગમપ્રધાન વિદ્વતાથી યુક્ત આ શ્રમણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy